વિશ્વ શાંતિ કેન્દ્રમાં “રાષ્ટ્રીય આરોગ્ય મિશન” અંતર્ગત હરિયાણા આરોગ્ય વિભાગના અધિકારીઓ માટે યોગ શિબિર યોજાઈ

યોગ દ્વારા શારીરિક, માનસિક અને ભાવનાત્મક સંતુલન શક્ય – આચાર્ય લોકેશજી
વિશ્વ શાંતિ કેન્દ્ર હરિયાણાની જનતા માટે એક આશીર્વાદરૂપ છે – સી.એમ.ઓ. ડૉ. અલ્કા સિંહ
રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત હરિયાણા આરોગ્ય વિભાગના અધિકારીઓ માટે યોગ શિબિરનું આયોજન વિશ્વ શાંતિ કેન્દ્ર, ગુરુગ્રામ ખાતે જૈન આચાર્ય લોકેશજીના સાન્નિધ્ય અને યોગ આચાર્ય કરણજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. હરિયાણા આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત યોગ અને ધ્યાન શિબિરને સંબોધતાં આચાર્યશ્રી લોકેશજી એ કહ્યું કે યોગ અને ધ્યાન દ્વારા શારીરિક, માનસિક અને ભાવનાત્મક સંતુલન સાધવું શક્ય છે. યોગ શરીર, મન અને આત્માને એકતૃત કરે છે તેમજ કુદરત સાથે સંમન્વય સ્થાપે છે. યોગમાં શ્વાસસાધન, ધ્યાન અને વિવિધ આસનો શામેલ હોય છે, જે કુદરતી તત્વો સાથે સંતુલન બાંધવામાં મદદરૂપ થાય છે. માનવ, કુદરત અને જીવો પરસ્પર પર આધાર રાખે છે, એટલે અંદર અને બહારનું સંતુલન જાળવીને કુદરતી સંતુલન જાળવવું આપણું ફરજ છે. વિશ્વ શાંતિદૂત આચાર્ય લોકેશજી એ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તરીકે 14 જૂનના રોજ વિશ્વ શાંતિ કેન્દ્રમાં અહિંસા વિશ્વ ભારત સંસ્થા, આયુષ મંત્રાલય અને કેન્દ્રીય યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા સંશોધન પરિષદ (CCRYN)ના સહયોગથી વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અવસરે યોગ આચાર્ય કરણજી એ હાજર અધિકારીઓને વિવિધ આસનો અને પ્રાણાયામ કરાવ્યા અને તેની ઉપયોગિતા તથા લાભ વિશે વિસ્તૃત માહિતી આપી. હરિયાણા રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી ડૉ. અલ્કા સિંહ (સી.એમ.ઓ.), ડૉ. પ્રિયા શર્મા (ડેપ્યુટી સી.એમ.ઓ.), ડૉ. નીલિમા (ડેપ્યુટી સી.એમ.ઓ.) અને ડૉ. રશ્મીએ પોતાના વિચારો રજૂ કર્યા. યોગ શિબિરને સફળ બનાવવા માટે વિનીતકુમાર, દયારામ તથા વિશ્વ શાંતિ કેન્દ્રના તમામ કાર્યકરો દ્વારા પૂરતું સહયોગ આપવામાં આવ્યો.