ડો. ગિરિશભાઈ શાહને “ જીવદયા અને અહિંસા” માટે 2025 નો JAINA ગ્લોબલ એવોર્ડ મળ્યો

પશુ કલ્યાણ, પર્યાવરણીય સંરક્ષણ અને માનવીય ઉત્થાન માટેના સમર્પિત જીવનકાર્યનું સન્માન
“દયા એ તે ચલણ છે, જે દરેક જીવને સમૃદ્ધ કરે છે, જેને તે સ્પર્શે છે.” – ડો. ગિરિશભાઈ શાહ
શોમબર્ગ કોન્વેન્શન સેન્ટરમાં થયેલા ભાવનાત્મક સમારોહમાં વિશ્વપ્રખ્યાત પશુ કલ્યાણ કાર્યકર અને દાનવીર ડો. ગિરિશભાઈ શાહને “જીવદયા અને અહિંસા” માટેના 2025 ના JAINA ગ્લોબલ એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ ગૌરવસૂચક એવોર્ડ Jain Associations in North America (JAINA) દ્વારા આયોજિત વૈશ્વિક કન્વેનશન દરમિયાન આપવામાં આવ્યો. ડો. ગિરીશભાઈની અહિંસા પ્રતિની અટળ પ્રતિબદ્ધતા, તેમના દ્રષ્ટિવાન નેતૃત્વ હેઠળની સંસ્થા “સમસ્ત મહાજન” અને ભારતભરના સમુદાયો, પશુઓ અને પર્યાવરણ પરના ઊંડા અને વ્યાપક પ્રભાવ માટે આ સન્માન અપાયું. જૈન મુનિઓ, વિદ્વાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વૈશ્વિક જૈન ડાયસ્પોરાના આગેવાનો સહિત 5 હજાર થી વધુ પ્રતિનિધિઓની હાજરીમાં ડો. ગિરીશભાઈ એ શ્રીમતી કોકિલાબેન (એવોર્ડ સમિતિ અધ્યક્ષ) પાસેથી મરૂન-સોનાનું શિલ્ડ સ્વીકાર્યું . તે સમયે વિશાળ સ્ક્રીન પર ડો. ગિરીશભાઈના જીવનકાર્યની ઝાંખી દર્શાવવામાં આવી હતી. 1981 થી શરૂ થયેલું JAINA કન્વેનશન હવે વિશ્વની સૌથી મોટી જૈન ડાયસ્પોરાની મિટિંગ બની ગયું છે. 2025 ની થીમ “Unity in Diversity, A Path to Peace” દ્વારા પાંચ મુખ્ય જૈન વ્રતો—અહિંસા, અનેકાંતવાદ, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરીગ્રહને વિવિધ સત્રો, યુવા હેકાથોન, મેડિકલ કેમ્પ અને ઈકો-ફ્રેન્ડલી પ્રદર્શન દ્વારા ઉજવવામાં આવ્યા છે. The Federation of Jain Associations in North America (JAINA) એ ઉત્તર અમેરિકા સ્થિત 72 જેટલી જૈન સંસ્થાઓ અને 1, 60, 000 થી વધુ સભ્યોનું મંડળ છે. આ સંસ્થા સંસ્કૃતિ રક્ષા, ધર્મવિશ્વાસ સંવાદ અને માનવસેવામાં પ્રગટ છે. બે વર્ષમાં એક વખત થતું કન્વેનશન જૈન મૂલ્યોની વૈશ્વિક રજૂઆત માટે મંચ પૂરું પાડે છે. ડો. ગિરીશભાઈ શાહ ની એક નાનકડી પહેલથી રાષ્ટ્રીય કલ્યાણના અભિયાનની અત્યાર સુધીની જીવનયાત્રા જોઈએ તો, જૈન મુનિથી પ્રેરિત થઈ “Live and Let Live” ની ભાવનાથી શરૂ થયેલા ડો. ગિરીશભાઈ ના કાર્યમાર્ગે, ૨૦૦૨માં સમસ્ત મહાજનની સ્થાપના થઈ. આ સંસ્થાના માધ્યમથી તેઓએ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં 12000 થી વધુ ગૌશાળા અને પંજરાપોળોને ચારો, દવાઓ અને ઇનફ્રાસ્ટ્રક્ચર માટે સહારો આપ્યો. 1,50,000 એકર બંજર જમીનને હરિયાળી ગૌચરમાં ફેરવી ગ્રામ અર્થતંત્ર, ગ્રાઉન્ડ વોટર અને જૈવિ વૈવિધ્યને પુનઃસ્થાપિત કર્યું. પૂર, વાવાઝોડા અને મહામારીમાં રાહત કાર્ય—રાશન કિટ, પશુ ચારો અને વેટનરી સારવાર આપી, મહારાષ્ટ્ર અને ગુજરાતના દુષ્કાળગ્રસ્ત આદિવાસી વિસ્તારોમાં દેશી વૃક્ષોનું વાવેતર અને રેન વોટર હાર્વેસ્ટિંગના વિશાળ અભિયાન હાંસલ કર્યા. ડો. ગિરીશભાઈ શાહના જૂરીને પ્રભાવિત કરેલા કાર્યક્ષેત્રોની જો વાત કરવામાં આવે તો, ડો. ગિરીશભાઈના પત્રોના આધારે કેટલાક રાજ્યોમાં દૈનિક પશુ સહાય યોજનાઓ અમલમાં આવી અને “મહાવીર જયંતિ” તથા “વર્લ્ડ નવકાર ડે” ના દિવસે કસાઈખાનાઓ બંધ થયા. દેશી કૃષિ અને મંદિરના રસોડા સાથે ગૌશાળાને જોડીને ચક્ર સર્જ્યું. ગોબર, ઓર્ગેનિક ખાતર, રાસાયણિક મુક્ત પાક, મંદિર રસોડું, ચારો, પશુ ભોજન. યુવા અને સ્ત્રી સશક્તિકરણમાં વિવિધ ક્ષેત્રમાં ગ્રામીણ મહિલાઓને રોજગાર, શાળાવૃત્તિ અને પશુ સંભાળ તાલીમ આપવી. કરુણા માટેના નવા અભિયાન. આ વૈશ્વિક મંચ પરથી ડો.ગિરીશભાઈએ બે નવા અભિયાનની ઘોષણા કરી હતી જેમાં “ગૌચર સુરક્ષા ” અભિયાન (2025–2030), દરેક ગામની ગૌચર જમીનનો નકશો તૈયાર કરી તે દબાણ માંથી મુક્ત કરીને વાડ બંધાવવી, ગાંડો બાવળ દૂર કરવો અને 4000 દેશી વૃક્ષો નું વૃક્ષારોપણ કરવું, સાથે વરસાદી પાણીનું હાર્વેસ્ટિંગ. જેથી દર ગામે 5 કરોડ રુપિયાની આવકવૃદ્ધિ અને 30 % ગ્રાઉન્ડવોટર વધશે. “ગો-ડિજિટલ ગૌશાળા ફંડ”, ૫ મિલિયનનું CSR આધારિત ફંડ, જેનાથી ૧૦૦૦ ગૌશાળાઓમાં IoT ટેકનોલોજી, રિફ્લેક્ટિવ રેડિયમ બૅન્ડ અને પફ પેનલ શેડ જેવી વ્યવસ્થાઓ ઉભી કરવી. દરેક રૂપિયો જો આયોજનના ઢાંચામાં ખર્ચાય તો અનેકગણું વળતર આપે છે. ઉત્તમ દૂધ, હવામાન સહનશક્તિ અને સ્વસ્થ સમાજ,” એમ તેમણે જણાવ્યું હતું. વ્યવસાયિક રીતે ડો. ગિરીશભાઈ D .G. Exports અને Rishabh Gems જેવા ડાયમંડ એક્સપોર્ટના સફળ ઉદ્યોગપતિ છે, જેમની ભારત, અમેરિકા, યુરોપ સહિતના વિવિધ દેશોમાં પોતાની ઓફીસ છે.જે ઓ પોતાના ધંધાકીય કુશળતાનો ઉપયોગ પરોપકારમાં કરે છે. 2017 થી તેઓ ભારત સરકારના Animal Welfare Board (AWBI)ના સદસ્ય તરીકે રાષ્ટ્રીય નીતિ બનાવવામાં પણ યોગદાન આપી રહ્યા છે. ગુજરાતમાં જન્મેલા ડો. ગિરિશભાઈએ ડાયમંડ એક્સપોર્ટના ધંધાને સમર્પિત નફાના ભાગ સાથે જોડ્યો. છેલ્લા 20 વર્ષમાં તેમને જીવદયા રત્ન, ઇંદિરા પ્રિયદર્શન વૃક્ષમિત્ર, આચાર્ય ચાણક્ય અને જલ પ્રહરી સન્માન મળ્યા છે. તેમના પત્ની શ્રીમતી કિરણ શાહ અને સંતાનો પણ સમસ્ત મહાજનના કાર્યમાં જોડાઈને આ સેવાકાર્યને પરિવાર વ્યવહાર બનાવી રહ્યા છે. ડો. ગિરીશભાઈએ 2025-JAINA ગ્લોબલ એવોર્ડ સ્વીકારતા સમયે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “પશુઓ એ જીવનધન છે”. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના તાજેતરના સંદેશને સાકાર કરતાં તેમણે કહ્યું, “આ એવોર્ડ દરેક સ્વયંસેવક, દાતાશ્રી, ગૌશાળા કર્મચારીઓ અને ગ્રામ્ય વડીલોનો છે. જે દરરોજ સાબિત કરે છે કે દયા એ વ્યવહારુ પણ છે, વ્યાપક પણ છે અને આર્થિક રીતે પણ સમજદારીભર્યું છે.” એવોર્ડ સમિતિ અધ્યક્ષ કોકિલાબેને જણાવ્યું હતું કે, ડો. ગિરિશભાઈએ સાબિત કર્યું છે કે એક વ્યક્તિ, જો મૂલ્યો પર ચાલે, તો સમગ્ર પધ્ધતિને બદલી શકે છે—એ ગૌશાળા માટે કરોડો ઉઘરાવે કે CSRના માધ્યમથી ગૌચરનું પુનરુત્થાન કરે તે જીવદયાની સર્વશ્રેષ્ઠ બાબત છે. સિમ્મી શાહએ ઉમેર્યું કે 2025-JAINA ગ્લોબલ એવોર્ડના ૨૦૦ થી વધુ નામાંકન માંથી ડો. ગિરીશભાઈ શાહની પસંદગી થઈ. “તેમના દસ્તાવેજોમાં માત્ર કાર્યો નહીં પણ આદિવાસી મહિલાઓના નિવેદનો, શિક્ષિત થયેલા બાળકોના સંદેશો અને મોટે ભાગે મોબાઇલ ક્લિનિકથી તાલીમ પામેલા વેટનરી ડોક્ટરોની ટેસિમોનિયલ્સ પણ સામેલ હતાં.” સમસ્ત મહાજન સંસ્થાની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, પ્રાણીઓની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગિરીશભાઇ શાહના નેજા હેઠળ ૨૦૦૨માં સ્થપાયેલી આ સંસ્થાએ એક સૂત્ર સાથે આગળ વધવાનું શરૂ કર્યું. “સેવા અને રક્ષણ કરો”. ૨૧ વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. વર્તમાન સમયમાં તે જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે. આવા માનવતાવાદી હેતુ માટે ડો. ગિરીશભાઈના નોંધપાત્ર યોગદાનને સમાજ દ્વારા ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેમને અને સમસ્ત મહાજનને જીવદયા રત્ન, પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ઇન્દિરા પ્રિયદર્શીની વૃક્ષમિત્ર એવાર્ડ, આચાર્ય ચાણક્ય – 2020 સહિત અનેક પુરસ્કારો એનાયત કરવામાં આવ્યાં છે. કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં 350 થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે. સમસ્ત મહાજન મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, વેટનરી હોસ્પિટલ, વૃક્ષારોપણ, રેઇનવોટર હાર્વેસ્ટિંગ અને જિવિકોપાર્જન તાલીમના મોટા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. સંસ્થાની કામગીરી પારદર્શક વહીવટ, ઓડિટેડ હિસાબ અને સરકાર, કોર્પોરેટ અને સામાજિક સંસ્થાઓની ભાગીદારી સાથે ચાલી રહી છે. વર્તમાન સમયમાં મુંબઈ ખાતે રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશીર્વાદથી ‘અર્હમ અનુકંપા’ પ્રોજેક્ટ હેઠળ સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત સેંકડો જીવોને સ્થળ પર જ સારવાર તેમજ અભયદાન પ્રાપ્ત થયું છે અને તેમની જિંદગીઓ પણ બચી છે. સમગ્ર ભારતમાં આ પ્રકારની એમ્બ્યુલન્સ સરકાર તેમજ સમાજ અને સંસ્થાઓનાં માધ્યમથી થાય તે માટે ડો. ગિરીશભાઇ શાહ સતત કાર્યશીલ છે. સમસ્ત મહાજનની સેવાભાવી પ્રવૃતિઓ વિશ્વને સુંદર બનાવવામાં તેનું યોગદાન આપી રહી છે. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતના અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. ડો. ગીરીશભાઈ શાહને અમેરીકામાં જૈનાના ભવ્ય કાર્યક્રમમાં આ એવોર્ડ અર્પણ કરાયો ત્યારે તેમની સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી કિરણબેન શાહ અને રાજકોટથી મિતલ ખેતાણી સાથે જોડાયા હતા. — ડો. ગિરિશભાઈ શાહ (2025-JAINA ગ્લોબલ એવોર્ડ વિજેતા)