#Blog

‘સાધુ વાસવાણી જયંતી’ નિમીતે નોનવેજના વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

સમગ્ર વિશ્વમાં તા.25/11/2025, (મંગળવાર)નાં દિવસે ‘સાધુ વાસવાણી જયંતી’ ઉજવવામાં આવે છે. સાધુ વાસવાણી જન્મ જયંતી ‘આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે’ તરીકે ઉજવણી થાય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સને—૧૯૮૬ થી સાધુ વાસવાણીજીની જન્મ જયંતીના દિવસે ‘આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે’ પ્રાણીઓઓની હત્યાને બચાવવા અને અટકાવવા માટે અને શાકાહારી જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે. ‘સાધુ વાસવાણી જયંતી’ નિમીતે રાજ્યના કતલખાના, ઈંડા, માંસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા રજુઆત કરવામાં આવી છે. આ દિવસોની પવિત્રતા ધ્યાનમાં લઈને જાહેર કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્છીનાં વેપાર સદંતર બંધ રાખવા સમસ્ત જનતા વતી ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ મહેતા દ્વારા જીવદયા પ્રેમી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *