ગો સેવા ગતિવિધિ- પૂર્વ કચ્છ જિલ્લા અને રાયમલધામ આશ્રમ- અંજાર દ્વારા અષાઢી બીજ નિમિતે ગોબર સ્નાન કાર્યક્રમ યોજાશે. (માત્ર ભાઈઓ માટે)

ગો સેવા ગતિવિધિ- પૂર્વ કચ્છ જિલ્લા અને રાયમલધામ આશ્રમ- અંજાર દ્વારા અષાઢી બીજ (કચ્છી નવું વર્ષ) નિમિતે ગોબર સ્નાન કાર્યક્રમનું તા. ૨૭-૦૬-૨૦૨૫, શુક્રવારે, સવારે ૬-૩૦ કલાકે થી (માત્ર ભાઈઓ માટે) રાયમલ ધામ આશ્રમ, અંજાર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાયમલ ધામ આશ્રમ, અંજાર ખાતે પહોંચવા માટે https://maps.app.goo.gl/uhKrGBzfJPcfiM5EA લિંક પર ક્લિક કરવાથી લોકેશન પર પહોંચી શકાશે. ગોબર સ્નાનનો લાભ લેવા ઈચ્છુક ૧૨ વર્ષથી ઉપરના ભાઈઓએ તા. ૨૬, જૂન-૨૦૨૫ નાં સાંજ સુધીમાં (મો. 9428081175) તથા (મો. 9825227003) નામ લખાવવું ફરજિયાત છે અને કાર્યક્રમમાં સવારે સમયથી ૧૦ મીનિટ પહેલાં પહોંચવાનું રહેશે. અષાઢી બીજ નિમિતે યોજાનાર ગોબર સ્નાન કાર્યક્રમની ગૌ કથાકાર શાસ્ત્રી ધનેશ્વર જોશી , દીપકભાઈ પટેલ, પ્રવીણભાઈ કેરાસીયા, અશોકભાઈ ચાવડા, રઘુભાઈ વસોયા, પરબતભાઈ ગોરસીયા તથા ગૌભક્તો તડામાર તૈયારીઓ પ્રારંભ કરી દીધી છે. દેશી ગાય માતા ના ગોબર શરીર ઉપર લગાવવાથી શું અનુભૂતિ થાય છે પ્રેક્ટીકલ અનુભવ કરવા માટે ગો સેવા ગતિવિધિ- પૂર્વ કચ્છ જિલ્લા અને રાયમલધામ આશ્રમ- અંજાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, દેશી ગાય માતાના ગોબરથી પધ્ધતિસરનું સ્નાન કરવાથી શરીરને તાત્કાલિક તાજગીના અનુભવ સાથે ચામડી સહિતના અનેક પ્રકારના કયા કયા રોગોમાં લાભ થાય છે તેની સંપૂર્ણ પ્રમાણિત માહિતી આપવામાં આવશે. ભાઈઓના ગોબર સ્નાનના અનુભવના આધારે બહેનો પોતાને ઘેર આ પ્રયોગ કરી શકે છે. ગો સેવા ગતિવિધિ- પૂર્વ કચ્છ જિલ્લા અને રાયમલધામ આશ્રમ- અંજાર દ્વારા અષાઢી બીજ નિમિતે ગોબર સ્નાન કાર્યક્રમની વિષેશ માહિતી તથા નામ નોંધાવવા માટે મેઘજીભાઈ હિરાણી (મો. 9428081175), દીપકભાઈ પટેલ (મો. 9825227003) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.