રાજયના જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા ”કરુણા અભિયાન–૨૦૨૫” નાં ૯–કંટ્રોલ રૂમનો જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના હસ્તે વિધિવત પ્રારંભ કરાશે. મુખ્યમંત્રીશ્રીએ ”કરુણા અભિયાન–૨૦૨૫” ને શુભેચ્છા પાઠવી, રૂબરૂ આવવાની પણ શક્યતા.

રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુથવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારાજીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલનામાર્ગદર્શનમાં ‘કરુણા અભિયાન‘ શરૂ કરાશે. તા. ૧૦ મી થી તા. ૨૦/૦૧/૨૦૨૫ દરમ્યાન આ અભિયાન હેઠળ રાજયભરનાં તમામ જિલ્લાકલેકટરની તેમજ મ્યુનિસીપલ કમિશ્નરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલવેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલવિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી આયોજીત ઢબે હાથ ધરાશે. આઅભિયાનમાં જીવદયાપ્રેમીઓ અને જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે સંકલન કરવુ અને તેમને જીલ્લા તંત્ર સાથે આ અભિયાનમાંમોટાપાયે સાંકળવુ એ અતિ મહત્વનો અભિગમ રહેશે. આ અન્વયે દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઈન, વિવિધ સ્થળોએ ઓપરેશનથિયેટર તેમજ પક્ષીઓનાં સારવાર કેન્દ્રો ઉભા કરી, ઇજા થયેલ પક્ષીઓને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આઅભિયાનમાં વનવિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ તંત્ર, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA), વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રો, વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજપશુચિકિત્સક અધિકારીઓ, રાજકોટ મહાનગરપાલીકા, માહિતી ખાતુ, ખાનગી વેટરનરી ડોકટરો સહીતનાઓને પણ સામેલ કરવામાં આવેલ છે.
મકર સંક્રાંતીએ પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ‘કરુણા અભિયાન -૨૦૨૫ અંતર્ગત કંટ્રોલરૂમનો રાજકોટનાં જીવદયાપ્રેમી ક્લેક્ટર પ્રભવ જોષીનાં માર્ગદર્શનમાં થશે. જેમાં ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય, નેશનલ એડવાઈઝરી કમિટીનામિતલ ખેતાણી, સમસ્ત મહાજનના ડો. ગીરીશભાઈ શાહ એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, ચંદ્રકાન્તભાઈ શેઠ, ડો.માધવ દવે, જયેશ ઉપાધ્યાય, ચંદેશભાઈ પટેલ, રાહુલ ખીવસરા, ડો. શૈલેષ જાની, કેતન બોરીસાગર તથા સાથી ટીમ પણ ખાસ ઉપસ્થિત રહી સહકારઆપશે.
કરૂણા અભિયાનમાં રાષ્ટ્રસંત નમ્રમૂનિ મહારાજ સાહેબની પ્રેરણા અને આર્શીવાદ પ્રાપ્ત થયા છે તથા સમસ્ત મહાજન, અર્હમ યુવા સેવાગ્રુપ, વર્ધમાન યુવક ગ્રુપ, જૈન સોશ્યિલ ગ્રુપનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે.
‘કરૂણા અભિયાન‘માં જુનાગઢ વેટરનરી કોલેજ તથા આણંદ વેટરનરી કોલેજ, નવસારી વેટરનરી કોલેજ, દાંતીવાડા વેટરનરી કોલેજના નિષ્ણાંત તબીબોનો સહયોગ પ્રાપ્ત થયો છે. શ્રી કરૂણા ક્ષઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન રાજકોટનાં ડો.નિકુંજ પીપળીયા, ડો. દીપસોજીત્રા, ડો. રવી માલવીયા, ડો. અરૂણ ઘીયાડ, ડો. અરવિંદ ગડારા, ડો. હિરેન વીસાણી, ડો. રાજીવ સીંહા તથા સાથી ટીમનાં ૫૦ તબીબોપોતાની સેવા આપશે.
મકર સંક્રાંતીએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા.૧૩, તા.૧૪ તથા ૧૫ જાન્યુઆરી મકર સંક્રાંતીનાં રોજ રાજકોટના(૧) ત્રિકોણબાગ, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪), (૨) બાલક હનુમાન મંદિર પાસે, પેડક રોડ, રાજકોટ(મો.૯૮૯૮૦ ૧૯૦પ૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪) (૩) આત્મીય કોલેજ પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪૯૯૯૫૪), (૪) કિશાનપરા ચોક, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪), (૫) અયોધ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪) તથા (૬) સંસ્થાની કાયમી, નિઃશૂલ્ક એનીમલ હેલ્પલાઇન વેટરનરી હોસ્પિટલ(જુની શ્રીજી ગૌશાળા, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, હોટલ ક્રિષ્નાપાર્ક વાળો સર્વિસ રોડ, ગોંડલ રોડ, વાવડી, રાજકોટ(મો.૯૮૯૮૦૧૯૦પ૯ / ૯૮૯૮૪૯૯૯૫૪), (૭) મોદી સ્કૂલ, પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ (ફોન નં.૦૨૮૧–૨૪૫૭૦૧૯), (૮) શેણી મેમોરીયલ ટ્રસ્ટ (એનીમલ હેલ્પલાઈન શેલ્ટર), શ્રેયાંસ સ્કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર પછી તરત, પ્રિન્સેસસ્કૂલનાં ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ, રાજકોટ (મો.૯૮૯૮૦૧૯૦૫૯ / ૯૮૯૮૪૯૯૯૫૪), (૯) હનુમાન મઢી પાસે, કેન્સરહોસ્પીટલની સામે, રાજકોટ ખાતે એમ કુલ વિશેષ કંટ્રોલરૂમ સવારે ૯ થી રાત્રીના ૭ સુધી શરૂ કરાશે. ‘કરૂણા અભિયાન ૨૦૨૫‘ અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦૩૦૩૯૩) તથા એનીમલ હેલ્પલાઇન (મો-૯૮૯૮૦૧૯૦૫૯/૯૮૯૮૪૯૯૯૫૪) નો સંપર્ક કરવો.