સંતો-મહંતોનાં વરદહસ્તે પ્રથમ નોરતેસાયલા મહાજન પાંજરાપોળ ખાતે ‘એનીમલ હોસ્પીટલ’ નું ખાતમુહર્ત કરાયું .

‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2 એકર જગ્યામાં સાડા સાત કરોડના માતબર ખર્ચે થશે ‘એનીમલ હોસ્પીટલ’ નું થશે નિર્માણ.
હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે.
અનેક જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા.
સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ 100 કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર માટેની સુવિધાવાળી એનીમલ હોસ્પિટલ નથી અને આને લીધે લાખો જીવો સારવારનાં અભાવે મૃત્યુ પામે છે. આથી સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ઘાયલ / માંદા પશુઓને સમયસર અદ્યતન સારવાર આપવાના હેતુથી અંદાજિત 7.50 કરોડ રૂ. ના ખર્ચે (ઓપરેશન થીએટર, ICU, X-RAY, USG PHYSIOTHARAPY ની સુવિધા સહિતનું) આશરે 2-એકર જગ્યામાં એનીમલ હોસ્પિટલનું નવનિર્માણ કરવાનું આયોજન કરાયું હતું . ‘એનીમલ હોસ્પીટલ’ બનવાથી હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે. વિડ સંકુલ, સુદામડા રોડ, ખાતે આવેલ ‘સાયલા મહાજન પાંજરાપોળમાં સંતો-મહંતોનાં વરદહસ્તે સાયલા ‘એનીમલ હોસ્પીટલ‘ નું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.
‘એનીમલ હોસ્પિટલ’ નું નવનિર્માણનાં ખાતમુહૂર્ત સાયલાના લાલજી મહારાજ ની જગ્યા ના મહંત શ્રી મહામંડલેશ્વર પૂજ્ય ૧૦૦૮ દુર્ગાદાસજી મહારાજ, લીંબડી મોટા મંદિર ના મહંત શ્રી મહામંડલેશ્વર પૂજ્ય ૧૦૦૮ લલિતકિશોરદાસજી મહારાજ, દૂધઈ વડવાળા જગ્યા મહંત શ્રી મહામંડલેશ્વર પૂજ્ય ૧૦૦૮ રામબાળકદાસજી મહારાજ, લોમેવધામ ધજાળા મહંત શ્રી ભરત બાપુ, ભાઈશ્રી નલીનભાઈ કોઠારી (રાજ્શોભાગ આશ્રમ, સાયલા) નાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
‘એનીમલ હોસ્પિટલ’ નું નવનિર્માણનાં ખાતમુહૂર્ત પ્રસંગે અતિથિ વિશેષ તરીકે નામદાર ઠાકોર સાહેબ સોમરાજસિંહજી મહારાજા (સાયલા સ્ટેટ), નરેન્દ્રભાઈ દુબલ, સરપંચ અજયરાજસિંહ ઝાલા, સાયલા મહાજન પાંજરાપોળના પ્રમુખ જીતુભાઈ શાહ, કિરીટસિંહજી રાણા (ધારાસભ્ય, લીંબડી-સાયલા), હરીનભાઇ જયંતભાઇ ઠાકર તથા શ્રીમતી જશવંતીબેન ઠાકર (UK) (નવનિર્માણ હોસ્પિટલના નામકરણનાં મુખ્ય દાતાશ્રી), જીજ્ઞાબેન સુધાબેન કનૈયાલાલ શાહ (મુંબઇ) (હાઇડ્રોલિક બોલેરો એમ્બ્યુલન્સના દાતા), અજયરાજસિંહજી ઝાલા (સાયલા ગ્રામ પંચાયત સરપંચશ્રી), મિતલ ખેતાણી (એનીમલ વેલફેર બોર્ડ), નરેન્દ્રભાઈ દુબલ (મુંબઈ) (પ્રમુખ શ્રી નાગરિક મંડળ સાયલા-મુંબઇ), રૈયાભાઈ રાઠોડ (પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર ઝોન બ્લેક ટ્રેપ કવોરી એશોશિયન), વિગરે ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.
‘એનીમલ હોસ્પિટલ’ની સહભાગી સંસ્થા શ્રી કરુણા ફાઉડેશન ટ્રસ્ટ, રાજકોટના પ્રતીક સંઘાણી, ધીરૂભાઈ કાનાબાર, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, હેમલભાઈ કપાસી સહિતનાઓની ટીમે સેવા આપી હતી.
સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાના શુભેચ્છકો સાયલા કવોરી એશોશિયન (સાયલા), જામાભાઈ ગરિયા (સુરેન્દ્રનગર સાડી એશોશિયન – પ્રમુખશ્રી), અલ્પેશભાઈ વસાણી, અભીભાઈ સંઘવી, મનુભાઈ સિંધવ (વેપારી મહામંડળ સાયલા – પ્રમુખશ્રી), રજનીભાઈ ડગલી, મંગળુભાઈ ખવડ, સુનીલભાઈ પંજાબી, શાંતિલાલ મિસ્ત્રી,શ્વેતામ્બર મૂર્તિ પૂજક, અજરામર સ્થાનકવાસી, દરીયાપુરી સ્થાનકવાસી, સાયલા જૈન સંઘ, સુરત સંસ્થાના પ્રતિનિધી પ્રકાશભાઈ જે. શાહ, હરીભાઈ પટેલ (સુરત જીવદયા ટીમ), હસુભાઈ એચ. શાહ, મહેશભાઈ જે. પટવા, વીરચંદભાઈ એન. શાહ (મુંબઇ સંસ્થા ના પ્રતિનિધીઓ), સાયલા ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ(સાયલા), મોરનીંગ ક્રિકેટ ક્લબનાં સભ્યો (સાયલા), મામલતદાર સાહેબ (સાયલા), તાલુકા વિકાસ અધિકારી (સાયલા), પશુ ચિકત્સા અધિકારી (સાયલા) પોલીસ ઇન્સ્પેકટર સાહેબ (સાયલા), નાયબ ઈજનેર સાહેબ પી. જી. વી. સી. એલ.(સાયલા), સાયલાનાં પત્રકાર મિત્રો તથા સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાનને સાયલા તાલુકાના તમામ ગામોની શુભેચ્છાઓ મળી રહી છે.
સાયલા મહાજન પાંજરાપોળ, વિડ સંકુલ, સાયલા ખાતે થોડા સમય પહેલા યોજાયેલા પશુ આશ્રય શેડના લોકાપર્ણ પ્રસંગે સાયલા મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી જીતુભાઈ શાહે સાયલાની આસપાસના 100 કિલોમીટર અંતરમાં કોઈપણ એનિમલ હોસ્પિટલ નથી. સાયલાની આસપાસ રોડ ઉપર રોજનાં ચાર- પાંચ જીવોનાં અકસ્માત થાય છે. પરંતુ નજીકમાં કોઈ પશું દવાખાનું કે સારવાર માટે વ્યવસ્થા ન હોવાને કારણે નિર્દોષ અબોલ જીવો અકાળે મૃત્યુ પામે છે. જીતુભાઈએ વધુમાં જણાવ્યું હતુ કે, સાયલા વિસ્તારમાં અબોલ જીવો માટે એનીમલ હોસ્પિટલ બનાવવામાં આવે તો હાઈવે પર અકાળે મૃત્યુ પામતા નિર્દોષ અબોલ જીવોને તાત્કાલીક સારવાર મળી રહે અને અકાળે મૃત્યુ પામતા બચી શકે, જીતુભાઈ શાહની આ વાત સાંભળીને ઉપસ્થિત સૌએ તરત જ પોતાના વિચારો રજૂ કરી એનિમલ હોસ્પિટલ બનાવવામાં મદદરૂપ થવા અને જીવદયાના કાર્યમાં સૌને જોડાવવા તત્પરતા દાખવી હતી.
સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાને તથા નવી બની રહેલ ‘એનીમલ હોસ્પીટલ‘ માં દાન આપવા માટે S.B.I. A/c. No. 56110003171, IFSC Code : SBIN0060110 તથા H.D.E.C. A/c. No. 50100028972611, IFSC Code : HDFC0003062 તથા સંસ્થાના PAN Card No. : AACTS76440,ચેક અથવા ડ્રાફટ ‘સાયલા મહાજન પાંજરાપોળ‘ના નામે મોકલવા વિનંતી છે. સંસ્થાને આપવામાં આવતું દાન ઇન્કમટેક્ષની કલમ ૮૦(જી(૫)મુજબ કરમુક્ત છે. દાન આપવા માટે જીતુભાઇ શાહ (મો. 98250 05071) નો સંપર્ક કરવો.
સાયલા મહાજન પાંજરાપોળ પ્રાણી સેવા કેન્દ્ર (વેટરનરી હોસ્પિટલ) નાં નવનિર્માણનાં કાર્ય સફળ બનાવવા માટે સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાનાં વિરેન્દ્રભાઇ મણીલાલ શાહ (પ્રમુખશ્રી – મુંબઇ), જીતેન્દ્રભાઇ રતિલાલ શાહ (ઉપ-પ્રમુખશ્રી – અમદાવાદ), મિતલ ખેતાણી (એનીમલ વેલફેર બોર્ડ), જયંતિલાલ અમૃતલાલ સોલંકી (ટ્રસ્ટીશ્રી – સાયલા), ધીરજલાલ જગજીવન શાહ (ટ્રસ્ટીશ્રી – સાયલા), દિલીપભાઇ શાંતિલાલ શાહ (ટ્રસ્ટીશ્રી – સાયલા), પ્રકાશભાઇ કિર્તીભાઇ શેઠ (ટ્રસ્ટીશ્રી – સાયલા) સહિતની ટીમ જહેમત ઉઠાવી હતી. સાયલા મહાજન પાંજરાપોળની વિશેષ માહિતી માટે જીતુભાઇ શાહ (મો. 98250 05071) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.