#Blog

સુઝલામ-સુફલામ યોજના અંતર્ગત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ઇશ્વરિયા ગામેબે ચેકડેમના ખાતમુહૂર્ત કરતા પડધરી તાલુકા પંચાયતના પ્રમુખ હેતલબેન ચાવડા.

દિવસે દિવસે પાણીના તળમાંથી પાણી ખેચી રહયા છીએ, તેથી પશુ-પક્ષી, જીવજંતુ અને માનવજાત સાથે પર્યાવરણને ખુબ મોટું નુકસાન થઈ રહયું છે, તેનું કારણ જો કોઈ હોઈ તો તે જમીનના તળમાં પાણીના લેવલ ખુબજ ઊંડે જતા રહયા છે, તેથી વાવેતર અને વૃક્ષોનું પ્રમાણ ખુબ ઘટ્યું છે, આવા સમયે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જીલ્લા અને તાલુકા લેવલે જઈ ગામડે ગામડે વધુમાં વધુ વરસાદનું શુધ્ધ પાણીનું જતન થાઈ જેમકે ખેતરમાં ખેત-તલાવડી કે કુવા-બોર રીચાર્જ કરી શકાય તો ખેતી માટે જોઈતા પાણીથી આત્મનિર્ભર થઈ શકીએ. જેથી કરીને આપણે કયારેય નર્મદા કે સિંધુ નદીઓ પર નિર્ભર ન રેવું પડે તેવા વિચારોથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પાણી બચાવો અભિયાનનું આજે ઈશ્વરીયા ગામના આગેવાનો સાથે રહીને ચેકડેમનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. ડૉ. દેવાંગીબેન જીનીયસભાઈ મૈયડ જણાવેલ કે, ગામડા ગામમાં ઉનાળામાં પાણીની ખુબજ તંગી ઉભી થવાથી ખેડૂતોને પાક ઉત્પાદનમાં ખુબ મુશ્કેલી ઉભી થતી હોઈ છે, પણ ખેડૂતો જાગૃત થાઈ અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્ય સાથે જોડાઈને ચોમાસામાં સરેરાશ ૪૦ થી ૫૦ ઇંચ વરસાદ પડે તે વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે આજે ઈશ્વરીયા ગામ ખાતે ચેકડેમનું ખાતમુહુર્ત થયેલ છે. જેનાથી ગામ લોકોને ખુબ ફાયદો થાશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનમાં અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો.તેમાંથી ૨૭૫ થી વધુ ચેકડેમ પૂર્ણ થઈ ગયા છે. તેમજ ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો પણ સંકલ્પ કરેલ તેમાંથી ૧૪૦૦ થી વધુ રીચાર્જ બોર થઈ ચુક્યા છે.આ રીતે દરેક પ્રસંગો કે સારા કાર્યોની શરૂઆત વરસાદી પાણીનું યોગ્ય જતન કરવાથી થાઈ તો પાણી પ્રશ્ન ખુબ સરળતાથી હલ થઈ જાઈ. ખાતમુહુર્તમાં પડધરી તાલુકા પંચાયત પ્રમુખ હેતલબેન રોહિતભાઈ ચાવડા, આહીર સમાજના આગેવાન રોહિતભાઈ વિક્રમભાઈ ચાવડા, ઇશ્વરિયા ઉપસરપંચ લીઝાબેન વિમલભાઈ ચાવડા, વિમલભાઈ લાભુભાઈ ચાવડા, ડૉ. દેવાંગીબેન જીનીયસભાઈ મૈયડ, અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, ગોપાલભાઈ બાલધા, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *