કોર્પોરેટ ટ્રેનર મનોજભાઈ કલ્યાણી દ્વારા ઓનલાઈન કોમ્યુનિકેશન સ્કીલ્સ સેશનનું આયોજન, રાજકોટ તેમજ ઓનલાઈન તમામ પ્લેટફોર્મ પર તા.20 સપ્ટેમ્બર, શનીવારના રોજ સાંજે 05:00 વાગ્યે વિશિષ્ટ માર્ગદર્શન

મનોજભાઈ કલ્યાણી એક અનુભવી કોર્પોરેટ ટ્રેનર, એન્કર અને ઇન્ટરવ્યુઅર છે, જેમણે 33 વર્ષથી વધુનો વિવિધ પ્રકારનો વ્યાવસાયિક અનુભવ મેળવ્યો છે. તેઓ આઈ.આઈ.એમ અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જેને અકાદમિક શ્રેષ્ઠતા અને પ્રાયોગિક અનુભવોને જોડીને ટોંચ સુધીની સફર કરી છે. મનોજભાઈ કલ્યાણીએ 2000થી વધુ લોકોને તાલીમ આપી અને માર્ગદર્શન આપ્યું છે, જેના પરિણામે અનેક વ્યક્તિઓ વધુ મજબૂત કોમ્યુનિકેશન સ્કીલ્સ, અને કૌશલ્યો સાથે સશક્ત બન્યા છે. NLP સર્ટિફાઈડ કોચ અને DISC સર્ટિફાઈડ પ્રોફેશનલ તરીકે મનોજભાઈ કલ્યાણી પોતાના બહોળા અનુભવ સાથે જોડે છે અને પોતે તાલીમ ક્ષેત્રોમાં તેની અસરકારક અમલીકરણ કરે છે. મનોજભાઈની આકર્ષક હાજરી, સરળ સમજાવટ અને પ્રભાવશાળી રજૂઆત તેમને બીજા કરતા વિશિષ્ટ બનાવે છે, જેના કારણે તેમના સુત્રો માત્ર શીખવા પૂરતા નથી રહેતા પરંતુ ભાગ લેનારાઓને ખરેખર જીવનમાં ઉતારવા જેવા છે અને આજની યુવા પેઢીને આત્મવિશ્વાસ, સ્પષ્ટતા તથા હેતુ સાથે આગળ વધવા માટે પ્રેરિત કરે છે. આ ટ્રેનિંગ સેશન એનિમલ હેલ્પલાઈન, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ફેસબુક, યુટ્યુબ તેમજ ઇન્સ્ટાગ્રામઆ દરેક ઓનલાઈન પ્લેટફોર્મ પર તા.20 સપ્ટેમ્બર, શનીવારના રોજ સાંજે 05:00 કલાકે બતાવવામાં આવશે. ઇચ્છુક દરેક વ્યક્તિઓને જોડાવવા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિનંતી કરવામાં આવે છે. મનોજભાઈ કલ્યાણી (મો. 99982 07070)