#Blog

ગાયોની સેવામાં સમર્પિત વિશ્વની સૌથી મોટી લોકપ્રિય ગૌ સેવા સંસ્થા ‘શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા લોક પુણ્યાર્થ ટ્રસ્ટ’ અને જી.સી.સી.આઇ. દ્વારા આયોજિત પંચગવ્ય – આયુર્વેદ ચિકિત્સા સેમિનાર

1,52,000 થી વધુ નિરાધાર વેદલક્ષણ ગાયોની સેવામાં સમર્પિત વિશ્વની સૌથી મોટી લોકપ્રિય ગૌ સેવા સંસ્થા શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા લોક પુણ્યાર્થ ટ્રસ્ટ અને ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા સંસ્થાનાં સ્થાપક પરમ પૂજનીય ગો ઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજની પવિત્ર ઉપસ્થિતિમાં દેશના વરિષ્ઠ આયુર્વેદાચાર્યો અને પંચગવ્ય સાધકોના વિચારો અને અનુભવો સાંભળવા માટે પંચગવ્ય – આયુર્વેદ ચિકત્સા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. પંચગવ્ય એટલે ગાયનાં દૂઠ, દહીં, ઘી, છાણ, મૂતર અને દર્ભના પાણીનું મિશ્રણ, પંચગવ્યનો ઉલ્લેખ અને તે બનાવવાની વિધિ હિંદુ ધર્મગ્રંથોમાં મળે છે. ગાયનું પંચગવ્ય વિવિધ ઉપયોગમાં આવે છે. પંચગવ્ય દ્વારા અનેક રોગોથી મુકિત મળે છે. ખાતર અને દવા અને હોસ્પીટલનાં લાખો રૂપીયા બચાવી આપે તેવી અમુલ્ય એવી ગાયમાતાનું આપણે સૌ સાથે મળીને રક્ષણ કરીએ.

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત કાર્યક્રમોનું આયોજન કરી ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપે છે. ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ , ગૌ આધારિત અર્થ વ્યવસ્થાનાં પુન:નિર્માણ  પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતનાં રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા જી.સી.સી.આઇ.નાં સંસ્થાપક છે.

સેમીનારમાં ભારત સરકારનાં સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન આયુર્વેદિક સાઈન્સેજનાં મહાનિદેશક ડૉ. આર. એન આચાર્ય, દિલ્લીનાં સી.બી.પી આયુર્વેદ ચરક સંસ્થાનનાં નિદેશક ડૉ મનુભાઈ ગૌડ વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહેશે. પંચગવ્ય વિદ્યાપીઠ, કાંચીપુરમનાં સંસ્થાપક ડૉ. નિરંજન વર્મા, વિશ્વ આયુર્વેદ પરિષદનાં રાષ્ટ્રીય સચિવ ડૉ. સુરેન્દ્ર ચૌધરી, સેવા શિક્ષણ સંસ્થાન, સોલન, હિમાચલ પ્રદેશનાં અધ્યક્ષ વૈધ રાજેશ કપૂર, સી.બી.પી આયુર્વેદ ચરક સંસ્થાન, દિલ્લીનાં ડૉ. યોગેશ પાંડે, કેલીફોર્નીયા કોલેજ આયુર્વેદ, યુ.એસ.એનાં વીઝીટીંગ ફેકલ્ટી વરિષ્ઠ આયુર્વેદિક ચિકિત્સક ડૉ. અખિલેશ શર્મા, સી.સી.આર.એ.એસ, મુખ્યાલય, નવી દિલ્લીનાં અનુસંધાન અધિકારી ડૉ. વિનોદ લવાનીયા, અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન, આરોગ્ય ભારનાં રાષ્ટ્રીય સચિવ ડૉ. પ્રશાંત ગુપ્તા, સી.બી.પી આયુર્વેદ ચરક સંસ્થાન, દિલ્લીનાં એસોસિયેટ પ્રોફેસર, વિભાગ પ્રમુખ અને દ્રવ્યમાન સંકાય ડૉ. સુભાષ સાહુ પંચગવ્ય અને આયુર્વેદ ચિકિત્સા પર માર્ગદર્શન આપશે. સેમિનારમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ, જી.સી.સી.આઈનાં સંસ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયા, ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયનાં આયુક્ત ડૉ. અભિજિત મિત્રા, હરિયાણાનાં ગૌસેવા આયોગનાં અધ્યક્ષ શ્રવણ ગર્ગ, ઉત્તરાખંડનાં ગૌસેવા આયોગનાં અધ્યક્ષ રાજેન્દ્ર અંથવાલ, દિલ્લી ભાજપનાં પૂર્વ મંત્રી અને ઉપાધ્યક્ષ કપિલ મિશ્રા સહિતનાંઓ માનવંતા મહેમાનો તરીકે ખાસ ઉપસ્થિત રહેશે.   

આ સેમીનાર 17 સપ્ટેમ્બર રવિવારનાં રોજ બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી શ્રી નરસિંહ સેવા સદન, કે.પી બ્લોક, સિટી પાર્ક હોટેલની પાસે, પીતમપુરા, દિલ્લી ખાતે રાખવામાં આવ્યો છે. સેમિનારનાં આયોજન અને સંકલનમાં ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) અને ભારતીય ધરોહર, કામધેનુ ટ્રસ્ટનો સહયોગ રહ્યો છે. આ અંગે વિશેષ માહિતી માટે કામધેનું ટ્રસ્ટનાં અધ્યક્ષ ડૉ. નરેશ શર્મા (મો. 9911002200/9811111602), જી.સી.સી.આઈનાં નિર્દેશક પૂરીશ શ્રીવાસ્તવ (મો. 6393303738), મિત્તલ ખેતાણી (મો. 98242 21999), ગૌધામ પથમેડાનાં વૈધ શ્યામ સિંહ રાજપુરોહિત (મો. 7665000906) પર સંપર્ક કરવા તેમજ સૌ ને આ સેમીનારમાં હાજરી આપવા યાદીમાં જણાવાયું છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *