મોટી કુંકાવાવ ખાતે વરસાદી પાણીના જતન માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું તાલુકા લેવલે કાર્યાલય નો ઉદધાટન સમારોહ યોજાયો

“જળ એજ જીવન” ને સાર્થક બનાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટની મોટી કુકાવાવ ખાતે કાર્યાલય ઉદધાટન કરવામાં આવ્યુ. જેનું નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા શ્રી કૌશિકભાઇ વેકરીયા, અમરેલીના લોકલાડીલા સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, શ્રીમાન ગોબર ભગત કુકાવાવ, લાઠીના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, રાજુલાના પૂર્વ ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર, જિલ્લા પંચાયતના સભ્યશ્રી પ્રભાતભાઈ કોઠીવાળ, શ્રી રામભાઈ સાનેપરા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પરસોત્તમભાઈ હીરપરા, કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખશ્રી વિપુલભાઈ વસાણી, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખશ્રી ગોપાલભાઈ અંટાળા, કુંકાવાવના સરપંચશ્રી સંજયભાઈ લાખાણી (ફોજી) તેમજ દરેક ગામના સરપંચશ્રીઓ તેમજ મહાનુભાવોના વરદ હસ્તે લોકાપૅણ કરવામાં આવ્યું.
જળ શક્તિ મંત્રાલય મંત્રીશ્રી સી.આર. પાટીલ સાહેબ વીડિઓ દ્વારા લાઈવ હાજર રહીને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કાર્યાલય ના લોકાર્પણમાં જોડાયા હતા અને દરેક અધિકારીઓ અને સાંસદો અને ધારાસભ્યો અને દરેક લોકો હમેશા આ કાર્યને વેગ આપવા જોડાયેલા રહેશે.
નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા શ્રી કૌશિકભાઇ વેકરીયા એ જણાવેલ કે, અમરેલી જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટને કોઈ પણ અર્ચણ ન આવે તેના માટે સરકાર તરફથી સહકાર આપવામાં આવશે જેમાં હાજર રહેલ સંસદ સભ્ય શ્રી અને ધારાસભ્ય શ્રી અને તાલુકા ના આગેવાનોને સાથે રહી આ કાર્યને વેગ આપવા જણાવેલ છે.
દરેક ગામમાં લોકો જાગૃત થાય તો તાલુકા લેવેલે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી અમૃત સમાન શુધ્ધ પાણીનું જતન થાઈ તેવા હેતુથી કાર્યાલય શરુ કરવામાં આવશે. જેનાથી જમીનના પાણીના તળ ઊંચા આવે તો ખેત ઉત્પાદનમાં ખુબ મોટો વધારો થાઈ તેનાથી દેશની આર્થિક સ્મૃધિમાં વધારો થાશે સાથે સાથે પ્રકૃતિનું જતન થવાથી જીવ-જંતુ, પશુ-પક્ષી અને સૃષ્ટિના વાતાવરણમાં ખુબ મોટો ફાયદો થાશે.
અમરેલી જીલ્લાના મોટી કુકાવાવ તાલુકાને પાણીદાર બનાવવા માટે અલગ-અલગ ગામના સમાજની ચિંતા કરતા આગેવાનોને કમિટી બનાવવામાં આવેલ છે, જેમાં અમરેલી જીલ્લાના કન્વીનર અરવિંદભાઈ લાવડીયા, રમેશભાઈ ધાનાણી, અરવિંદભાઈ ડોબરીયા, વિપુલભાઈ વસાણી, ગીરધરભાઈ ગેવરીયા, મનોજભાઈ હાપાણી, લાલજીભાઈ ભુવા, જયસુખભાઈ ગજેરા, અશોકભાઈ હિરાણી, જગદીશભાઈ લુણાગરિયા, ભાવેશભાઈ ગજેરા વગેરે ખંભે ખાંભા મિલાવી પ્રકૃતિની રક્ષા માટે અમૃત સમાન શુધ્ધ વરસાદી પાણીનું જતન થાઈ તેવા હેતુથી ગામડે ગામડે લોકોને જાગૃત કરીને આ કાર્યને આગળ વધારવામાં આવશે. અને હાલમાં અનેક ગામડાઓમાં પાણી બચાવવાના કાર્યો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા થઈ રહયા છે.
અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૫૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ-પક્ષી અને જીવ-જંતુ સર્વેની રક્ષા થઈ રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
આ કાર્યને વેગ આપવા માટે તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની, ગોપાલભાઈ બાલધા, મહેશભાઈ સેગલીયા વગેરે લોકો જેહમત ઉઠાવી રહયા છીએ.