શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનિમલ હેલ્પલાઈન રાજકોટ દ્રારા તા. 07, જૂન, શનિવારના રોજ સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટીડો. ગિરીશ શાહનું“હકારાત્મકતા” વિષય પર સંમેલન યોજાશે.

રસ ધરાવતા સૌને પધારવા જાહેર આમંત્રણ
શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનિમલ હેલ્પલાઈન રાજકોટ દ્વારા તા. 07, જૂન, શનિવારના રોજ ભાભા હોટલ, મહાત્મા ગાંધી મ્યુઝીયમની સામે, પંચનાથ રોડ, રાજકોટ ખાતે બપોરે 11-30 કલાકેથી સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગિરીશ શાહનું “હકારાત્મકતા’ વિષય પર સંમેલન (મણકો-2) યોજાશે. વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિ યાનાં સભ્ય ડો. ગિરીશ શાહ દ્વારા “હકારાત્મકતા“ વિષય પર મોટીવેશનલ સ્પીચ અપાશે. પ્રશ્ન એ નથી કે ધ્યેય મોટું છે, ને ચુકાઈ જાય છે, પ્રશ્ન એ છે કે ધ્યેય જ નાનું છે અને પ્રાપ્ત થઈ જાય છે. કૂવામાંના દેડકાં નહી, સમુદ્રની શાર્ક બનવા માટેનું આત્મબળ પરમાત્માના સથવારે જગાડવાનો, અસ્તિત્વની સાક્ષીએ અને એ જ અસ્તિત્વનાં સથવારે કરવાનો પુણ્ય, પૂર્ણ પ્રયાસ કરવા માટેનું આ સંમેલન છે. આત્મશુધ્ધિ, આત્મસિધ્ધિ થકી દર્દીનારાયણ, દરિદ્ર નારાયણ, અબોલ નારાયણના વૈશ્વિક કલ્યાણ માટેની તકો શોધવા માટેનું આ સંમેલન છે. રસ ધરાવતા સૌને પધારવા જાહેર આમંત્રણ છે. કાર્યક્રમ પૂર્ણ થયે પધારનાર સૌ માટે ભોજનની વ્યવસ્થા રાખેલ છે. આ કાર્યક્રમમાં શહેરની અલગ-અલગ સંસ્થાઓ દ્વારા સેવાની સરવાણી વહાવતા અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા મહાનુભાવો અનુપમ દોશી (વિવેકાનંદ યૂથ ક્લબ), વિજયભાઈ બોરીચા (ગૌ પ્રેમી), ભાગ્યેશભાઈ વોરા ( ફ્રીડમ યુવા ગ્રુપ ), મેહુલભાઇ આચાર્ય ( સંસ્કૃતિ ગુરુકુળ), કુમારપાળ શાહ (સમસ્ત મહાજન), અનિતાબેન શાહ (સ્નેહ ફાઉન્ડેશન), મેહુલભાઈ નથવાણી (અન્નપૂર્ણા સદાવ્રત), મનોજભાઈ ચૌહાણ (શ્રી સદગુરુ ભોજન પ્રસાદ), પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા), ગુલાબભાઈ જાની (સિસ્ટર નિવેદિતા સ્કૂલ), ભાવનાબેન મંડલી (ઓર્ગન ડોનેશન ફાઉડેશન), હિમાંશુભાઈ માંકડ (સેવાવ્રતી), પ્રદીપભાઈ જોબનપુત્રા (ધર્માર્થ રાત્રિ વિધાલય), ડૉ રમેશભાઈ ભાયાણી (લોક વિજ્ઞાન કેન્દ્ર), ભાસ્કરભાઈ પારેખ (દિવ્યાંગ માટેની સેવાવ્રતી), મનુભાઈ મીરાણી (સેવાવ્રતી), ગિરીશભાઈ અકબરી (સમાજ શ્રેષ્ઠ), વિઠ્ઠલભાઈ ઢોલરિયા (સેવાવ્રતી) વિગેરે મહાનુભાવોનું આદરભેર સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ધીરેન્દ્ર કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, પારસભાઈ મહેતા, ગૌરાંગભાઈ ઠકકર વિગેરેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. કાર્યક્રમની અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો.98242 21999), પ્રતિક સંઘાણી (મો.99980 30393), રમેશભાઈ ઠકકર (મો. 9909971116) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.