જીવદયા-ગૌસેવાના ક્ષેત્રમાં અન્ય સંસ્થાઓનેજોડાવા કરુણા ફાઉન્ડેશન દ્વારા અપીલ

સમયસર સારવારના અભાવે, પક્ષીઓના રહેઠાણના અભાવે રાજયભરમાં દર વર્ષે લાખો અબોલ જીવો અકાળે મૃત્યુ પામે છે.
કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા જીવદયા -ગૌસેવાના ક્ષેત્રમાં અન્ય સંસ્થાઓને જોડાવા અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં અન્ય સ્થળોએ વધુ નિઃશુલ્ક ટોક્ન દરે પશુ દવાખાનાઓ અને હોસ્પિટલ, વધુ નિઃશુલ્ક/ટોકનદરે પશુ- પક્ષીઓ સારવાર એમ્બ્યુલન્સ, પશુ-પક્ષી આશ્રય સ્થાન (શેલ્ટર), ગૌશાળા-પાંજરાપોળ, અબોલ જીવોનાં અન્નક્ષેત્ર, બર્ડ હોસ્પિટલની તાતી જરૂરિયાત છે પરંતુ અપૂરતા સાધનો, અનુદાન, વ્યવસ્થા, કાર્યકર્તાઓ, મેનેજમેન્ટને લઈને બધે પહોંચવું અશક્ય જ છે. જેને લઈને અનેક જીવોનાં જીવન જોખમાય છે. જો કોઈ સેવાકીય સંસ્થાઓ નિઃશુલ્ક પશુ દવાખાનાઓ, વધુ નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર એમ્બ્યુલન્સ, પશુ- પક્ષી આશ્રય સ્થાન, ગૌશાળા-પાંજરાપોળ, અબોલ જીવોના અન્નક્ષેત્ર, બર્ડ હોસ્પિટલ ખોલવા ઈચ્છે તો સંપૂર્ણ તકનિકી સહાય અને માર્ગદર્શન સંસ્થા દ્વારા આપવામાં આવશે. રાજયભરમાં આવી કોઈ વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે લાખો અબોલ જીવો અકાળે મૃત્યુ પામે છે. આવી વ્યવસ્થા જો ગુજરાતના શહેરો, તાલુકાઓમાં કરવામાં આવે તો આસપાસ ૨૫ થી ૩૦ કીલોમીટરના વિસ્તારમાં જો કોઈ અબોલ જીવોને તાત્કાલીક સારવારની જરૂર પડે તો તેની વ્યવસ્થા કરી શકાય અને સાથમાં જ પક્ષીઘરની પણ વ્યવસ્થા કરવી જોઈએ જેથી પક્ષીઓ પણ સારવારના અભાવે મૃત્યુથી બચી શકે અને મુંગા અબોલ પશુ-પક્ષીઓને સાતા આપી શકાય. વધુ માહિતી માટે હેમલ કપાસી (મો. 98245 68606), પ્રતિક સંઘાણી (મો. 99980 30393) પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.