શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા “મહાશિવરાત્રી”ના પાવન પર્વ નિમિત્તે અને “કાઉ હગ ડે” નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ કતલખાના બંધ રાખવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરાઈ.
દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્રારા “મહાશિવરાત્રી” તા.15–02–2026, રવિવાર અને “કાઉ હગ ડે” તા.14–02–2026, શનિવારના રોજ સમગ્ર ગુજરાતમાં તમામ કતલખાના બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરાઈ છે.હિન્દુ ધર્મના અતિ પવિત્ર તહેવાર “મહાશિવરાત્રી” આગામી તા.15-02-2026, રવિવાર અને “કાઉ હગ ડે” […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































