#Blog

સેવાભાવી યુવા આગેવાન વીરાભાઈ હુંબલ(મુરલીધર ડેવલોપર્સ, મુરલીધર ફાર્મ) નો આજે જન્મદિન           

જય મુરલીધર ડેવલોપર્સ,મુરલીધર ફાર્મ વાળા અને સામાજીક, સેવાકીય, ધાર્મિક, સામુહિક, શૈક્ષણીક, મેડીકલ પ્રવૃતિમાં હંમેશા મોખરે રહેતા આહીર સમાજનાં યુવા આગેવાન, પ્રખર જીવદયા પ્રેમી વિરાભાઈ હુંબલનો આજે ૪૨ મો જન્મદિવસ છે. ‘ચેરીટી બીગીન્સ ફોમ હોમ” નાં નાતે તેમજ પોતાને ત્યાં આવતાં દરેક શુભ પ્રસંગની ઉજવણી સેવાકીય કાર્યક્રમોથી કરે છે. વિરાભાઈ હુંબલ આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ નાં રાજકોટ નાં અધ્યક્ષ તરીકે ફરજ નિભાવે છે. ઉપરાંતમાં,એનિમલ હેલ્પલાઈન, સદભાવના વૃદ્ધાશ્રમ,ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જેવી સંસ્થાઓ સાથે તન, મન, ધનથી જોડાઈને સેવાકીય કાર્યો કરી રહ્યા છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, ભૂદેવ સેવા યજ્ઞ, વૃક્ષારોપણ, સીવીલ હોસ્પીટલનાં જરૂરીયાત મંદ દર્દીઓ તથા થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ, અંગદાન–ચક્ષુદાન–દેહદાન સંકલ્પ કેમ્પ, ચકલીનાં માળા અને પક્ષીનાં પાણી પીવાનાં કુંડાનું વિતરણ, તુલસીનાં રોપાં તેમજ બીલીપત્રનાં છોડનું વિતરણ, દિવ્યાંગ બાળકો સાથે મનોરંજન પ્રકલ્પ, ઈન્ડીયા રીનલ ફાઉન્ડેશન દ્વારા કીડનીનાં રોગોની જાગૃતિ અંગે કાર્યક્રમ તથા ડાયાબીટીસ અને બ્લડપ્રેશર ચેકઅપ કેમ્પ, થેલેસેમીયા નાબૂદી અભિયાન, જળ સંચય પ્રવૃત્તિ જેવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. વીરાભાઈ હુંબલને શુભેચ્છા પાઠવવા માટે મો.નં.૯૮૭૯૫ ૯૫૬૨૪

Leave a comment

Your email address will not be published. Required fields are marked *