હનુમાન જયંતિનાં પવિત્ર દિવસે, તા. 12, એપ્રિલ, શનીવારના રોજ સવારે 09-00 કલાકેથી કિશાન ગૌશાળા દ્વારા ‘મારૂતિ યજ્ઞ’ , ગૌ પૂજનનો કાર્યક્રમ યોજાશે.

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં 2300 ગૌમાતાની નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.
‘મારૂતિ યજ્ઞ‘ અને ગૌ પૂજન, નાના બાળકો માટે બટુક ભોજન, પધારનાર તમામ ભાવિક ભકતો માટે ભોજન–પ્રસાદ વ્યવસ્થા, સૌને પધારવા જાહેર આમંત્રણ – ચંદ્રેશભાઈ પટેલ.
હનુમાન જયંતિનાં પાવન પર્વ નિમીતે રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે આવેલ કિશાન ગૌશાળામાં તા. 12/04/2025 ને શનિવારના રોજ સવારે 09-00 થી બપોરે 01-00 વાગ્યા સુધી ‘મારૂતિ યજ્ઞ’, ગૌ પૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવશે. સાથમાં જ ભજન, કિર્તન, પ્રવચન, હવન, હનુમાન આરાધના કરાશે. આ દિવ્ય અનુષ્ઠાન ગૌસંસ્કૃતિ અને હનુમાનજીની ભક્તિના પ્રસાર માટે રાખવામાં આવ્યું છે. સૌ ભાવિકજનો હનમાન વંદના, ગૌ આરતી, ગૌમાતા સાથે સેલ્ફી ઝોન, ભજન-કીર્તન, રાસ-ગરબાનો આનંદ પણ સહપરિવાર લેશે. હનુમાનજીના જન્મના વધામણાં સાથે મહાઆરતી અને ગૌઆરતી કરાશે. સાથમાં જ સાંજે 4-00 થી 06-00 દરમ્યાન નાના બાળકો માટે બટુક ભોજન તથા પધારનાર તમામ ભાવિક ભકતો માટે ભોજન-પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. કિશાન ગૌશાળાનાં ચંદ્રેશભાઈ પટેલ દ્વારા સૌને ધર્મ પ્રેમી જનતાને પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
હનુમાન (સંસ્કૃત: हनुमान्) એ હિંદુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. તેઓ બળ,બુદ્ધિ, વિદ્યા અને ભક્તિ ના દેવતા મનાય છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. તેઓ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે. તેમનો જન્મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની હનુમાન જયંતી તરીકે ઉજવણી થાય છે.
અત્રે ઉલેખનીય છે કે, રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નિયમીત આવકનું સાધન નથી, સંસ્થા સંપૂર્ણપણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. પ્રવર્તમાન મોંઘવારીના સ્થિતિના હિસાબે, ગૌ સેવા–જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. કિશાન ગૌશાળા દ્વારા ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે ગૌમૂત્ર, જુની પડતર છાશ, જીવામૃત, ઘનજીવામૃત વિગેરે રાહત ભાવે બનાવી આપવામાં આવે છે તેમજ કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અભિયાન ચલાવવામાં આવે છે જેમા ખેડૂતોને ફળાઉ વૃક્ષો, દેશી વૃક્ષો વાવવા તેમજ ઔષધીય વૃક્ષો વાવવા અને શાકભાજી વાવવા તથા ડ્રીપથી પાણી આપવા માટે પાણી બચત થાય તે માટે ખેતરના શેઢે ખેત તલાવડી કરવા સહિતની ઓર્ગેનીક ખેતી માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી માટેનું કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા એક મોડલ ફાર્મ પણ થોરાળા ગામ ખાતે તૈયાર કરવામાં આવેલ છે જેમાં કોઈપણ ખેડૂત જો રૂબરૂ મુલાકાત લ્યે તો પ્રાકૃતિક ખેતી શું છે અને કેવી રીતે થઈ શકે તે જાણી શકાય.
હનુમાન જયંતિનાં પાવન પર્વ નિમીતે રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે આવેલ કિશાન ગૌશાળામાં તા. 12/04/2025 ને શનિવારના રોજ સવારે 09-00 થી બપોરે 01-00 વાગ્યા સુધી ‘મારૂતિ યજ્ઞ’ ગૌ પૂજનનાં કાર્યક્રમમાં સૌ ધર્મ પ્રેમી જનતાને પધારવા જાહેર આમંત્રણ કિશાન ગૌશાળાના પ્રમુખ ચંદેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે.
રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે આવેલ ‘કિશાન ગૌશાળા’, અંગેની વિશેષ માહિતી માટે ચંદ્રેશભાઈ પટેલ (મો.નં. 97252 19761) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.