રામનવમીનાં પવિત્ર દિવસે, તા. 06, એપ્રિલ, રવિવારના રોજ સવારે 09-00 કલાકેથી કિશાન ગૌશાળા દ્વારા ‘કામધેનુ ગૌ યજ્ઞ’ , ગૌ પૂજનનો કાર્યક્રમ યોજાશે.

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં 2300 ગૌમાતાની નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.
સૌ ભાવિકજનો રામ વંદના, મહાઆરતી, ભજન-કીર્તન, રાસ-ગરબાનો આનંદ પણ સહપરિવાર લેશે.
‘કામધેનુ ગૌ યજ્ઞ’ અને ગૌ પૂજનમાં પધારનાર તમામ ભાવિક ભકતો માટે ભોજન-પ્રસાદ-ફળાહારની વ્યવસ્થા, સૌને પધારવા જાહેર આમંત્રણ – ચંદ્રેશભાઈ પટેલ.
રાજ્ય સરકારને ગૌ માતાને દૈનિક, કાયમી સબસીડી રુ. 30 થી વધારી રુ. 100 કરવા સૌ ગૌ સેવકો ની વિનંતી. તે જ રીતે, ગૌમાતાને “રાજ્ય માતા” જાહેર કરવા પણ વિનંતી.
રામનવમીનાં પાવન પર્વ નિમીતે રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે આવેલ કિશાન ગૌશાળામાં તા. 06/04/2025 ને રવિવારના રોજ સવારે 09-00 થી બપોરે 01-00 વાગ્યા સુધી ‘કામધેનુ ગૌ યજ્ઞ’ , ગૌ પૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવશે. સાથમાં જ ભજન, કિર્તન, પ્રવચન, હવન, રામ આરાધના કરાશે. ‘કામધેનુ ગૌ યજ્ઞ’, ગૌ પૂજનમાં આવનાર તમામ ભાવિક ભકતો માટે ભોજન-પ્રસાદ-ફળાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ દિવ્ય અનુષ્ઠાન ગૌસંસ્કૃતિ અને રામ ભક્તિના પ્રસાર માટે રાખવામાં આવ્યું છે. સૌ ભાવિકજનો રામ વંદના, ગૌ આરતી, ગૌમાતા સાથે સેલ્ફી ઝોન, ભજન-કીર્તન, રાસ-ગરબાનો આનંદ પણ સહપરિવાર લેશે. રામ જન્મના વધામણાં સાથે પૂર્ણ પુરષોતમ ભગવાન શ્રીરામની મહાઆરતી અને ગૌઆરતી કરાશે. સાથમાં જ પધારનાર દરેક ગૌભકતને ચકલીનો માળા, પીવાના કુંડા (રામપાતર) નું નિઃશુલ્ક ભેટ આપવામાં આવશે. કિશાન ગૌશાળાનાં ચંદ્રેશભાઈ પટેલ દ્વારા સૌ ધર્મ પ્રેમી જનતાને પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
કિશાન ગૌશાળાનાં ચંદ્રેશભાઈ પટેલ દ્વારા ગુજરાતમાં ગૌમાતાની સંરક્ષણ અને સિદ્ધાંતોને મજબૂત બનાવવા માટે ગાય માતાને “રાજ્ય માતા” નો દરજ્જો આપવામાં આવે, ગૌમાતા પોષણ યોજના અંતર્ગત સબસીડી પ્રતિ પશુ પ્રતિ દિવસની હાલની રુ. 30 આપવામાં આવે છે તેની જગ્યાએ વધતી જતી મોંઘવારી અને ઘાસચારાના ખર્ચને ધ્યાને રાખી તે રુ. 100 પ્રતિ પશુદીઠ, દૈનિક, કાયમી આપવા અંગે તેમજ અલગ ગૌ મંત્રાલય અને પશુ કલ્યાણ મંત્રાલયની રચના પશુઓના સંરક્ષણ અને ગૌશાળાઓના વિકાસ માટે અલગ મંત્રાલય બનાવવા માટે ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવેલ છે.
શ્રીરામ ભગવાને વન પ્રસ્થાન પૂર્વ બ્રાહ્મણોને ગાય દાનમાં આપી હતી,ગાયનું દાન સંપૂર્ણ દોષ નાશક છે. પુરાણોમાં ગાયની ઉત્પત્તિની અનેક કથા જોવા મળે છે. જેમાંથી એક કથા પ્રમાણે, જયારે બ્રહ્માજી એકમુખથી અમૃતપાન કરતા હતાં ત્યારે બીજા મુખમાંથી કેટલાંક અમૃતના ટીપા બહાર આવ્યા હતાં. આ ટીપા વડે સુરભી ગાયની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે, એક બીજા મત પ્રમાણે ગાયની ઉત્પત્તિ સમુદ્રમંથન દરમિયાન ચૌદ રત્ન સાથે થઇ હોવાનું મનાય છે. અન્ય મત મુજબ સુરભી વડે કપિલા ગાયની ઉત્પત્તિ થઈ હતી જેના દૂધ વડે ક્ષીરસાગરનું પ્રાદુર્ભાવ (પ્રગટ થવું) થયું હતું.
ગાયનો વેદ-પુરાણ, જ્યોતિષ, વાસ્તુ અને માનવજીવન સાથે ધાર્મિક સંબંધ શું છે ? હિન્દૂ ધર્મ પ્રમાણે ગાયમાં 33 કોટી દેવી-દેવતા નિવાસ કરે છે. એટલે કે, 33 પ્રકારના દેવતા નિવાસ કરે છે, જેમા 12 આદિત્ય + 8 વસુ + 11 રૂદ્ર + 2 અશ્વિનીનો સમાવેશ થાય છે. એક માન્યતા પ્રમાણે, ગાયમાં કુલ 33 કરોડ દેવી-દેવતા નિવાસ કરે છે. ભગવાન શિવના પ્રિય પાન એવું બીલીપત્રની ઉત્પત્તિ ગાયના ગોબરમાંથી થઈ હતી. ઋગ્વેદમાં ગાયને અધ્નયા કહેવામાં આવે છે. યજુર્વેદમાં અનુપમય કહેવામાં આવે છે. અર્થવેદમાં સંપતિઓનું નિવાસ કહેવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર વૈતરણી પાર કરવા માટે ગાયના પૂજન અને દાનનો મહિમા વર્ણવેલ છે. શ્રાદ્ધ કર્મમાં ગાયનાં દૂધ વડે પિતૃ પૂજનથી પિતૃ તૃપ્ત થાય છે અને સદ્દગતી પામે છે. સ્કંદ પુરાણ અનુસાર ગાય સર્વ-દેવમયી છે. જયારે અન્ય પુરાણ માન્યતા અનુસાર ગાય સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે. ભગવાન શ્રીકૃષ્ણનું જીવન અને જ્ઞાન ગાયના સંગતમાંજ થયેલ છે. ભગવાન રામના પૂર્વજ મહારાજા દિલીપ નંદિની ગાયની પૂજા કરતાં હતાં. ગોપ વ્રત: જે સુખ-સૌભાગ્ય, સંપત્તિને શાંતિથી ભોગવવા માટે બળ પ્રદ છે. ગોવત્સ દ્વાદર્શી: સમસ્ત મનોકામના પૂર્ણ કરવા માટે ગોવર્ધન પૂજા: સમૃદ્ધિ અને વૈભવ હેતુ. ગોત્રીરાત્ર વ્રત: પુત્ર પ્રાપ્તિ અને ગૌ-લોકવાસ હેતુ. ગોપાષ્ટમી: સૌભાગ્ય વૃદ્ધિ હેતુ, પયો વ્રત: દાંપત્યજીવન અને સંતાન સુખ હેતુ આજથી લગભગ 9૦૦૦ વર્ષ પહેલાં ગુરૂ વશિષ્ઠ દ્વારા ગાયના કુળના વૃદ્ધિ હેતુ પ્રયોગ કરેલો તેવું માનવામાં આવે છે. તે વખતે 8 થી 10 ગાયની જાત હતી. જેમાં મુખ્યત્વે કામધેનુ, કપિલા, દેવની, નંદિની, ભૌમા વગેરેનો સમાવેશ થાય છે. ગાયનું દૂધ, મૂત્ર, ગોબરને માનવ તેમના ધાર્મિક અને જીવન ઉપયોગી વસ્તુ તરીકે ઉપયોગમાં લે છે. ગાયના પંચગવ્ય દૂધ, દહીં, ઘી, મૂત્ર અને ગોબર વિશિષ્ટ ધાર્મિક વિધિ-વિધાનમાં ઉપયોગી છે.
ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે, હું ગાયો માં કામધેનુ રૂપ છું. શ્રીરામ ભગવાને વન પ્રસ્થાન પૂર્વ બ્રાહ્મણને ગાય દાનમાં આપી હતી. ભગવાન બુદ્ધ ગાયના દૂધની ખીરપાનથી જ્ઞાન અને મુક્તિનો માર્ગ સુજ્યો હતો. બુદ્ધ ગાયને મનુષ્યની પરમમિત્ર પણ કહે છે. ભગવાન મહાવીર પ્રમાણે ગૌ-રક્ષા વગર માનવરક્ષા અધૂરી છે. કેટલાંક નક્ષત્ર પૂજનમાં શાંતિ હેતુ પૂજન થાય છે. કેટલાંક અશુભ યોગના નિવારણ હેતુ પૂજન થાય છે. ગાયનું દાન સંપૂર્ણ દોષ નાશક છે. ગાયને રોટલી કે ઘાસ પોતાનાં હાથ વડે તેના મુખમાં આપવાથી પુણ્યબળ વધે છે. તેને સ્પર્શ કરવાથી શુભત્વ વધે છે. પાપગ્રહ પીડા નિવારણ અર્થે ગાયને અન્ન આપવાથી અને પૂજા કરવાથી પીડા શાંત થાય છે. ગાયના શુકન ખુબ જ શુભ છે અને કાર્ય સિદ્ધિદાયક ગણાય છે. ગૌચર જમીન ખૂબ શુકનવાળી ગણાય છે. જે જમીન પર ગાય વિશ્રામ કરતી હોય, આરામ કરતી હોય તે જમીન પણ શાંતિવાળી હોય છે. જે જમીનમાં શુભ બળ ઓછું જણાતું હોય, ત્યાં ગાયને લઈ જઇ પૂજા અને થોડાં દિવસ વસવાટ કરવામાં આવે તો જમીન શુદ્ધિ પણ થાય છે. ગાયના પગલાં જે જમીન પર વધુ પડતાં હોય તે જગ્યા સારી ગણાય છે.
અત્રે ઉલેખનીય છે કે, રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નિયમીત આવકનું સાધન નથી, સંસ્થા સંપૂર્ણપણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. પ્રવર્તમાન મોંઘવારીના સ્થિતિના હિસાબે, ગૌ સેવા–જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. કિશાન ગૌશાળા દ્વારા ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે ગૌમૂત્ર, જુની પડતર છાશ, જીવામૃત, ઘનજીવામૃત વિગેરે રાહત ભાવે બનાવી આપવામાં આવે છે તેમજ કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અભિયાન ચલાવવામાં આવે છે જેમા ખેડૂતોને ફળાઉ વૃક્ષો, દેશી વૃક્ષો વાવવા તેમજ ઔષધીય વૃક્ષો વાવવા અને શાકભાજી વાવવા તથા ડ્રીપથી પાણી આપવા માટે પાણી બચત થાય તે માટે ખેતરના શેઢે ખેત તલાવડી કરવા સહિતની ઓર્ગેનીક ખેતી માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી માટેનું કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા એક મોડલ ફાર્મ પણ થોરાળા ગામ ખાતે તૈયાર કરવામાં આવેલ છે જેમાં કોઈપણ ખેડૂત જો રૂબરૂ મુલાકાત કરે તો પ્રાકૃતિક ખેતી શું છે અને કેવી રીતે થઈ શકે તે જાણી શકાય.
રામનવમીનાં પાવન પર્વ નિમીતે રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે આવેલ કિશાન ગૌશાળામાં તા. 06/04/2025 ને રવિવારના રોજ સવારે 09-00 થી બપોરે 01-00 વાગ્યા સુધી ‘કામધેનુ ગૌ યજ્ઞ’ ગૌ પૂજનનાં કાર્યક્રમને સફળ બનાવવા માટે કિશાન ગૌશાળાના પ્રમુખ ચંદેશભાઈ પટેલ, વાલજીબાપા પરસાણા, કિશોરભાઈ વરસાણી, પ્રવિણભાઈ વસોયા, જયંતીભાઈ તારપરા, રસીકભાઈ વોરા, સંજયભાઈ, ભરતભાઈ, દિલીપભાઈ બરાસરા, રાજુભાઈ ચોવટીયા, ખોડીદાસભાઈ નંદાણીયા, રમેશભાઈ મોલીયા,અશોકભાઈ (ઉમેશ સ્ટેશનરી ગ્રુપ), ભરતભાઈ, ગોરધનભાઈ ચૌધરી, તુલસીભાઈ મુંગરા, બાબુભાઈ મુંગરા, ભરતભાઈ પરસાણા, ચંદુભાઈ કથીરીયા, સુરેશભાઈ કથીરીયા, ચંદ્રેશભાઈ વેકરીયા, મનસુખભાઈ રૈયાણી, લલીતભાઈ ગોંડલીયા, જયેશભાઈ કોટડીયા, અક્ષર હાર્ડવેર ગ્રુપ (મવડી), દિનેશભાઈ સખીયા, દેવશીભાઈ બુસા, રજનીભાઈ તળાવીયા, રાજુભાઈ ગઢીયા, દિલીપભાઈ ગઢીયા, મહેશભાઈ સંખાવરા, હરેશભાઈ બારસીયા, હસુભાઈ ગઢીયા, જલ્પેશભાઈ કાનાણી, મયુરભાઈ પાદરીયા, નૈમીષભાઈ રામાણી, રમેશભાઈ કાછડીયા, શૈલેષભાઈ રંગાણી, વિપુલભાઈ ડોબરીયા, સુરેશભાઈ અમીપરા, મહેન્દ્રભાઈ મુંગરા, વરૂણભાઈ સીદપરા, રીકીનભાઈ આસોદરીયા, જયેશભાઈ કમાણી, કૈલાશભાઈ દેવડા, કાનજીભાઈ ભાગીયા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે આવેલ ‘કિશાન ગૌશાળા’, અંગેની વિશેષ માહિતી માટે ચંદ્રેશભાઈ પટેલ (મો.નં. ૯૭૨૫૨ ૧૯૭૬૧) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.