#Blog

આટલી જ તો વાર લાગે…

મોત બોલાવે ને તે તો પછી પાણી પણ ક્યાં માંગે?
પંચમહાભૂતે ભળતાં બસ આટલી જ તો વાર લાગે

સ્મશાન વૈરાગ્ય સૌનો જો ટકી જાય ને આજીવન!
દર્દી,દરિદ્ર અને અબોલનાં પછી બધાં દુઃખો ભાંગે

કો’ક જાગે-કો’ક તો જાગે એમ વદાડ તો બહું કર્યો!
છેલ્લો મોકો જ છે આ, હવે જો સ્વ આત્મા જાગે

ભોગ ન ભોગવે એને, ઇચ્છા એની જ તો થાય પૂરી
જીવતાં જીવ અને મોજથી જ જે ઈચ્છાઓ ત્યાગે

છેતરવાનું બંધ કરીને છેતરાવાનું કરી દયો હવે શરૂ!
મોક્ષ માટે અસ્તિત્વ ભક્તિ,ભોળપણ,ભલાઈ માંગે

કર્મો,કુકર્મો ભોગવવાં પડે છે જાતને જ જાતેજાતે જ
એમાં ક્યાં વારસ, ભાગીદાર,મિત્ર કે સગાં ભાગ માંગે

  • મિત્તલ ખેતાણી(મો.9824221999)નાં કાવ્યસંગ્રહ ‘તાંદુલ,ભાજી,બોર’માં થી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *