ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર દ્વારા તીર્થધામ પ્રેરણા તીર્થ તથા જી. સી. સી. આઇ. ના સહયોગથી બે દિવસીય “ગૌપ્રેનયોરશીપ વિકાસ” પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન

તા. 24 અને 25, મે, શનીવાર અને રવીવારના રોજ બે દિવસીય વર્ગનુ આયોજન
ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર દ્વારા તીર્થધામ પ્રેરણા તીર્થ તથા જી. સી. સી. આઇ.ના સહયોગથી બે દિવસીય “ગૌપ્રેનયોરશીપ વિકાસ” પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું તા. ૨૪, મે, શનીવાર તથા તા. ૨૫, મે, રવીવારના રોજ તીર્થધામ પ્રેરણા તીર્થ, પીરાણા ગામ, એસ.પી. રીંગ રોડ, અમદાવાદ ખાતે આયોજન કરાયું છે.
ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર દ્વારા તીર્થધામ પ્રેરણા તીર્થ તથા જી. સી. સી. આઇ.ના સહયોગથી બે દિવસીય “ગૌપ્રેનયોરશીપ વિકાસ” પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ કાર્યક્રમ હિન્દી તથા ગુજરાતી બન્ને ભાષામાં સમજાવવામાં આવશે, વર્ગમાં હાજર રહેવું ફરજીયાત છે તથા ચાલુ શીબીર દરમ્યાન મોબાઈલ ફોન બંધ રાખવાનો રહેશે. પ્રશિક્ષણ વર્ગમાં બહેનો માટે રહેવાની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. પંચગવ્ય ઉત્પાદન બનાવવા માટે મોલ્ડ, મશીન, સંચો,પ્રિમિકસની જાણકારી આપવામાં આવશે. કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરી આવનાર તમામ લોકોને સ્વાગત કીટ આપવામાં આવશે.
તા. ૨૪, મે, શનીવારે સવારે ૮-૩૦ થી ૯-૩૦ આગમન તથા અલ્પાહાર, રજીસ્ટ્રેશન કરવામાં આવશે, સવારે ૯–૩૦ થી ૧૧–૦૦ ગૌ પૂજન, કાર્યક્રમનું ઉદઘાટન પ.પૂ. જગદગુરૂ સંત પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તથા પ. પૂ. સંત શ્રી વિરલદાસજી બાપુ (અંતિધામ આશ્રમ, ગણપતપુરા), ધરનેન્દ્ર સંઘવી (અગ્રણી, જૈન સમાજ), ભાવિનભાઈ પંડ્યા (ડીન, કડી કેમ્પસ, ગાંધીનગર) ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની શરૂઆત પ્રસ્તાવના સાથે ગૌ વિશ્વ વિદ્યાપીઠમના સ્થાપક મિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે. સવારે ૧૧-૩૦ થી બપોરે ૧–૦૦ વાગ્યા સુધી ગૌપ્રોડકટસ બનાવવાની માહિતી જેવી કે કામધેનુ ફીનાઈલ, કામધેનુ વાળનું તેલ, કામઘેનુ મસાજ તેલ, પીડારહીત મલમ, રોલ ઓન તથા બપોરે ૧–૦૦ થી ૨–૩૦ દરમ્યાન ભોજન તથા વિશ્રામ રહેશે. બપોરે ૨–૩૦ થી ૪–૦૦ વાસણ ધોવાનો પાવડર, કામધેનુ ફેસપેક, કામધેનુ શેમ્પુ, કામઘેનુ સાબુ, પંચગવ્ય નાસ્ય, અર્જુત ધૃત તથા ૪-૩૦ થ ૬-૦૦ વાગ્યા સુધી બ્રાહમી ઘી, હેન્ડ વોશ, રુજાન સ્પ્રે, કાલા ટૂટપેસ્ટ, રૂદયમ પે, મેથી કોફી, સાંજે ૬-૩૦ થી રાત્રે–૮–૦૦ લક્ષ્મીજીની મૂર્તિ, ગણેશજીની પ્રતિમા (૩ ઈંચ), ગણેશની પ્રતિમા (૬ ઈંચ), લક્ષ્મીચરણ પાદુકા, દેવીમાતાની મૂર્તિ, શિવલીંગ, શ્રીયંત્ર વિગેરે બનાવવાની રીત અંગેની ટ્રેનીંગ આપવામાં આવશે તથા રાત્રે ૮-૦૦ થી ૯-૦૦ ભોજન તથા ૯–૦૦ થી ૯-૩૦ મુકત વિચારનો કાર્યક્રમ યોજાશે.
તા.૨૫, મે, રવીવારે સવારે ૪–૫૦ ઉદય તથા સવારે ૪–૫૦ થી ૫-૫૦ સવારની વિધી, સવારે ૬–૦૦ થી ૭–૦૦ અગ્નિહોત્ર હવન કરાવાશે. સવારે ૭–૦૦ થી બપોરે ૮-૩૦ વાગ્યા સુધી ગાયના છાણની ઓળખ, સંગ્રહ, સુકવવા, પાવડર બનાવવાની રીત તથા મીશ્રણ અંગની સમજ, ધૂપબતી, ધૂપકોન, સુગંધીત કંડે, સાંબરાની કપ, ગાયના છાણની માળા, ગોબર દીપક પી–૧ તથા સવારે ૮-૩૦ થી ૯-૩૦ દરમ્યાન અલ્પાહાર બાદ સવારે ૯–૩૦ થી ૧૧–૦૦ સુધી બેબી પાવડર, ટેલ્કમ પાવડર, છાશનો મસાલો, સીડબોલ, મચ્છર ધૂપ, ખજૂર કેન્ડી તથા ૧૧–૦૦ થી ૧૨-૩૦ દરમ્યાન શુભ—લાભ, જયશ્રી રામ, હરે કૃષ્ણ, ઓમ/શ્રી/સાથીયા,મોબાઈલ એન્ટી રેડીયેશન ચીપ, ગોબર રાખી ત્યારબાદ ઉત્પાદન કાસ્ટીંગ કેવી રીતે મેળવવું, નાના માર્જીનની ગણતરી કેવી રીતે કરવી, કુલ નફો અને ચોખ્ખા નફાની ગણતરી કેવી રીતે કરવી, કંપની કેવી રીતે બનાવી તેની વિગતવાર સમજ અપાશે. બપોરે ૧૨-૩૦ થી ૨–૦૦ ભોજન તથા આરામ ત્યારબાદ બપોરે ૨–૦૦ થી ૩-૩૦ ધૈવંતભાઈ દવે (ડીજીટલ મીડીયા માર્કેટીંગ ટ્રેનર) દ્વારા માર્કેટીંગ સેલ્સ બ્રાન્ડીંગની માહિતી અપાશે તથા વધુ અદ્યતન અભ્યાસ માટેની માહિતી તથા રજીસ્ટ્રેશન મીનેશભાઈ પટેલ દ્વારા કરાશે. ૩:૩૦ થી ૪:૦૦ આદર્શ દિનચર્યા – ગાય આધારિત કુદરતી ખેતી પ્રવિણભાઈ પટેલ (વડોદરા), ઉપેન્દ્રભાઈ મહિડા (બરોડા), ૪–૦૦ થી ૫–૦૦ દરમ્યાન અનુભવ નિવેદન લેવાશે.
સાંજે ૫–૦૦ થી ૬–૦૦ કાર્યક્રમનું સમાપન તથા સર્ટીફીકેટ શ્રી ગૌતમભાઈ બોરીસા (ગુજરાત રાજ્ય, ગૌ સેવા કો-ઓર્ડીનેટર), હર્ષદભાઈ પટેલ (ટ્રસ્ટીશ્રી—તીર્થધામ પ્રેરણાપીઠ) દ્વારા અપાશે. ત્યારબાદ પંચગવ્ય કીટ શ્રી હર્ષદભાઈ પટેલ (ટ્રસ્ટી, તીર્થધામ પ્રેરણાપીઠ) અપાશે જેમાં ધૂબપતી—૫૦, મોબાઇલ સ્ટેન્ડ-૭૦, ગોબર માળા –૧૩૦, ગાયના છાણના દિવડાઓનો સેટ–૮૦, એન્ટીરેડીયેશન ચીપ–૭૦, ગોબરનું કિચન–૩૦, ધૂપકોન–૭૦ સમગ્ર કીટની કુલ કિંમત રૂા. ૫૦૦ રાખવામાં આવી છે. પ્રેક્ટીકલ શિક્ષણમાં અનેક મહાનુભાવો પોતાનું યોગદાન આપશે.
આ પ્રશિક્ષણ વર્ગમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું કરજિયાત છે. રજીસ્ટ્રેશન શુલ્ક ૧૫૦૦ જમા કરાવવાના રહેશે. મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી લેવું. આ વર્ગમાં ભાઈઓ તથા બહેનો બંને પોતાના પરિવાર સાથે જોડાઇ શકે છે. રજીસ્ટ્રેશન તથા ફી જમા કરાવવા માટે મો. ૯૮૨૫૧ ૧૮૮૪૫ પર સંપર્ક કરી પેટીએમ કરી શકો છો, ફી જમા થઈ જાય એટલે તેનો સ્ક્રીનશોટ ઉપરોક્ત નંબર ઉપર મોક્લવાનો રહેશે. કાર્યક્રમ સ્થળે પહોંચવા માટે અમદાવાદના કાલુપુર બસ સ્ટેન્ડથી સીટી બસ નં. ૧૧૭/૧ મળી શકશે જે દ્રારા સીધુ જ કાર્યક્રમ સ્થળે પહોંચી શકાશે. કાર્યક્રમ સ્થળનું ગુગલ લોકેશન તીર્થધામ—પ્રેરણા પીઠ, https://maps.app.goo.gl/KQDF2bRCmQo1CphS9 પર જોઈ શકાશે.
ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર દ્વારા તીર્થધામ પ્રેરણા તીર્થ તથા ગૌસેવા પ્રવૃતિ ગતિવિધીના સહયોગથી બે દિવસીય “ગૌપ્રેનયોરશીપ વિકાસ” ” પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગની વિશેષ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે મો. ૯૮૨૫૧ ૧૮૮૪૫ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું