“ફ્રેન્ડ્સ ઑફ ટ્રાઈબલ્સ સોસાયટી અને એકલ અભિયાન દ્વારા ‘વનબન્ધુ પ્રજ્ઞા સરિતા’ અંતર્ગત આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાનીનું માર્ગદર્શન

આયુર્વેદ, ગૌ આધારિત જ્ઞાન અને ઘરગથ્થુ ઉપચાર પર નવો અભિગમ ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઈબલ્સ સોસાયટી (Friends of Tribals Society) અને એકલ અભિયાન (Ekal Abhiyan) દ્વારા “વનબન્ધુ પ્રજ્ઞા સરિતા” શીર્ષક હેઠળ એક જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આવતી 14મી સપ્ટેમ્બર, 2025ના રોજ, રવિવારે સવારે 11:30 કલાકે ઝૂમ એપ્લિકેશન મારફતે યોજાશે. આ અવસરે મુખ્ય વક્તા […]

14 સપ્ટેમ્બર, હિન્દી દિવસ

સમગ્ર ભારતમાં 1953થી 14 સપ્ટેમ્બરનાં રોજ દર વર્ષે હિન્દી દિવસ મનાવવામાં આવે છે. હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે. હિન્દી વિશ્વની પ્રાચીન, સમૃદ્ધ અને અત્યંત સરળ ભાષા છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે. ભારત અને બીજા દેશોમાં 60 કરોડથી વધારે લોકો હિંદી બોલતા, વાંચતા શીખે છે અને લખે પણ છે. હિંદી ભારતની જ […]

કુદરતે આપેલા સંશાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થઈ જાય છે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની લીધી શુભેચ્છા મુલાકાત. ડો. કુમાર વિશ્વાસની આગામી જલકથા સહિતના ગીરગંગાના જળસંચયના કાર્યોને બિરદાવ્યા. ડો.મનસુખભાઈ માંડવીયાના  વરદ હસ્તે બાલાજી વેફર્સના આર્થીક સહયોગથી બનેલ હીરાબા સ્મૃતિ સરોવરના જલ વધામણા ‘કુદરતે આપેલા સંશાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થતું જાય છે. સૃષ્ટિ સાથે માણસની ક્રૂરતાપૂર્ણ વર્તણૂકથી નવી […]

આચાર્ય લોકેશજી કઝાખસ્તાનમાં વિશ્વ ધર્મ કોંગ્રેસને સંબોધિત કરશે

આચાર્ય લોકેશજીની રશિયા, યુક્રેન, ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના પ્રતિનિધિઓ સાથે યુદ્ધવિરામ પર ચર્ચા થશે વિશ્વ ધર્મ કોંગ્રેસમાં આચાર્ય લોકેશજી સહિત 60 દેશોના 100થી વધુ ધર્મઆચાર્યો અને જનપ્રતિનિધિઓ સામેલ થશે અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજી કઝાખસ્તાનમાં યોજાનારી ‘વિશ્વ ધર્મ કોંગ્રેસ’ને સંબોધિત કરશે. યુક્રેન-રશિયા, ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના યુદ્ધ અને વિશ્વમાં વધી રહેલી ધાર્મિક […]

દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ભાસ્કરભાઈ પારેખ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન

દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, રેલ્વે પાસ નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને […]

કિશાન ગૌશાળા દ્વારા સંતો—મહંતોના હસ્તે રાજકોટ જીલ્લાની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા ગૌશાળા–પાંજરાપોળોના સંચાલકોનું સન્માન કાર્યક્રમ અને અનેક આગેવાનોને તેમજ સૌરાષ્ટ્ર કચ્છની તમામ ગૌપ્રેમી અને ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવાયુ છે.

કિશાન ગૌશાળા દ્વારા સંતો-મહંતોના હસ્તે રાજકોટ જીલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોનું ભરૂડીયા, તા. રાપર જી. કચ્છના એકલધામ આશ્રમના, દેવનાથબાપુના સાનીધ્યમાં સન્માન કાર્યક્રમનું તા.14, સપ્ટેમ્બર, રવીવારના રોજ સાંજે 04-00 કલાકેથી આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયે પધારનાર સૌ માટે ભોજન-પ્રસાદનું આયોજન કરાયું છે. ગાય આધારીત ગૌશાળામાં બનતી પ્રાકૃતિક ખેતી પ્રોડકટસનું લાઈવ બતાવવામાં […]

ડીસેમ્બરમાં રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસ કરશે ત્રણ દિવસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’

જળસંચય માટે 1,11,111 સ્ટ્રકચર બનાવવા સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું ભગીરથ આયોજન કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલ, ડો. ભરતભાઈ બોઘરા અને દિલીપભાઈ સખિયા સાથેની બેઠકમાં કથા માટે  ડો. કુમાર વિશ્વાસની સહમતી આગામી 15, 16 અને 17 ડીસેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર જલકથાને લઈને ભારે ઉત્સાહ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય માટેની અથાગ મહેનતના પરિણામ સ્વરૂપ સૌરાષ્ટ્રની કાયાપલટનો […]

ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર(ચ્છ), એન્કરવાલા અહિંસાધામ દ્વારા ”એક શામ ગૌમાતા કે નામ”  સુપરહીટ સદાબહાર ગીતોનો સથવારો મ્યુઝીક્લ નાઈટનું તા. 15, સપ્ટેમ્બરના રોજ આયોજન

સુપ્રસિધ્ધ કલાકાર અમિત જાધવ પોતાના સુમધુર કંઠ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. ભારતભરમાં એક અજોડ જોવા જેવું 600 એકરમાં 10 લાખ વૃક્ષોનું નંદનવન બની રહ્યું છે. જે છેલ્લા 34 વર્ષથી જીવદયા તથા પર્યાવરણ પર કાર્ય કરતી અનોખી સંસ્થા તથા 2900 થી વધુ અબોલ, અશક્ત, અપંગ, નિરાધાર, પશુ-પક્ષીઓને આશ્રય આપતું ધામ એટલે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, […]

માં નવદુર્ગાની આરાધના કરવાનું દેશનું સૌથી મોટું પર્વ નવરાત્રી અને દશેરા નિમીતે કતલખાનાઓ બંધ રાખવા ગુજરાત સરકારને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

ભારત દેશનું સૌથી મોટું ધાર્મિક પર્વ એટલે કે માં નવદુર્ગાની આરાધના કરવાનું પર્વ નવરાત્રી અને તેના તરત પાછળ આવતો દશેરાનો પર્વ, જે સત્ય પર અસ્થ્યાનો વિજય, માતૃશક્તિની ઉપાસના અને સાત્વિકતાનો સંદેશ આપે છે. આ પર્વ દરમિયાન કરોડો ભક્તો ઉપવાસ, ભક્તિ, જગરણ, ભજન – કીર્તન તથા સામૂહિક ગરબા, ડાંડીયાના કાર્યક્રમોમાં જોડાઈ સમગ્ર વાતાવરણને પાવન અને પવિત્ર […]

10 સપ્ટેમ્બર, આત્મહત્યા નિવારણ દિવસ

આજે દિવસે દિવસે વધતા જતા તણાવને કારણે દુનિયાભરમાં આત્મહત્યાના કિસ્સા વધતા જઈ રહ્યા છે ત્યારે તેને રોકવા ખૂબ જ જરૂરી છે. આ માટે લોકોને જાગૃત કરવા માટેના ઉદ્દેશ્યથી દર વર્ષે 10 સપ્ટેમ્બરે ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ ઉજવવામાં આવે છે. આત્મહત્યા પાછળ હંમેશા મનોચિકિત્સક, સામાજીક, આર્થિક, પરિવારિક અને વ્યક્તિગત કારણ હોય છે. આત્મહત્યાને રોકવા કે આત્મહત્યાનાં […]