#Blog

જૈન આચાર્ય લોકેશજી એ રિપબ્લિક ભારત સંવાદને સંબોધિત કર્યું

ભગવાન શ્રી રામનું અપમાન હિંદુસ્તાન સહન નહીં કરે – જૈન આચાર્ય લોકેશજી

અમીશ ત્રિપાઠીની પુસ્તકમાં સીતા, રામ, લક્ષ્મણનું અપમાન અતિ આપત્તિજનક – આચાર્ય લોકેશજી

અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ રિપબ્લિક ભારત સંવાદને સંબોધતા જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ આપણું ગૌરવ છે, એ જ અમારી ઓળખ છે. શ્રી રામ, માતા સીતા, ભરત અને લક્ષ્મણ જે સનાતનની ઓળખ છે તેમનો અપમાન ભારત કદી સહન નહીં કરે. વિશ્વ શાંતિદૂત આચાર્ય લોકેશજીએ કહ્યું કે અમીશ ત્રિપાઠીની પુસ્તકમાં ભારતીય સંસ્કૃતિને જે રીતે તોડમરોડ કરીને રજૂ કરવામાં આવી છે તે અત્યંત આપત્તિજનક છે. અમીશજીએ સ્પષ્ટ કરવું જોઈએ કે તેમણે જે લખ્યું છે જેમ કે – “રામ મનમાં વિચારે છે કે ભરતની પાંચમી ગર્લફ્રેન્ડ”, “મંથરાની દીકરીનો ગેંગરેપ”, “સીતા અને જટાયુ વચ્ચે રિવર્સ સેક્સિઝમ પર ચર્ચા” – તે આપત્તિજનક છે કે નહીં? આચાર્ય લોકેશજીએ કહ્યું કે મારી દ્રષ્ટિએ આ ઘોર આપત્તિજનક છે અને તેમણે પોતાની પુસ્તક પાછી ખેંચવી જોઈએ. લેખકો અને ફિલ્મકારોએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે યુવા પેઢી સુધી અમારી સંસ્કૃતિને તેઓ કયા સ્વરૂપે પહોંચાડે છે. ભારત સંવાદને સંબોધતા આચાર્ય લોકેશજીએ આગળ કહ્યું કે ભગવાન મહાવીરે 2600 વર્ષ પહેલાં જ જાતિવાદ વિરુદ્ધ ક્રાંતિ કરી હતી. તેમણે જણાવ્યું કે “મનુષ્ય જન્મથી નહીં, કર્મથી મહાન બને છે.” તેમણે કહ્યું કે “ક્ષમા વીરસે ભૂષણમ્” જૈન ધર્મનો પર્યુષણ મહાપર્વ ચાલી રહ્યો છે, આ દરમિયાન આધ્યાત્મિક પ્રગતિ તરફ ધ્યાન આપવું જોઈએ અને ક્ષમા માંગવી તથા આપવી એ એક આધ્યાત્મિક કર્મ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *