#Blog

પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવાર ટ્રસ્ટ દ્વારા રાણપુર(નવાગામ) ખાતે 17 મો વાર્ષિક હવન યોજાશે.

પૂજય કુળદેવી શ્રી ભવાનીમાં તથા પૂ. શ્રી ડુંગરબાપાની અસીમ કૃપા તથા ગોરધનબાપાનાં આર્શીવાદથી સમગ્ર પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવારના કુળદેવી શ્રી ભવાની માતાજીનો ટ્રસ્ટ દ્વારા આયોજીત 17 (સતર) મો વાર્ષિક હવન સંવત-2081 ના ચૈત્ર સુદ-૮, શનિવાર, તા. 05/04/2025 ના રોજ પૂ. માતાજી તથા પૂ. ડુંગરબાપા, પુ. ગોરધનદાદાના દેવસ્થાને રાણપુર (નવાગામ) મુકામે યોજવાનું નકકી કરેલ છે. પૂ. માતાજીના આ હવનમાં સર્વે કુટુંબી ભાઈઓ સહ પરિવાર હાજરી આપીને પૂ. માતાજીના તથા પૂ. ડુંગરબાપાના તથા પૂ. શ્રી ગોરધનદાદા દર્શન, પૂજન અર્ચન તથા પ્રસાદનો લાભ લેવા પધારે એવું જાહેર આમંત્રણ ટ્રસ્ટ દ્વારા પાઠવાયું છે. હવનનો પ્રાંરભ દેહ શુધ્ધિ સવારે 05-30 કલાકે, પૂજનવિધી સવારે 08-10 કલાકે, બિડુ હોમવાનો સમય બપોરે 12-30 કલાકે (ચલ ચોઘડીયે), હવન પુર્ણાહુતિ 01-00 કલાકે હવન પુરા થયા બાદ પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવાર ટ્રસ્ટ તથા આમંત્રીત મહેમાનો તથા સર્વે કુટુંબીજનો માટે ભોજન—પ્રસાદ આયોજન બપોરે 01-00 કલાકે કરવામાં આવ્યું છે. હવનમાં સમયસર હાજરી આપવા પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવાર ટ્રસ્ટી મંડળે પરીવારજનોને અપીલ કરી છે. હવેથી દરેક કંકોત્રી ડીઝીટલ આવશે જેથી પરીવારના બધા જ સભ્યો મો.નં. 97129 82800 સેવ કરી રાખે. આ હવનમાં આચાર્યપદે વિદ્રાન શાસ્ત્રી શ્રી ચેતનભાઈ કુવાડવાવાળા રહેશે. હવનમાં યજમાન પદે એક સાથે પરિવારના 5 (પાંચ) દંપતિઓ બિરાજશે જેમાં (1) શ્રી યશ અતુલભાઈ પાંઉ તથા અ.સૌ. અંજલી અતુલ પાંઉ (કુવાડવા) (2) શ્રી મોહિત પ્રવીણભાઈ પાંઉ તથા અ.સૌ. શ્રુતિ મોહિત પાંઉ (કુવાડવા) (3) શ્રી ગોપાલભાઈ કેશવલાલ ખેતાણી તથા અ.સૌ. રજનીબેન ગોપાલભાઈ ખેતાણી (અમદાવાદ) (4) શ્રી દર્શન વિનોદકુમાર પાંઉ તથા અ.સૌ. શિવાની દર્શન પાંઉ (મલકાપુર) (5) શ્રી જીગ્નેશભાઈ ઉમેશચંદ્ર પાંઉ તથા અ.સૌ. નિશાબેન જીગ્નેશભાઈ પાંઉ (રાજકોટ) વાળા બિરાજશે. આ યજ્ઞ (હવન)ની વધુ માહિતી માટે અમરભાઈ પાઉં (મો. 90810 82800) પર સંપર્ક સાધવા વિનંતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *