#Blog

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ધારી તાલુકાના બોરડી ગામેખેડૂતો ના સહયોગથી ચેકડેમનો જીર્ણોધાર

“પાણી પહેલા પાળ બાંધો” તે કહેવત ને સાર્થક કરવા અમરેલી જીલ્લાના ધારી તાલુકાના બોરડી ગામે ખેડૂતોના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનો જીર્ણોધાર કરવામાં આવે છે. જેનાથી ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી બનેલા ચેકડેમો તૂટી ગયેલા હોઈ તેને રીપેરીંગ કરી ને ફરી વાર મૂળ પાણીની સમતા કરતા વધુ પાણી સમાય તેના માટે ઊંડા અને ઊંચા પણ કરવામાં આવે છે આ રીતે દરેક ગામડાઓમાં ખેડૂતો અને ગામના ઉદ્યોગપતિ, દાતાશ્રીઓ દ્વારા “ચલો વતન કે ઔર” નું સૂત્ર સાર્થક કરવાની ખુબ જરુરુ છે જેથી ખેત ઉત્પાદનમાં મોટા પ્રમણમાં ઉત્પાદન વધે છે, અને ખર્ચ ધટે છે, તેમજ પ્રકૃતિની રક્ષા થવાથી પશુ -પક્ષી, જીવ-જંતુ અને માનવ જીવનના આરોગ્યમાં તેમજ દેશના આર્થિક વિકાસમાં ખુબ મોટો ફાયદો થાય છે. આજુબાજુના ડુંગરાળ વિસ્તારનું પાણી નજીકના ચેકડેમમાં લઈ જવાનો પ્રયત્ન ગામ લોકો કરી રહયા છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનમાં અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો.તેમાંથી ૨૭૫ થી વધુ ચેકડેમ પૂર્ણ થઈ ગયા છે. તેમજ ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો પણ સંકલ્પ કરેલ તેમાંથી ૧૪૦૦ થી વધુ રીચાર્જ બોર થઈ ચુક્યા છે.આ રીતે દરેક પ્રસંગો કે સારા કાર્યોની શરૂઆત વરસાદી પાણીનું યોગ્ય જતન કરવાથી થાઈ તો પાણી પ્રશ્ન ખુબ સરળતાથી હલ થઈ જાઈ. બોરડી ગામના આગેવાન અશ્વિનભાઈ કુંજડીયા, દલસુખભાઈ સરખેલીયા, પોપટભાઈ હરખાણી, વલ્લભભાઈ ઢોલા, બાબુભાઈ ઢોલા, ધનશ્યામભાઈ ગાજીપરા, ગોરધનભાઈ સુવાગીયા, હાદાભાઇ બોરીસા તેમજ અમરેલી ગીરગંગા પરિવાર ટ્રસ્ટના રમેશભાઈ ધનાણી, અરવિંદભાઈ ડોબરીયા, વસંતભાઈ સોરઠીયા, ભાવેશભાઈ ગજેરા, મનોજભાઈ હપાણી વગેરે ભાઈઓ હાજર રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *