વી.વી.પી કોલેજમાં દરેક ફિલ્ડના વિદ્યાર્થીઓનેવરસાદી પાણીનુ મહત્વ અને જતન માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સેમિનાર યોજાયો.

આજે દિવસે દિવસે આધુનિકતાની દોડમાં પાણીના વપરાશ સાથે બગાડ પણ ખૂબ થઈ રહ્યો છે, આવા સમયે દાતાઓ, ઉદ્યોગપતિઓ સાથે સાથે વિદ્યાર્થીઓ પણ વરસાદી પાણીના યોગ્ય જતન અને મહત્વ સમજે અને સમાજમાં જાતે મળી અને અમલ કરાવે એવા હેતુથી વી.વી.પી એન્જિનિયરિંગ કોલેજમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા દ્વારા વિદ્યાર્થીઓને સમજાવેલ કે બોટલના પાણી નહીં પણ વરસાદના શુદ્ધ પાણીનો ઉપયોગ કરીએ અને આપણા સાથે સમાજને પણ નીરોગી રાખીએ તેના માટે આપણા જીવનમાં આવતા દિવસોમાં જો પાણીને ન બચાવીએ તો આપણું જીવન જીવવું ખૂબ અશક્ય છે, તેના માટે આપણે આપણા આધુનિક ઇલેક્ટ્રોનિક એટલે કે સોશિયલ મીડિયા નો ભરપૂર ઉપયોગ કરી અને વધુમાં વધુ લોકોને જોડીએ તો પાણી પ્રશ્ન હલ કરવામાં મદદ થાય. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ-પક્ષી અને જીવ-જંતુને સર્વેની રક્ષા થઈ રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આચાર્યશ્રી ડૉ. પિયુષ વણઝારા, ડૉ. નિરવ મણિયાર એચઓડી મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, કૌશિકભાઈ શુકલા, ડૉ.નરેન્દ્રભાઈ દવે, ડૉ.સંજીવભાઈ ઓઝા, શ્રી હર્ષલભાઈ મનીયાર, ડૉ.નવીનભાઈ શેઠ, પુજાબેન ધોડાસરા, કિરીટભાઈ ગોહેલ, કલ્પેશભાઈ અહિયાં, ડૉ. જીતેન્દ્ર મહેતા એચ.ઓ.ડી. સિવિલ વિભાગ, ડૉ. પરેશ ધોળકિયા એચ.ઓ.ડી. ઇસી વિભાગ, ડૉ. અલ્પેશ આદેશણા એચ.ઓ.ડી.ઇલેક્ટ્રિકલ વિભાગ, ડૉ.મૌલિક ધામેચા કોમ્પ્યુટર વિભાગ, ડૉ. શ્રેયસ ધુલિયા બાયોટેકનોલોજી વિભાગ, શ્રી કિરીટભાઈ શેઠ હેડ એકાઉન્ટ વિભાગ, શ્રી ચમનભાઈ સિંધવ મિકેનિકલ વિભાગ, ડૉ.હિતેશ આસાણી સિવિલ વિભાગ ના દરેક જવાબદાર પ્રોફેસરો હાજર રહેલ અને વિધાર્થીઓને આ કાર્યને વેગ મળે એવું સમજાવેલ. આ સેમિનારમાં હાજર ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, શૈલેશભાઈ જાની, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, ડૉ.દેવાંગી મૈયડ, વગેરે ભાઈઓ તથા બહેનો હાજર રહયા હતા.