રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ આયોજિત “પ્રાકૃતિક કૃષિ સંમેલન” માંપ્રફુલભાઈ સેંજલિયા દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વસ્થ જીવન, ઝેરમુક્ત પાક અને સમૃદ્ધ ભવિષ્ય જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે યોજાનાર સેવા પખવાડીયાના પાવન અવસરનાં ભાગરૂપે પ્રાકૃતિક ખેતીના આગેવાનોનો સહભાગ અને ગૌપૂજનનો કાર્યક્રમ યોજાયો.
કિશાન ગૌશાળા દ્વારા “પ્રાકૃતિક કૃષિ સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રફુલભાઈ સેંજલિયા દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વસ્થ જીવન, ઝેરમુક્ત પાક અને સમૃદ્ધ ભવિષ્ય જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે યોજાયેલા સેવા પખવાડીયાનાં ભાગરૂપેપ્રાકૃતિક ખેતીના સૌ આગેવાનોએ “પ્રાકૃતિક કૃષિ સંમેલન” માં ભાગ લઇ ગૌ પૂજન પણ કર્યું હતું.
પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રફુલભાઈ સેંજલિયા એક અગ્રણી પ્રેરણાસ્ત્રોત તરીકે ઓળખાય છે. વર્ષોથી તેઓ ખેડૂતોને રસાયણમુક્ત, પ્રાકૃતિમૈત્રી અને આરોગ્યપ્રદ ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. તેમના પ્રભાવશાળી વ્યાખ્યાનો, વર્કશોપ્સ અને પ્રાયોગિક પ્રદર્શનોથી અનેક ખેડૂતો પ્રેરાયા છે અને પ્રકૃતિ સાથે સુમેળમાં ખેતી કરવાની દિશામાં આગળ વધ્યા છે. પ્રફુલભાઈ સેંજલિયાનું સ્પષ્ટ ધ્યેય છે કે ગૌઆધારિત ખેતી અને જૈવિક પદ્ધતિઓ દ્વારા માત્ર ખેડૂતો જ નહીં પરંતુ સમગ્ર સમાજને આરોગ્યપ્રદ જીવનશૈલી પ્રાપ્ત થાય. તેમના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને ઝેરમુક્ત પાકનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન મળ્યું છે, જે આવનારી પેઢીઓ માટે સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે.
આજના ઝડપી બદલાતા યુગમાં કૃષિ ક્ષેત્રમાં અનેક પરિવર્તનો જોવા મળી રહ્યા છે. પાકની ઉપજ વધારવા માટે વધતી જતી માત્રામાં રાસાયણિક ખાતર, જીવાતનાશકો અને કૃત્રિમ દવાઓનો ઉપયોગ થતો રહ્યો છે. આ પ્રથા એક સમયે ખેડૂતો માટે તાત્કાલિક લાભદાયી સાબિત થઈ હશે, પરંતુ લાંબા ગાળે તે જમીન, પાણી, પર્યાવરણ તેમજ માનવ આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ છે. આ સંજોગોમાં ઓર્ગેનિક ફાર્મિંગ (સજીવ ખેતી) એક અનિવાર્ય જરૂરિયાત તરીકે ઉભરી આવ્યું છે. ઓર્ગેનિક ફાર્મિંગ એ પ્રાકૃતિક પદ્ધતિઓ દ્વારા ખેતી કરવાનો એવો માર્ગ છે, જે જમીનની ઊર્જા જાળવી રાખે છે, પાણીનો સદુપયોગ કરે છે અને પાકને ઝેરમુક્ત બનાવે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરોના બદલે ખાતર વર્મી-કોમ્પોસ્ટ, ગૌમાતા આધારિત જીવામૃત અને પ્રાકૃતિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
મહેમાનો ધીરુભાઈ રામાણી, ભરતભાઈ પરસાણા, કાંતિભાઈ પટેલ, કરૂણા ફાઉન્ડેશનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, શ્રીજી ગૌશાળાના રમેશભાઈ ઠકકર, ગીરગંગા પરીવાર ટ્રસ્ટના દિનેશભાઈ પટેલ, ચંદુભાઈ હુંબલ, વિરજીભાઈ રાદડિયા, કેશુભાઈ પટેલ(પીપલાણા), રાજકોટની આજુબાજુના ગૌશાળાના સંચાલક્શ્રીઓ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
અત્રે ઉલેખનીય છે કે, રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નિયમીત આવકનું સાધન નથી, સંસ્થા સંપૂર્ણપણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. પ્રવર્તમાન મોંઘવારીના સ્થિતિના હિસાબે, ગૌ સેવા–જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. કિશાન ગૌશાળા દ્વારા ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે ગૌમૂત્ર, જુની પડતર છાશ, જીવામૃત, ઘનજીવામૃત વિગેરે રાહત ભાવે બનાવી આપવામાં આવે છે તેમજ કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અભિયાન ચલાવવામાં આવે છે જેમા ખેડૂતોને ફળાઉ વૃક્ષો, દેશી વૃક્ષો વાવવા તેમજ ઔષધીય વૃક્ષો વાવવા અને શાકભાજી વાવવા તથા ડ્રીપથી પાણી આપવા માટે પાણી બચત થાય તે માટે ખેતરના શેઢે ખેત તલાવડી કરવા સહિતની ઓર્ગેનીક ખેતી માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી માટેનું કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા એક મોડલ ફાર્મ પણ થોરાળા ગામ ખાતે તૈયાર કરવામાં આવેલ છે જેમાં કોઈપણ ખેડૂત જો રૂબરૂ મુલાકાત લ્યે તો પ્રાકૃતિક ખેતી શું છે અને કેવી રીતે થઈ શકે તે જાણી શકાય.
કાર્યક્રમને સફળ બનાવવા માટે કિશાન ગૌશાળાના પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, કિશોરભાઈ વરસાણી, પ્રવિણભાઈ વસોયા, જયંતીભાઈ તારપરા, રસીકભાઈ વોરા, સંજયભાઈ, ભરતભાઈ, દિલીપભાઈ બરાસરા, રાજુભાઈ ચોવટીયા, ખોડીદાસભાઈ નંદાણીયા, રમેશભાઈ મોલીયા,અશોકભાઈ (ઉમેશ સ્ટેશનરી ગ્રુપ), ભરતભાઈ, ગોરધનભાઈ ચૌધરી, તુલસીભાઈ મુંગરા, બાબુભાઈ મુંગરા, ભરતભાઈ પરસાણા, ચંદુભાઈ કથીરીયા, સુરેશભાઈ કથીરીયા, ચંદ્રેશભાઈ વેકરીયા, મનસુખભાઈ રૈયાણી, લલીતભાઈ ગોંડલીયા, જયેશભાઈ કોટડીયા, અક્ષર હાર્ડવેર ગ્રુપ (મવડી), દિનેશભાઈ સખીયા, દેવશીભાઈ બુસા, રજનીભાઈ તળાવીયા, રાજુભાઈ ગઢીયા, દિલીપભાઈ ગઢીયા, મહેશભાઈ સંખાવરા, હરેશભાઈ બારસીયા, હસુભાઈ ગઢીયા, જલ્પેશભાઈ કાનાણી, વિરલભાઈ પાદરીયા, મયુરભાઈ પાદરીયા, નૈમીષભાઈ રામાણી, રમેશભાઈ કાછડીયા, શૈલેષભાઈ રંગાણી, વિપુલભાઈ ડોબરીયા, સુરેશભાઈ અમીપરા, મહેન્દ્રભાઈ મુંગરા, વરૂણભાઈ સીદપરા, રીકીનભાઈ આસોદરીયા, જયેશભાઈ કમાણી, કૈલાશભાઈ દેવડા, કાનજીભાઈ ભાગીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે આવેલ ‘કિશાન ગૌશાળા’, અંગેની વિશેષ માહિતી માટે ચંદ્રેશભાઈ પટેલ (મો.નં. ૯૭૨૫૨ ૧૯૭૬૧) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.