#Blog

જૈન આચાર્ય લોકેશજી અને દિલ્હીની મુખ્યમંત્રી વચ્ચે પૂજ્ય મોરારી બાપૂની દિલ્હી ખાતે યોજાનારી રામકથા અંગે ચર્ચા કરી

પૂજ્ય મોરારી બાપૂના શ્રીમુખેથી રામકથા શ્રવણ કરવું સૌભાગ્યની બાબત – મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી

અમેરિકા, બ્રિટન સહિત વિવિધ દેશો તથા ભારતના અનેક રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ભાગ લેશે – આચાર્ય લોકેશજી

અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ દિલ્હીની મુખ્યમંત્રી માનનીય શ્રીમતી રેખા ગુપ્તાજી સાથે મુલાકાત કરી અને 17 થી 25 જાન્યુઆરી દરમિયાન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાનારી પૂજ્ય મોરારી બાપૂની નવદિવસીય રામકથા અંગે વિગતવાર માહિતી આપી.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાએ જણાવ્યું કે અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક જૈન આચાર્ય દ્વારા રામકથાનું આયોજન થવું એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. તેમણે કહ્યું કે દિલ્હી વાસીઓ માટે આ એક મહાન સૌભાગ્ય છે કે વિશ્વવિખ્યાત પૂજ્ય મોરારી બાપૂના શ્રીમુખેથી રામકથા શ્રવણ કરવાની તક મળશે. તેમણે પોતે પણ કથામાં હાજરી આપવાની ઇચ્છા વ્યક્ત કરી અને બાપૂજી તથા તમામ શ્રદ્ધાળુઓના માન-સન્માન, સુરક્ષા અને વ્યવસ્થાઓ માટે દિલ્હી સરકાર પૂરતું સહકાર આપશે એવી ખાતરી આપી.

રામકથાના આયોજક જૈન આચાર્ય લોકેશજી તથા ભાજપના વરિષ્ઠ નેતા શ્યામ જાજુએ મુખ્યમંત્રીને આમંત્રણ પત્ર પાઠવ્યું, જેને મુખ્યમંત્રીએ સહર્ષ સ્વીકારી અને આચાર્ય લોકેશજીને શુભેચ્છા પાઠવી.

વિશ્વ શાંતિ દૂત આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે પૂજ્ય મોરારી બાપૂ સદભાવનાનો જીવંત ઉદાહરણ છે અને દિલ્હીમાં યોજાનારી રામકથા વિશ્વ શાંતિ તથા સદભાવનાના ક્ષેત્રમાં એક ઐતિહાસિક ઘટના બનશે. ભારત મંડપમમાંથી ભગવાન મહાવીર અને ભગવાન રામના અહિંસા, શાંતિ, સદભાવના, નૈતિકતા અને સંસ્કારના સંદેશો સમગ્ર વિશ્વમાં પ્રસારીત થશે. તેમણે જણાવ્યું કે આ રામકથામાં ભારતના વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષાવિદો, સમાજસેવકો અને વિચારકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

ભાજપના વરિષ્ઠ નેતા શ્યામ જાજુએ જણાવ્યું કે ભારતની રાજધાની દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ, પ્રગતિ મેદાનના મલ્ટીપરપઝ હોલમાં અહિંસા વિશ્વ ભારતી દ્વારા 17 થી 25 જાન્યુઆરી 2026 સુધી રામકથા યોજાશે. 17 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે કથાનો પ્રારંભ થશે અને 18 થી 25 જાન્યુઆરી દરમિયાન દરરોજ સવારે 10 થી બપોરે 1:30 વાગ્યા સુધી કથા ચાલશે. અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, યુએઈ સહિત વિવિધ દેશો અને ભારતના અનેક રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ રામકથા માટે આવી રહ્યા છે. દરરોજ આશરે 4000થી વધુ શ્રદ્ધાળુઓ દેશ-વિદેશમાંથી રામકથાનું શ્રવણ કરવા પહોંચશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *