#Blog

ભુખલી-સાંથલી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના જતન માટે મિટિંગનું આયોજન.

અમરેલી જીલ્લાનું કુંકાવાવ તાલુકાનું ભુખલી-સાંથલી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવેલ. આ મીટીંગમાં ગ્રામજનો, ખેડૂતો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિતિ રહયા હતા. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું મહત્વ, તેનો સંગ્રહ અને જમીનના સ્તરને ઊંચા લાવવા માટે ચેકડેમ કેવી રીતે અસરકારક છે, તે અંગે ગામ લોકોને માર્ગદર્શન આપ્યું. તેમણે સમજાવ્યું કે ચેકડેમથી જળસ્તર ઉંચું આવશે, વરસાદી જળનો સંગ્રહ કરવાથી જમીનના અંદરના પાણીનું સ્તર વધશે, ખેતી માટે સતત પાણી ઉપલબ્ધ રહેશે, ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતો એક કરતા વધુ સિઝનમાં ખેતી કરી શકશે. અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૫૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ-પક્ષી અને જીવ-જંતુ સર્વેની રક્ષા થઈ રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ મીટીંગમાં ભુથલી- સાંથલી ગામના સરપંચ શ્રી કાનજીભાઈ વધાસીયા, ધનશ્યામભાઈ દુધાત, વેલજીભાઈ નશીત, કલ્પેશભાઈ વધાસીયા, અશ્વિનભાઈ વધાસીયા, અરવિંદભાઈ લાવડીયા, રમેશભાઈ ધનાણી, અરવિંદભાઈ ડોબરીયા, વિપુલભાઈ વસાણી, લાલજીભાઈ ભુવા, જયસુખભાઈ ગજેરા, તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે ભાઈઓ હાજર રહયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *