#Blog

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલ જળ સંચય જાગૃતિ અભિયાનમહારેલી મા રાજકોટની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ જોડાયા

આજનો દિવસ એટલે વિશ્વ જળ દિવસ ખાસ કરીને વાત કરીએ તો જ્યારે આજથી બે મહિના પછી વરસાદની શરૂઆત થવાની શક્યતા હોય તેની પહેલા લોકો યોગ્ય રીતે વરસાદના પાણીને જતન કરી શકે તેવા હેતુથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને સમાજ ના જીવદયા પ્રેમીઓ, ઉદ્યોગપતિઓ, દાતાઓ અને ખાસ કરીને જે દેશનું ભવિષ્ય છે. તેવા સ્કૂલ/ કોલેજના વિદ્યાર્થીઓ આ રેલીમાં વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેવા બેનરો,સ્લોગન અને સૂત્રોચારથી ભવ્ય રેલીનું આયોજન કરેલ.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી રાજકોટ બહુમાળી ભવન પાસે સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ પાસે સભાનું આયોજન કરેલ જેમાં ગુજરાત BJP ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા દ્વારા સર્વે શ્રોતાઓને જણાવેલ કે, માનનીય પ્રધાનમંત્રી ના વિચારોને વેગ આપવા જે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કામ કરી રહ્યું છે, તે દેશ અને પરિવાર ના ભવિષ્ય માટે ખૂબ જરૂરી હોય તો આપ બધા લોકો આ કાર્યમાં પરિવાર સાથે જોડાઓ તેવી અપીલ કરેલ હતી અને ત્યારબાદ રેલીને ફ્લેગ ફરકાવી અને રેલીનું પ્રસ્થાન કરેલ બહુમાળી ભવન થી નીકળી જિલ્લા પંચાયત ચોક કિસાનપરા ચોક બાલભવન ચોક, એરપોર્ટ રોડ ,રેસકોસ ખાતે સમાપન કરવામાં આવેલ.

વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેવા હેતુથી વિશ્વ જળ દિવસે રેલીનું આયોજન કરેલ જેમાં રાજકોટની ગીતાંજલિ કોલેજ, ક્રાઈસ્ટ કોલેજ, પી,ડી.માલવિયા કોલેજ, વિરાણી સ્કૂલ, સર્વોદય સ્કૂલ, સ્વસ્તિક સ્કૂલ, ધ સ્કૂલ ઓફ સાયન્સ, પ્રતિષ્ઠિત સ્કુલ કોલેજના વિધાર્થી અને શિક્ષકોએ ભાગ લીધેલ.

        જાહેર જનતામા જળ સંરક્ષણ વિશે જન જાગૃતિ લાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કાર્ય કરી રહ્યું છે. સમગ્ર ગુજરાતમા સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક ચેકડેમ રીપેરીંગ ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવામાં આવેલ છે. તથા અમારી સંસ્થા દ્વારા બોર રિચાર્જ ની પ્રક્રિયા પણ કરવામાં આવે છે. ઉપરાંત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમ તૈયાર કરવા તથા ૧૧,૧૧૧ બોર રીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે.

 આ રેલીમાં ગુજરાત BJP ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા, રાજકોટ શહેર BJP પ્રમુખ ડૉ. માધવભાઈ દવે, રાજકોટ કોર્પોરેશન ટીપી ચેરમેન ચેતનભાઈ સુરેજા, રાજકોટ BJP મંત્રીશ્રી અશ્વિનભાઈ મોલિયા, એડવેન્ચર નેચરલ ક્લબ ભરતભાઈ સુરેજા, સર કલાસીસ જગદીશભાઈ, સમાજ સેવક કાંતિભાઈ ભૂત, શૈલેશભાઈ જાની (ગીતાંજલિ કોલેજ), ગૌરવભાઈ પટેલ  તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, ગોપાલભાઈ બાલધા, રમેશભાઈ જેતાણી, કિશોરભાઈ કાથરોટિયા, કૌશિકભાઈ સરધારા, સંજયભાઈ ટાંક, હરિભાઈ ચૌહાણ, ચેતનભાઈ કોઠીયા, અમિતભાઈ દેસાઈ, તુષારભાઈ તુલસાણી, મહેશભાઈ સેગલીયા, વગેરે ભાઈઓ તથા બહેનો જોડાયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *