#Blog

ગીર ગંગા પરિવારના સહયોગથી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા રેસકોર્સ ખાતે 47 મો રક્તદાન કેમ્પ

ગીર ગંગા પરિવાર દ્વારા આયોજિત જલકથાના ભાગરૂપે લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીનો ભવ્ય કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવાના ઉદ્દેશ્ય સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાત રક્તદાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કરી માનવજીવન બચાવવાની સેવા કરી હતી. આ ઉપરાંત ઉપસ્થિત નાગરિકોએ ચક્ષુદાન, દેહદાન અને સ્કીન ડોનેશન અંગેના સંકલ્પ પત્રો ભરી જનકલ્યાણ ટ્રસ્ટની સેવાભાવી પ્રવૃત્તિઓને વધુ વેગ આપ્યો હતો. આ સમગ્ર આયોજન માટે ગીર ગંગા પરિવાર પ્રત્યે જનકલ્યાણ ટ્રસ્ટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત રેસકોર્સ ખાતે તા. 16-17 ડિસેમ્બરના રોજ યોજાયેલ જલકથા માં જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તા. 16-17 ડિસેમ્બરના રોજ રક્તદાન કેમ્પ ઉપરાંત અંગદન- ચક્ષુદાન – સ્કીન ડોનેશન – દેહદાન પત્રો સાંજના 06:00 વાગ્યાથી રાત્રીના 11:00 કલાક સુધી ભરવામાં આવશે.       

કાર્યક્રમમાં ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા સાથે પ્રદીપભાઈ પંડ્યા, અતુલભાઈ શાહ, કૌશિકભાઈ, પ્રશાંતભાઈ સહિતના આગેવાનોએ સહયોગ આપ્યો હતો. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 785-ચક્ષુદાન, 44-સ્કીન ડોનેશન તથા 61-દેહદાન થયેલ છે. ચક્ષુદાન, દેહદાન તથા સ્કીન ડોનેશન અંગેની વિશેષ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા (મો.94285 06011) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *