#Blog

ગૌટેક – 2026 – ગૌ મહાકુંભ અંગે હૈદરાબાદ ખાતે બેઠક યોજાઈ

ગૌટેક – 2026 – ગૌ મહાકુંભના સંદર્ભે હૈદરાબાદના ગગન પહાડ વિસ્તારમાં આવેલા ક્લાર્ક્સ ઇન કોન્ફરન્સ સેન્ટરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં GCCI (ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ)ના સ્થાપક અધ્યક્ષ, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાની અધ્યક્ષતામાં, 7 થી 10 જાન્યુઆરી 2026 વચ્ચે હૈદરાબાદમાં “ગૌ ટેક – 2026 – ગૌ મહાકુંભ”નું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી. આ અવસરે ગૌટેકના મુખ્ય અધિકારીઓ, નિષ્ણાતો અને આયોજકો વચ્ચે આયોજનની રૂપરેખા, મુખ્ય આકર્ષણો અને તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ગૌટેક – 2026 – ગૌ મહાકુંભની થીમ ગૌ આધારિત ઉદ્યોગસાહસિકતા, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને આધુનિક પશુપાલનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે નક્કી કરવામાં આવશે. ગૌટેક – 2026 – ગૌ મહાકુંભ માં ગૌપાલકો, ખેડુતો અને સ્ટાર્ટઅપ્સ માટે ખાસ સત્રો, નવીનતા, તાલીમ અને ટેક્નોલોજી ડેમો રાખવામાં આવશે. આ કાર્યક્રમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માટે વ્યાપક રણનીતિ ઘડાઈ રહી છે. વિવિધ રાજ્યોની સરકારો, વૈજ્ઞાનિકો અને સંશોધન સંસ્થાઓને પણ સહભાગી બનાવવા માટે આયોજન થઈ રહ્યું છે. દેશભરમાંથી ગૌ ઉદ્યોગ સાથે જોડાયેલા પ્રતિનિધિઓને ગૌટેક – 2026 – ગૌ મહાકુંભમાં આમંત્રિત કરવામાં આવશે. આ ગૌટેક – 2026 – ગૌ મહાકુંભ વૈશ્વિક સ્તરે ગૌ આધારિત ઉદ્યોગ અને સંશોધન માટે વિશાળ પ્લેટફોર્મ હશે. આ ગૌટેક – 2026 – ગૌ મહાકુંભ GCCI અને હૈદરાબાદની વિવિધ ગૌસેવા સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાશે.
ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું કે ગૌટેક – 2026 – ગૌ મહાકુંભ એ ગૌ આધારિત અર્થવ્યવસ્થા દ્વારા ભારતને હરિત, સમૃદ્ધ અને શાશ્વત વિકાસ તરફ દોરી જવાના દ્રષ્ટિકોણથી યોજાતો વૈશ્વિક શિખર સંમેલન છે. આ અનોખી પહેલ સંયુક્ત રાષ્ટ્રના 17 શાશ્વત વિકાસ લક્ષ્યાંકો (SDGs) ને ગૌ આધારિત ઉકેલ દ્વારા પૂર્ણ કરવા તરફ દોરી જાય છે. તેમણે ઉમેર્યું કે “ગૌ ટેક” એક રાષ્ટ્રીય અભિયાન છે, જેમાં ગૌ આધારિત ઉદ્યોગો થકી રોજગાર અને પર્યાવરણ સમસ્યાના ઉકેલ લાવી શકાય છે, સાથે સાથે ભારતને વૈશ્વિક કક્ષાએ ગૌરવ હાંસલ કરી શકીએ છીએ. તે ઉપરાંત, ગૌપાલકો, ગૌશાળાઓ અને ગૌ ઉદ્યોગોને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવી ગાયના રક્ષણ અને ગૌ આધારિત ખેતી અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો હેતુ છે.
આ ગૌટેક ને હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ પછી “બ્રાઉન ક્રાંતિ” તરીકે જોવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, પહેલાં 2023માં ગુજરાતના રાજકોટમાં ગૌ- ટેકનું સફળ આયોજન થયું હતું, જેને દેશભરમાં પ્રશંસા મળી હતી. હવે આગામી 30 મેથી 2 જૂન 2025 સુધી જયપુરમાં ગૌટેક મહાકુંભનું આયોજન થવાનું છે.
ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ગૌટેક – 2025 – ગૌ મહાકુંભ પર વીશેષ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મેક ઇન ઈન્ડિયા”, “આત્મનિર્ભર ભારત” અને “વોકલ ફોર લોકલ” જેવા રાષ્ટ્રીય અભિયાનોને ધરતી પર ઉતારવાનો સફળ પ્રયાસ છે. કાર્યક્રમ દરમિયાન રાજસ્થાન ગૌ સેવા પરિષદ, બીકાનેર દ્વારા રાજસ્થાન સરકારના પૂર્વ સિંચાઈ મંત્રી દેવીસિંહ ભાટી અને સુનિલ માનસિંહાને રાષ્ટ્રીય ગૌ ઉદ્યોગ પ્રોત્સાહન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ રાજસ્થાનની ધરતી પર ગૌટેક – 2025 – ગૌ મહાકુંભ ગૌ આધારિત અર્થ વ્યવસ્થા રાજસ્થાન માટે નવી શરૂઆત રહેશે.
GCCIના સચિવ અમિતાભ ભટ્ટનાગરે જણાવ્યું કે ગાય આધારિત ઉદ્યોગોમાં અબજો રૂપિયાનું પોટેંશિયલ છે અને એમાં લાખો લોકોને રોજગાર મળી શકે છે. “ગૌટેક-ગૌ મહાકુંભ 2025” દરમિયાન “ગાય આધારિત ઉદ્યોગો દ્વારા કરોડપતિ કેવી રીતે બનવું?” વિષય પર ખાસ સત્ર યોજાશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ જયપુર અને સમગ્ર રાજસ્થાનના યુવાનોના જીવનને નવી દિશા આપશે. જે લોકો ફક્ત દૂધને ગાયનું મુખ્ય ઉત્પાદન માને છે, તેઓ જાણશે કે ગૌચર, ગૌમૂત્ર, પંચગવ્ય અને અન્ય ગૌઉત્પાદનો પણ વૈશ્વિક ઉદ્યોગ બની શકે છે. અંતિમ દિવસે “સોલ્યુશન ડિક્લેરેશન” રજૂ કરવામાં આવશે, જેમાં ગૌ આધારિત આર્થિક મોડેલ, નીતિ સુધારાઓ, રોજગાર, પર્યાવરણ અને ગ્રામોદય માટેનું સંપૂર્ણ રોડમૅપ રજૂ કરવામાં આવશે, જે સરકાર, નીતિ આયોગ, યુનિવર્સિટીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને મોકલવામાં આવશે.
લવ ફોર કાઉ ફાઉન્ડેશન તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા, ક્લાર્ક્સ ઇન કોન્ફરન્સ અને SNC કોન્ફરન્સ ગ્રૂપના પ્રતાપભાઈ જાડેજાનું સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું.
ગૌટેક – 2026 – ગૌ મહાકુંભ આયોજક મંડળે ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી અને સંગઠન મંત્રી ચંદ્રશેખર સાથે મુલાકાત કરી ગૌટેક – 2026 – ગૌ મહાકુંભ આયોજન અંગે ચર્ચા કરી. અને ગૌટેક – 2025 – ગૌ મહાકુંભ જયપુર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું. કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ હૈદરાબાદમાં યોજાનારા કાર્યક્રમમાં સંપૂર્ણ સહકાર આપવાનો વચન આપ્યો.
પ્રતાપભાઈ જાડેજાએ પણ તન, મન અને ધનથી સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું. ગોવત્સ ફાઉન્ડેશનના નરેન્દ્ર ગોયલે તમામ રીતે સહાય કરવાનું વચન આપ્યું. FTCCI ના અધ્યક્ષ સુરેશ સિંઘલ સાથે પણ સહયોગની માંગ સાથે મુલાકાત કરવામાં આવી.
આ બેઠકનું આયોજન ક્લાર્ક્સ ઇન કન્વેન્શન અને એસ. એન. સી. કન્વેન્શન ગ્રુપના પ્રતાપભાઈ જાડેજાના સહયોગથી કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી, જેમાં ખાસ કરીને લવ ફોર કાઉ ફાઉન્ડેશનના જસમત પટેલ, ફેડરેશન ઑફ લેબર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ સુરેશ સિન્ઘલ, પ્રમુખ સમાજસેવક નરેન્દ્ર ગોયલ, RGA એજ્યુકેશન ટ્રસ્ટના પૂર્વ ચેરમેન ઓમપ્રકાશ અગ્રવાલ, ભારતીય પ્રાણી મિત્ર સંઘના અધ્યક્ષ જૈન રત્ન જસરાજ શ્રીશ્રીમાલ, ગોવત્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ મુરલી મનોહિતર પાલોડ, બદ્રિવિશાલ લોયા અને ગોપાલદાસ સારડા, GCCIના સચિવ અમિતાભ ભટ્નાગર, રેમેશ જાગીદાર, મેમોરિયલ ફાઉન્ડેશનના મંત્રી ઋદ્ધિશ જાગીદાર, ઓલ ઇન્ડિયા ઓલ્ડ ટેમ્પલ રિનોવેશન ટ્રસ્ટના ચેરમેન આર. કે. જૈન, ધ્યાન ફાઉન્ડેશન ગૌશાળાના અધ્યક્ષ દીપક વિજયવર્ગીય, અખિલ ભારત ગૌ સેવા ફાઉન્ડેશનના અધ્યક્ષ બાલકૃષ્ણ ગુરુસ્વામી, BJP હૈદરાબાદ સીટીના ખજાનચી અવિનાશ દેવડા, RSS નેતાઓ જી. નરસિંહ રાવ, પી. રાઘવેન્દ્ર અને બી. મલ્લેશ ગૌડ તેમજ સંપત ગોપતી સહિત અનેક ગૌસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
GCCI વિશે વધુ માહિતી માટે GCCI જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી, તેજસ ચોટલિયા મો. 94269 18900, અને મીનાક્ષી શર્મા – મો. 83739 09295 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *