7 જૂન “વિશ્વ ખાદ્ય સલામતી દિવસ”
“વિશ્વ ખાદ્ય સલામતી દિવસ” નિમિત્તે વિશેષ અપીલ – ગૌઆધારિત ખાદ્ય પદ્ધતિઓ અપનાવીએ, આરોગ્યમય અને રાસાયણિક મુક્ત જીવન જીવીએ
ગૌ આધારિત કૃષિ મૉડલ વિશ્વસનીય અને શાશ્વત વિકલ્પ : ડો. વલ્લભભાઈ કથીરિયા
દર વર્ષે 7 જૂને વિશ્વભરમાં “વિશ્વ ખાદ્ય સલામતી દિવસ” મનાવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ માનવ આરોગ્ય માટે ખોરાકની ગુણવત્તા અને સલામતી જાળવવી છે. આ અવસરે ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા સમાજમાં ગૌઆધારિત ઓર્ગેનિક ઉત્પાદન અને નૈસર્ગિક ખેતીના માધ્યમથી સુરક્ષિત અને પોષણયુક્ત ખોરાક પ્રદાન કરવા અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ખાદ્ય સલામતી માટે આપણું પરંપરાગત ગૌ આધારિત કૃષિ મૉડલ જ સૌથી વિશ્વસનીય અને શાશ્વત વિકલ્પ છે. આ પ્રસંગે ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા જનતાને ખાદ્ય સલામતી અને આરોગ્ય માટે ઓર્ગેનિક તથા ગૌઆધારિત પદાર્થોના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અત્યારે કૃત્રિમ ખાતર, ઝેરી દવાઓ અને કેમિકલ આધારિત ખેતપદાર્થોનું વધતું પ્રમાણ ખાદ્ય સલામતી માટે ગંભીર ચિંતા બની રહી છે. તેવા સમયે ઓર્ગેનિક ખેતી અને પંચગવ્ય આધારિત ખેતી માનવ અને પૃથ્વી બંને માટે ફાયદાકારક છે. જી.સી.સી.આઈના સ્થાપક, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ જણાવ્યું કે સાચી ખાદ્ય સુરક્ષા ત્યારે જ શક્ય છે જ્યારે આપણે જમીનને જિવંત રાખીને, રાસાયણિક મુક્ત ખેતી દ્વારા ખોરાક ઉત્પન્ન કરીએ. ગૌમાતાના ગોબર અને ગૌમુત્ર થી બનતા ઘનજીવામૃત, જીવામૃત, લિકવીડ બાયો ફર્ટિલાઇઝર ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી માટે અમૃતસમાન છે. માનવજાતના આરોગ્ય સાથે સાથે આ પદ્ધતિ પર્યાવરણને પણ બચાવે છે. GCCI દ્વારા વિશ્વ ખાદ્ય સલામતી દિવસે સમગ્ર દેશને અપીલ કરવામાં આવે છે કે તેઓ ઓર્ગેનિક અને ગૌઆધારિત પદાર્થોની પસંદગી કરીને પોતાનું આરોગ્ય અને ધરતીમાતા બંનેને સુરક્ષિત રાખે. આગામી પહેલ વિશે વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.