#Blog

વિશ્વ પર્યાવરણ દિવસ એટલેપ્રકૃતિની રક્ષાથી સમગ્ર જીવસૃષ્ટિની રક્ષા સાથે દેશનો વિકાસ

ખાસ વાત કરીએ તો ભારત દેશ માં અને કહેવતો પડી છે જેમાં માનવતાવાદી, જીવદયા પ્રેમી, સંસ્કારી, ઈમાનદારી, ધર્મ પ્રેમી સાથે સાથે ખેતીપ્રધાન દેશ આ બધી કહેવતો હોવા છતાં સૌથી વધુ પ્રદુષણ અને પર્યાવરણના નાશ સાથે અનેક જીવોની હત્યા આજે દિવસે દિવસે આપણે લોકો માત્ર વિકાસના નામે આગળ વધી રહ્યા છીએ એની સાથે અનેક પ્રકારના વિનાશ થઈ રહ્યા છે આપણે ખાસ વાત કરીયે તો આપણે આધુનિકતા તરફ ખૂબ છે ગુજરાતી રીતે બનેલા જંગલો ના વૃક્ષો ને કતલેઆમ કરી ને અનેક મોટા મોટા શહેરો વસાવતા જાઈએ છીએ કુદરતી રીતે વરસાદી પાણીના સ્ત્રોત વોકળાઓ અને નદીઓ ઉપર ત્રાસ ગુજારીએ છીએ જેમ કે શહેર વસાવા માટે અનેક પાણીના વહેણને દફનાવી દેવામાં આવ્યા છે જેનાથી જમીનની અંદર ઉતરતા પાણી બંધ થવાથી વૃક્ષનું પ્રમાણ ખૂબ જ ઘટતું જાય છે વાતાવરણ ખૂબ જ ગરમ થઈ જાય છે તેનાથી અનેક જીવો બીમારીના ભરડામાં આવી જાય છે અને મૃત્યુના મોંમાં ધકેલાઈ જાય છે. આપણે લોકો એવું કહીએ છીએ કે વેસ્ટન કલ્ચર એ ભારતને બરબાદ કરી દીધું છે પણ ખરેખર આપણે જો વિચારીએ તો વિશ્વના અનેક દેશોમાં આપણે ફરવા જઈએ છીએ ત્યાં માત્ર ને માત્ર ચોખાઈ પાણી ના ધોધ અને ઘટાડો જંગલો માટે જઈએ છીએ ત્યાંના ટ્રાફિક ના નિયમો પ્રદુષણ ના નિયમો વૃક્ષ પાણી અને ખોરાક ઉપર કંટ્રોલ આ બધું વિશ્વના અનેક દેશો સંપૂર્ણ રીતે પાલન કરે છે ત્યારે આપણે લોકો આપણા ખોરાકના ઉત્પાદનથી ચાલુ કરીએ તેમાં ખેતીમાં ઝહેરેલી દવાઓ અને ખાતરો નાખવામાં આવે છે ત્યાંથી જ દૂષણો ફેલાય છે તે ખોરાક નાના-મોટા જીવજંતુ પશુ પક્ષીઓ અને માનવ જાતે ખોરાક ખાવાથી બીમારીઓ સાથે મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા છે બીજી વાત વાહનોના પ્રદૂષણ જેમાં સૌથી વધુ છે બીજું ખાદ્ય પદાર્થ ની અંદર ભેળસેળ રાંધેલા ખોરાક ની અંદર ભેળસેળ આવું બધું જો કંઈ થતું હોય તો તે માનવ ધર્મના નામે અલગ અલગ વાળા માં ઘેરાઈ ચૂક્યો છે, અને તેમાં પોતે માનવ ધર્મ ભૂલી ચૂક્યો છે આપણે ઘણીવાર એમ કહેતા હોય છે કે આ પૃથ્વી પર સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું? તો તેમાં માનવ જવાબ આવે છે સાથે એ પણ કહીએ કે સૌથી આ પૃથ્વીનો વિનાશ કરનાર કોણ એમાં પણ એ જ જવાબ આવે કે માણસ તો આપણને બધાને ખબર છે વૃક્ષનો વિનાશ કરીએ પાણીનું જતન ન કરીએ જ્યાં ત્યાં ગંદકીઓ કરીએ આજે પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ બનાવીએ કે ખાદ્ય ખોરાકના ઉત્પાદનમાં કે વેચાણમાં ભેળસેળ કે દવાઓ નાખીએ તો ખરેખર સર્વે જીવોનો બીમારીથી નાશ જ છે, તો આપણે લોકો પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવા માટે સંકલ્પ લઈએ કમસેકમ આપણા પરિવારને શુદ્ધ શ્વાસ લેવા માટે વ્યક્તિ દીઠ એક વૃક્ષ અચૂક વાવી અને ઉછેરીએ આપણા પરિવારે આટલા વર્ષો સુધી જમીનમાંથી પાણી કાઢ્યા જ રાખ્યું છે કાઢી આ જ રાખ્યું છે તો હવે આપણે લોકો આપણા પરિવાર માટે પીવાની જરૂરિયાત પ્રમાણે વરસાદનું પાણી અગાસી પરથી ટાંકામાં અને તેનું ઓવરફ્લો થયેલું પાણી બોરની અંદર ઉતારીએ આપણે લોકો જ્યાં ત્યાં ગંદકી ન કરીએ અને બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ જેનાથી ધરતીની અંદર પાણીના સ્ત્રોત બંધ ન થાય તે કાળજી રાખીએ જેથી વાતાવરણ પણ ગરમ ન થાય કારણ કે પ્લાસ્ટિક હજારો વર્ષ સુધી ચડતું નથી તો આવો સૌ સાથે મળીને વિશ્વ પર્યાવરણના દિવસે સંકલ્પ કરીએ કે સંપૂર્ણ પરિવાર સાથે પ્રકૃતિના દરેક જીવજંતુ પશુ પક્ષી અને માનવ જાતની રક્ષા સાથે દેશના વિકાસમાં સહભાગી બનવા પંચમહાભૂત ને કોઈપણ જગ્યાએ બને તેટલી હાનિ ઓછી પહોંચાડીએ.

  • પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ (98242 38785)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *