#Blog

ગારિયાધારના ફાચરિયા ગામના બહાર વસતા સુખી સંપન્ન અને પર્યાવરણપ્રેમી દાતાઓ અનેગ્રામજનો દ્વારા ગામમાં સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી 2000 વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરાવાશે.

સમાજને અને પર્યાવરણને ઉપયોગી થવાનો એક નવો જ રાહ ચીંધતું સમસ્ત ફાચરિયા ગામ

પ્રદૂષણને કારણે પર્યાવરણ બગડયું છે ત્યારે વૃક્ષો જ બનશે તારણહાર

ખેડૂત પરીવારમાં ઉછરેલા રવજીભાઈ દયાળભાઈ પાનસુરીયાએ સુરતમાં વસતા ગારીયાધાર તાલુકાના ફાચરીયા ગામના વતનીઓના ૧૬ મા સ્નેહમિલન નિમીતે અને જોગાનું જોગ રવજીભાઈનો સ્નેહમિલનના દિવસે જન્મદિન હોય સ્નેહમીલનમાં હાજર તમામ ગ્રામજનોને પર્યાવરણ જાગૃતિનો મહત્વ સમજાવી અને પોતાના પૈતૃક ગામ ફાચરીયાને વૃક્ષારોપણથી હરીયાળું અને વરસાદના પાણીનું સંચય કરી ભૂતળ પાણીથી સમૃધ્ધ બનાવવા માટેનો પોતાનો વિચાર સુરતમાં વસતા સમસ્ત ગ્રામજનો સમક્ષ રજૂ કર્યો ત્યારે રવજીભાઈના વિચારને સમસ્ત શ્રી ફાચરીયા પરીવાર પ્રગતિ મંડળ–સુરતની કારોબારી સમિતીએ તથા ગ્રામજનોએ સમર્થન અને આત્મબળ આપીને કહયું કે અમે પણ તમારી સાથે જ છીએ આ બન્ને પ્રોજેકટને આગળ વધારી પરિપૂર્ણ કરશું તેમા જ સમસ્ત ફાચરીયા ગામનું હિત સમાયેલું છે. આ પ્રસંગે રવજીભાઈ પાનસુરીયાના વિચારને સમર્થન આપતા તુરંત જ ગ્રામજનો દ્વારા ફાચરીયા ગામમાં સદભાવના વૃધ્ધાશ્રમના માધ્યમથી ૨૦૦૦ વૃક્ષો વાવવાનો નિર્ણય કરાયો હતો અને સાથમાં વરસાદી પાણી તળાવમાં ભરવા માટેના પ્રોજેકટને પણ સર્હષ આવકાર્યો હતો અને પોતપોતાના અનુદાનની સરવાણી વહેવડાવી હતી. જેમા પ્રોજેકટના મુખ્ય દાતા મૂળ ફાચરીયા ગામના અને વર્ષોથી અમેરીકા સ્થાયી થયેલા ધીરૂભાઈ સુવાગીયાએ ૧૦૦૦ વૃક્ષોનુ અનુદાન જાહેર કરીને આ પ્રોજેકટને પ્રોત્સાહન આપ્યું હતું. રવજીભાઈ પાનસુરીયા (અમદાવાદ) એ ૧૦૧ વૃક્ષો, ડો. અશોકભાઈ પાંચાણી (સુરત) ૧૦૧, ડો. અતુલભાઈ પાનસુરીયા (લંડન) ૧૦૧ વૃક્ષ, ડો. ઝવેરભાઈ લકકડ (સુરત) ૫૧ વૃક્ષ, ડો. વિનુભાઈ પાનસુરીયા (અમેરીકા) ૫૧ વૃક્ષ, પુનાભાઈ પાનસુરીયા (અમેરીકા) ૫૧ વૃક્ષ, ગૌતમભાઈ લકકડ (અમેરીકા) ૪૦ વૃક્ષ, અશોકભાઈ પાનસુરીયા (સુરત) ૩૪ વૃક્ષ, બાબુભાઈ કુંભાણી (સાવરકુંડલા) ૩૪ વૃક્ષ તેમજ ફાચરીયા ગ્રામજનોના સહીયારા સહકારથી ૨૦૦૦ વૃક્ષોનું અનુદાન પ્રાપ્ત થયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, ઉદ્યોગપતિઓ, દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓને પ્રાકૃતિક ખેતીમાં અને જીવનમાં વરસાદી શુધ્ધ અમૃત સમાન પાણીનું મહત્વ અને પાણીનું યોગ્ય જતન કરવાની જાગૃતિ લાવવા ફાચરીયા ગામના ગ્રામજનોએ એક પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડયું છે. વર્ષો પહેલા નદી અને તળાવોમાં પાણી હોવાથી ત્યાં આજુબાજુમાં વૃક્ષોથી ભરપૂર પ્રકૃતિ ખીલી ઉઠતી હતી તેથી દરેક પશુ–પક્ષીઓને પીવાના પાણી અને ખોરાક સાથે રહેણાંક મળી રહેતુ હતું. અત્યારના સમયમાં પાણી બોર અને બોટલમાં હોવાથી સંપૂર્ણ પ્રકૃતિનો નાશ થઈ રહયો છે તેનાથી સૃષ્ટિ પરના અનેક જીવોનો પાણીના અભાવે નાશ થઈ રહયો છે અને સર્વે જીવો સાથે માનવ પણ રોગીષ્ટ બનતો ગયો છે. સદભાવના વૃદ્ધાશ્રમનું ભારતને ગ્રીન બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે. અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન પણ થઇ ગયુ છે. આગામી વર્ષોમાં સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે. ગુગલ મેપમાંથી કોઈ વિદેશમાંથી પણ જોવે તો તેને ભારત લીલુછમ દેખાય એ સદભાવના વૃદ્ધાશ્રમનું સાત્વિક સ્વપ્ન છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ખૂબ ટૂંકા સમયમાં 30 લાખ વૃક્ષો વિનામૂલ્યે પીજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્યું છે, મિયાવાકી જંગલ સ્વરૂપે કરાયું છે. વૃક્ષો વાવીને મોટું ભગીરથ કાર્ય કર્યું છે. વૃક્ષો વાવવા સહેલા છે. પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્થા દ્વારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે. સમગ્ર પ્રોજેકટને સફળ બનાવવા માટે શ્રી ફાચરીયા પરીવાર પ્રગતિ મંડળ–સુરતની કારોબારી સમિતીના ડો. ઝવેરભાઈ લકકડ (પ્રમુખશ્રી), ડો. અશોકભાઈ પાંચાણી (ઉપપ્રમુખ), હસમુખભાઈ વાઘાણી, નરેશભાઈ પાંચાણી, અશોકભાઈ પાનસુરીયા, દુર્લભજીભાઈ કુંભાણી, પરેશભાઈ સુવાગીયા, નરેશભાઈ લકકડ, સુરેશભાઈ પાંચાણી, દિનેશભાઈ સુવાગીયા, નરેશભાઈ કુંભાણી, જયસુખભાઈ સુવાગીયા, હિતેશભાઈ લકકડ, રાકેશભાઈ વાઘાણી, ભાવેશભાઈ સુવાગીયા તથા ફાચરીયા ગામના શ્રીમતી ભારતીબેન રાજેશભાઈ પાનસુરીયા (સરપંચશ્રી), બટુકભાઈ સુવાગીયા (ઉપસરપંચશ્રી), સંગીતાબેન વાઘાણી, જેન્તીભાઈ સુવાગીયા, રસીલાબેન લકકડ, વિનુભાઈ સુવાગીયા, રમેશભાઈ પાંચાણી, શબનમબેન ચૌહાણ, ચંપાબેન પરમાર, કાળુભાઈ કુંભાણી, ચિંતનભાઈ વાઘાણી, કરશનભાઈ સુવાગીયા, અરવિંદભાઈ સુવાગીયા, મુકેશભાઈ કુંભાણી, મગનભાઈ સુવાગીયા, ગોરધનભાઈ સુવાગીયા, મહેશભાઈ પાંચાણી, દિનેશભાઈ વાઘાણી, નટુભાઈ કુંભાણી, જગદીશભાઈ વાઘાણી, ગીરધરભાઈ સુવાગીયા, વિઠ્ઠલભાઈ લકકડ, ઉકાભાઈ સુવાગીયા, મગનભાઈ સુવાગીયા, પ્રવિણભાઈ લકકડ, પરેશભાઈ પાંચાણી, રસુલભાઈ ચૌહાણ(પૂર્વ સરપંચ), યુનુસભાઈ ચૌહાણ, શબ્બીરભાઈ ચૌહાણ, વજુભાઈ વાઘેલા, ઘેલાભાઈ સુસરા સહિતની ટીમ તન, મન અને ધનથી જહેમત ઉઠાવી રહી છે. રવજીભાઈ દયાળભાઈ પાનસુરીયા – મો. ૯૮૨૫૨ ૩૧૧૫૪

Leave a comment

Your email address will not be published. Required fields are marked *