UGVCL ના આર્થિક સહયોગથી અરવલ્લી જીલ્લાનું આટોડીયા અને ઊંડવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાતમુહુર્ત કરાયું.

હાલમાં ૪૬ ડીગ્રી તાપમાન થવાથી પશુ-પક્ષી, જીવજંતુ અને માનવજાત સાથે પર્યાવરણને ખુબ મોટું નુકસાન થઈ રહયું છે, તેનું કારણ જો કોઈ હોઈ તો તે જમીનના તળમાં પાણીના લેવલ ખુબજ ઊંડે જતા રહયા છે, તેથી વાવેતર અને વૃક્ષોનું પ્રમાણ ખુબ ઘટ્યું છે, આવા સમયે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જીલ્લા અને તાલુકા લેવલે જઈ ગામડે ગામડે ખેડૂતો સાથે ગામ લોકોની ગ્રામસભા ભરીને સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ સખીયા દ્વારા વરસાદી શુધ્ધ પાણીનું યોગ્ય જતન કરવા માટે આપણે શુ કરી શકીએ? તો ખેતી માટે જોઈતા પાણીથી આત્મનિર્ભર થઈ શકીએ.જેથી કરીને આપડે કયારેય નર્મદા કે સિંધુ નદીઓ પર નિર્ભર ન રેવું પડે તેથી અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકામાં આટોડીયા અને ઊંડવા ગામ વચ્ચેની નદી ઉપર ગામના આગેવાનો સાથે રહીને ચેકડેમનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનમાં અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો.તેમાંથી ૨૭૫ થી વધુ ચેકડેમ પૂર્ણ થઈ ગયા છે. તેમજ ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો પણ સંકલ્પ કરેલ તેમાંથી ૧૪૦૦ થી વધુ રીચાર્જ બોર થઈ ચુક્યા છે.આ રીતે દરેક પ્રસંગો કે સારા કાર્યોની શરૂઆત વરસાદી પાણીનું યોગ્ય જતન કરવાથી થાઈ તો પાણી પ્રશ્ન ખુબ સરળતાથી હલ થઈ જાઈ. ઉદઘાટનમાં કિસાન સંઘના પ્રમુખ શ્રી કચરાભાઈ પટેલ, APMC મંત્રી શ્રી રમણભાઈ, વાઇસ ચેરમેન ડાયાભાઈ પટેલ, ઉંડવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અને સામાજિક કાર્યકર્તા દીપકકુમાર બી. પટેલ ઉપસ્થિત રહ્યા અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, ગોપાલભાઈ બાલધા, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.