ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા ના ભત્રીજા મંદીપભાઈ સખીયાના સત્કાર સમાંરભમાં ભેટ સોગાંદ માં મળેલી રકમનો સર્વેજીવ રક્ષા માટે ચેકડેમ બનાવવામાં આવશે.

મંદીપ સખીયા ના મિત્ર ઓસ્ટ્રેલીયા થી આવેલ તેને પણ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્ય ને બિરદાવ્યું.
આજ જયારે લોકો દિવસે દિવસે પ્રકૃતિથી દુર જતા જાય છે, અને દેખાદેખી ના હિસાબે ભભકાદાર જીવન બીજાને બતાવવા માટે દોટ લાગી છે. ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાના મોટા ભાઈ કાલાવડ ગામે શિક્ષણ સંકુલ સાથે સંકળાયેલા વિઠલભાઈ નાનજીભાઈ સખીયાનો પુત્ર મંદીપ સખીયા હાલ ઓસ્ટ્રેલીયામાં રહે છે, અને જેના રાજકોટમાં રહેતા કિશોરભાઈ મનજીભાઈ પાંભર ની પુત્રી ધારા સાથે લગ્ન થયા છે, તેનું ૫-૦૪-૨૦૨૫, શનિવાર ને સાંજે ૭:30 કલાકે, ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ, મવડી કણકોટ રોડ,ખાતે રીશેપ્સન રાખેલ છે, આ પ્રસંગમાં પધારેલ મહેમાનો દ્વારા ભેટ સોગંધો સ્વરૂપે મળેલી રકમનો ઉપયોગ સૃષ્ટિના સર્વે જીવ-જંતુ, પશુ-પક્ષી અને માનવ જાતના રક્ષણ માટે વરસાદી શુધ્ધ પાણીનું યોગ્ય જતન થાય તેના માટે ચેકડેમ બનાવવામાં વાપરવામાં આવશે. જેનાથી સમાજના દરેક ઉદ્યોગપતિ, દાતાઓ, અને ધર્મપ્રેમીઓ ને સમાજના સારા કામનો સંદેશો પહોચશે તેવા હેતુથી. આ કાર્યના મહત્ત્વ અને તેના ઊંડા હિતને જોતા, મંદીપભાઈ સખીયાના મિત્ર મેથ્યુ અને વીલીસયસ, જે ખાસ ઓસ્ટેલિયાથી આવ્યા છે, તે ખૂબ ખુશ થયા. તેમણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની કાર્યપદ્ધતિ અને ઉદ્દેશ્યોને નજીકથી જોયા અને સમજીને આ સારા કાર્યમાં જોડાવાનો નિર્ધાર કર્યો. તેમની આ પ્રેરક સહભાગીતા એક ઉદાહરણ છે કે, જ્યાં સારા કાર્ય હોય, ત્યાં સહયોગ આપવાવાળાં હંમેશાં જોડાતા રહે છે. સમાજમાં દરેક લોકો વરસાદના પાણીને સંપતિના સ્વરૂપે યોગ્ય જતન કરવા આવા નાના-મોટા પ્રસંગોમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્ય સાથે જોડાઈ જાય તો જમીનના તળ ના પાણી ઊંચા આવે અને જડપથી શુધ્ધ તો સંપૂર્ણ સમાજ તન,મન ધન થી સમૃદ્ધ બને. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરેલ તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ અને જમીનની અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો પણ સંકલ્પ કરેલ છે.