મનુભાઈ મીરાણી સંચાલિત (‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર’ (નિઃશુલ્ક’ રાજકોટ આયોજીત શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) ના સહયોગથી લગ્નોત્સુક રઘુવંશી ડોકટર્સ માટે નિઃશુલ્ક ‘શ્રી રઘુવંશી ડોકટર્સ ઓનલાઈન પરીચય મેળો‘
સમગ્ર વિશ્વમાંથી અંદાજે 150 રઘુવંશી લગ્નોત્સુક ડોકટર્સ ભાગ લેશે રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા 25 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ચલાવવામાં આવે છે. આ ઉપરાંત દર રવીવારે સવારે 10-30 થી બપોરે 01-30 સુધી લોહાણા મહાજનવાડી, આદર્શ હોલ, સાંગણવા ચોક, રાજકોટ ખાતે નિઃશુલ્ક ‘રઘુવંશી વેવિશાળ માહિતી […]





















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































