કિશાન ગૌશાળા દ્વારા સંતો—મહંતોના હસ્તે રાજકોટ જીલ્લાની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા ગૌશાળા–પાંજરાપોળોના સંચાલકોનું સન્માન કાર્યક્રમ અને અનેક આગેવાનોને તેમજ સૌરાષ્ટ્ર કચ્છની તમામ ગૌપ્રેમી અને ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવાયુ છે.

કિશાન ગૌશાળા દ્વારા સંતો-મહંતોના હસ્તે રાજકોટ જીલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોનું ભરૂડીયા, તા. રાપર જી. કચ્છના એકલધામ આશ્રમના, દેવનાથબાપુના સાનીધ્યમાં સન્માન કાર્યક્રમનું તા.14, સપ્ટેમ્બર, રવીવારના રોજ સાંજે 04-00 કલાકેથી આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયે પધારનાર સૌ માટે ભોજન-પ્રસાદનું આયોજન કરાયું છે.
ગાય આધારીત ગૌશાળામાં બનતી પ્રાકૃતિક ખેતી પ્રોડકટસનું લાઈવ બતાવવામાં આવશે તથા પધારના ખેડૂતો તથા ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોને ટ્રેનીંગ આપવામાં આવશે. અને પ્રાકૃતિક ખેતીની વિશેષ માહિતી અપાશે. જેના થકી આત્મનિર્ભર ગાય, આત્મ નિર્ભર ખેતી, રોગ મુકત ભારત થશે અને ભારત દેશ પહેલાની જેમ સોનાની ચીડીયા બનશે.
કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ, ગૌ સેવા ગતિવિધિ, રાષ્ટ્રીય પરશુરામ સેના, બજરંગ દળ, GCCI ડૉ વલ્લભભાઈ કથીરિયા, શ્રીજી ગૌશાળા, પાલુ ભગત, રાધેશ્યામ ગૌશાળા, સંતોષી ગૌશાળા (રામપર), બંસીધર ગૌશાળા (ભૂનાવા), ખોડિયાર ગૌશાળા (કાગડદી), મોરારિ ગૌશાળા (પડધરી), સત્જ્યોત ગૌશાળા (ધ્રાંગડા), ગોપાલ ગૌશાળા (ટંકારા), કલ્યાણ પર ગૌસેવા યુવક મંડળ (ટંકારા), વચ્છરાજ ગૌશાળા (કોઠારિયા), રાધે રાધે ગૌશાળા (બેડી ચોકડી), શ્યામ ગૌશાળા (બેડી ચોકડી), વચ્છરાજ ગૌશાળા (જસદણ), ખોડિયાર ગૌશાળા (ચોબારી, ચોટીલા), રફાળા ગૌશાળા, માં ગૌરી ગૌશાળા (ત્રંબા), અચ્યુતમ ગૌશાળા (ખેરડી), ગોકુળ ગૌશાળા (ખેરડી), ખોડિયાર ગૌશાળા (કાગદડી), લાલા ભગત ગૌશાળા (ભીચરી), દ્વારકેશ ગૌશાળા (સોલવંત), રામદેવપીર ગૌશાળા (લાપાસરી), સરધાર ગૌશાળા, ભૂપગઢ ગૌસેવા મંડળ, અંધ અપંગ ગૌશાળા (વાંકાનેર), મોરબી ગૌશાળા, સહજાનંદ ગૌશાળા, સરદાર ગૌશાળા (કોઠારિયા), મોરબી પાંજરાપોળ, રાધેકૃષ્ણ ગૌશાળા (પીપળીયા), બહુચર ગૌશાળા (નવાગામ), બજરંગ ગૌશાળા (નવાગામ), સિદ્ધાર્થ ગૌશાળા (તરઘડીયા), વેલનાથ ગૌશાળા, નંદની ગૌશાળા (ગવરીદળ), હોલમાતા ગૌશાળા, મોગલ માતા ગૌશાળા, ભોજા ભગત ચેરીટેબલ ટ્રસ્ટ (ફતેપુર) સહિતના શ્રેષ્ઠીઓ, દાતાઓ, કાર્યકર્તાઓ, તથા સંસ્થાઓ હાજર રહેશે. તે માટે તેઓને હાજર રહેવા માટે નિમંત્રિત કરવામાં આવશે.
કાર્યક્રમમાં કરૂણા ફાઉન્ડેશનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ધીરૂભાઈ કાનાબાર, પારસભાઈ મહેતા, ગૌરાંગભાઈ ઠક્કર, શ્રીજી ગૌશાળાના ડો. પ્રભુદાસ તન્ના, રમેશભાઈ ઠકકર, સદભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા, ગીરગંગા પરીવાર ટ્રસ્ટના દિલીપભાઈ સખીયા, વીરાભાઈ હુંબલ, ચંદુભાઈ હુંબલ, દિલીપભાઈ સોમૈયા, પ્રકાશભાઈ ચોટાઈ, પારસભાઈ મોદી, ડૉ રશ્મિકાંત મોદી, ભરતભાઈ ભીમાણી, શેતૂરભાઈ દેસાઈ, તુષારભાઈ મહેતા રાજુભાઈ કાનાબાર, પ્રફુલભાઇ ગોસ્વામી, દિનેશભાઈ પટેલ, વર્ધમાન યુવા ગ્રુપ, કેર ગ્રુપ, ચંદ્રકાંતભાઈ શેઠ, તથા પ્રફુલભાઈ સેજલીયા, વિરજીભાઈ રાદડીયા, સહિતનાઓ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમમાં રાજકોટના લોકલાડીલા શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રીઓ ડો.દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. વલ્લભભાઈ કથીરિયા (પૂર્વ કેન્દ્રીય મંત્રી) સહિતનાઓને આમંત્રણ અપાયું છે.
અત્રે ઉલેખનીય છે કે, રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નિયમીત આવકનું સાધન નથી, સંસ્થા સંપૂર્ણપણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. પ્રવર્તમાન મોંઘવારીના સ્થિતિના હિસાબે, ગૌ સેવા–જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. કિશાન ગૌશાળા દ્વારા ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે ગૌમૂત્ર, જુની પડતર છાશ, જીવામૃત, ઘનજીવામૃત વિગેરે રાહત ભાવે બનાવી આપવામાં આવે છે તેમજ કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અભિયાન ચલાવવામાં આવે છે જેમા ખેડૂતોને ફળાઉ વૃક્ષો, દેશી વૃક્ષો વાવવા તેમજ ઔષધીય વૃક્ષો વાવવા અને શાકભાજી વાવવા તથા ડ્રીપથી પાણી આપવા માટે પાણી બચત થાય તે માટે ખેતરના શેઢે ખેત તલાવડી કરવા સહિતની ઓર્ગેનીક ખેતી માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી માટેનું કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા એક મોડલ ફાર્મ પણ થોરાળા ગામ ખાતે તૈયાર કરવામાં આવેલ છે જેમાં કોઈપણ ખેડૂત જો રૂબરૂ મુલાકાત લ્યે તો પ્રાકૃતિક ખેતી શું છે અને કેવી રીતે થઈ શકે તે જાણી શકાય.
કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ કે આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો વિશાળ હોલ જાહેર જનતા માટે કોઈપણ ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે અને એ પણ લાઈટ, પાણી, સાઉન્ડ સીસ્ટમ સાથે જાહેર જનતાને કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે કે, કોઈપણને ધાર્મિક કાર્યક્રમ કે ધૂન, ભજન, કથા કરવા માંગતા હોય અને જગ્યાની વ્યવસ્થા ન હોય તો કિશાન ગૌશાળા ખાતે આવેલ સત્સંગ હોલ નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે.
અત્રે ઉલેખનીય છે કે, રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે કિશાન ગૌશાળાનાં ચંદ્રેશભાઈ પટેલ દ્વારા હિન્દુ ધર્મમાં વર્ષ દરમ્યાન આવતા ધાર્મિક પ્રસંગો રામનવમી, શિવરાત્રી, હનુમાન જયંતી દરમ્યાન કિશાન ગૌશાળામાં ‘કામધેનુ ગૌ યજ્ઞ’ , ગૌ પૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવે છે સાથમાં જ ભજન, કિર્તન, પ્રવચન, હવન, ‘કામધેનુ ગૌ યજ્ઞ’, ગૌ પૂજનમાં આવનાર તમામ ભાવિક ભકતો માટે ભોજન-પ્રસાદ-ફળાહારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ દિવ્ય અનુષ્ઠાન ગૌસંસ્કૃતિ ઉજાગર કરવા માટે કરવામાં આવે છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે કિશાન ગૌશાળાના પ્રમુખ ચંદેશભાઈ પટેલ, કિશોરભાઈ વરસાણી, પ્રવિણભાઈ વસોયા, જયંતીભાઈ તારપરા, રસીકભાઈ વોરા, સંજયભાઈ, ભરતભાઈ, દિલીપભાઈ બરાસરા, રાજુભાઈ ચોવટીયા, ખોડીદાસભાઈ નંદાણીયા, રમેશભાઈ મોલીયા,અશોકભાઈ (ઉમેશ સ્ટેશનરી ગ્રુપ), ભરતભાઈ, ધીરુભાઈ રામાણી, ગોરધનભાઈ ચૌધરી, તુલસીભાઈ મુંગરા, બાબુભાઈ મુંગરા, ભરતભાઈ પરસાણા, ચંદુભાઈ કથીરીયા, સુરેશભાઈ કથીરીયા, ચંદ્રેશભાઈ વેકરીયા, મનસુખભાઈ રૈયાણી, લલીતભાઈ ગોંડલીયા, જયેશભાઈ કોટડીયા, અક્ષર હાર્ડવેર ગ્રુપ (મવડી), દિનેશભાઈ સખીયા, દેવશીભાઈ બુસા, રજનીભાઈ તળાવીયા, રાજુભાઈ ગઢીયા, દિલીપભાઈ ગઢીયા, મહેશભાઈ સંખાવરા, હરેશભાઈ બારસીયા, હસુભાઈ ગઢીયા, જલ્પેશભાઈ કાનાણી, વિરલભાઈ પાદરીયા, મયુરભાઈ પાદરીયા, નૈમીષભાઈ રામાણી, રમેશભાઈ કાછડીયા, શૈલેષભાઈ રંગાણી, વિપુલભાઈ ડોબરીયા, સુરેશભાઈ અમીપરા, મહેન્દ્રભાઈ મુંગરા, વરૂણભાઈ સીદપરા, રીકીનભાઈ આસોદરીયા, જયેશભાઈ કમાણી, કૈલાશભાઈ દેવડા, કાનજીભાઈ ભાગીયા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે આવેલ ‘કિશાન ગૌશાળા’, અંગેની વિશેષ માહિતી માટે ચંદ્રેશભાઈ પટેલ (મો.નં. ૯૭૨૫૨ ૧૯૭૬૧) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.