પ્લેન દુર્ઘટનાના મૃતકોનાં નામે ૧૦ હજાર ઝાડનું વૃક્ષારોપણ

ધારીના દૂધાળા ગામે અનોખી શ્રધ્ધાંજલિ
તાજેતરમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોએ જાન ગુમાવ્યાની ગમખ્વાર ઘટના બની છે. જેનાથી સૌ કોઇ હચમચી ગયા છે. ધારી તાલુકાના દુધાળા ગામે મૃતકોના નામજોગ વૃક્ષોનું વાવેતર કરાયું છે.ધારીના દૂધાળા ગામે અનોખી શ્રધ્ધાંજલિ પ્લેન દુર્ઘટનાના મૃતકોનાં નામે ૧૦ હજાર ઝાડનું વૃક્ષારોપણ તાજેતરમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોએ જાન ગુમાવ્યાની ગમખ્વાર ઘટના બની છે. જેનાથી સૌ કોઇ હચમચી ગયા છે.ધારી તાલુકાના દુધાળા ગામે મૃતકોના નામજોગ વૃક્ષોનું વાવેતર કરાયું છે.ધારી તાલુકાના દુધાળા ગામે સુરતના પી.પી. સવાણી ગ્રુપના ઉપક્રમે પ્લેન દુર્ઘટનાના મૃતાત્માની શાંતિ અને સ્મરણાર્થે અનોખી શ્રધ્ધાંજલી અર્પણ કરી ૧૦૨ વીઘા જમીનમાં દસ હજાર વૃક્ષોનું રોપણ કરાયું છે. સ્વ. વિજયભાઇ રૂપાણી અને તમામ મૃતકોના નામ જોગ ઝાડનું વાવેતર કર્યું છે. આ તકે વન અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.