‘ગૌ રાષ્ટ્ર યાત્રા’નો કાફલો રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલી રાધે કૃષ્ણ ગૌશાળા સેવા સમિતિ, રાણી કલ્લા ખાતે પહોંચ્યો

ભારતસિંહ રાજપૂરોહિતે ખેડૂતની આવકમાં વધારો અને ગૌશાળાઓની આત્મનિર્ભરતા પર ખાસ વક્તવ્ય આપ્યું.
જીવ-જંતુ કલ્યાણ અને કૃષિ સંશોધન સંસ્થા (AWRI) ના અધ્યક્ષ શ્રી ભારતસિંહ રાજપૂરોહિતના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્તરની ‘ગૌ રાષ્ટ્ર યાત્રા’ આજે રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલા રાધે કૃષ્ણ ગૌશાળા સેવા સમિતિ, રાણી કલ્લા ખાતે પહોંચી. યાત્રા દળનું સ્થાનિક ગૌભક્તો અને સમાજસેવકો દ્વારા ખુબ જ ઉત્સાહભેર અને સન્માનપૂર્વક ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેનાથી સમગ્ર વાતાવરણ ગૌસેવાના સંકલ્પથી ગુંજી ઉઠ્યું. આ રોકાણ દેશી ગૌવંશના સંરક્ષણ અને ગૌ આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ખેડૂતો અને ગૌશાળાઓ માટે આત્મનિર્ભરતા નો મંત્ર કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનસમૂહને સંબોધિત કરતાં AWRIના અધ્યક્ષ ભારતસિંહ રાજપૂરોહિતે ગૌમાતાના આર્થિક અને સામાજિક મહત્વ પર પ્રકાશ પાડ્યો. ભારતસિંહ રાજપૂરોહિતજી એ ખાસ ભારપૂર્વક કહ્યું કે દેશી ગૌવંશના યોગ્ય સંચાલન અને ગૌ આધારિત કૃષિ પદ્ધતિઓ અપનાવવાથી ખેડૂતની આવકમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે. ભારતસિંહ રાજપૂરોહિતજીએ વિગતવાર સમજાવ્યું કે ગૌપાલનને માત્ર પરંપરાગત પ્રવૃત્તિ તરીકે નહિ, પણ એક સશક્ત અને લાભદાયક આર્થિક મોડલ તરીકે જોવુ જોઇએ, જે ગ્રામ્ય અર્થતંત્રની ધરતી બની શકે છે. ભારતસિંહ રાજપૂરોહિતજી એ રાજ્ય તેમજ દેશભરની ગૌશાળાઓ માટે આત્મનિર્ભર બનવાનો એક સ્પષ્ટ માર્ગ પણ દર્શાવ્યો. તેમણે જણાવ્યું કે ગૌશાળાઓ માત્ર ગૌવંશના આશ્રય સ્થાનોના રહે, પણ ગૌમૂત્ર, ગોબર તથા અન્ય ગૌ ઉત્પાદનના નિર્માણ કેન્દ્ર બને. આવી રીતે ગૌશાળાઓ દ્વારા આયુર્વેદિક દવાઓ, કારખાનામાં વપરાતા ઇન્પુટ, જીવાણુનાશક, નૈતિક વપરાશની વસ્તુઓ અને ઓર્ગેનિક ખાતર જેવી વસ્તુઓનું ઉત્પાદન કરીને પોતાની આર્થિક જરૂરિયાતો પુરી કરી શકે છે અને એક સારો નફો પણ મેળવી શકે છે. જેના કારણે ગૌ સંરક્ષણનું કાર્ય નાણાકીય રીતે ટકાઉ અને આત્મનિર્ભર બની શકે છે. ‘ગૌ રાષ્ટ્ર યાત્રા’ દ્વારા મળ્યો વ્યાપક જનસમર્થન રાધે કૃષ્ણ ગૌશાળા સેવા સમિતિ પહોંચતા પહેલા પણ ‘ગૌ રાષ્ટ્ર યાત્રા’ દળનું સમગ્ર માર્ગમાં અનેક સ્થળોએ સ્થાનિક લોકો દ્વારા અભૂતપૂર્વ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. દરેક ગામ અને શહેરમાં લોકોએ ઉત્સાહપૂર્વક યાત્રાનું અભિનંદન કર્યું. આ દરમિયાન અનેક મહાનુભાવો અને ગૌભક્તો યાત્રાના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા, રોહટ, લલિત પાલીવાળ, પાલી-પુણાડિયા: જ્વાલા માતા, જેટાનંદજી મહારાજ, યશપાલસિંહજી પુણાડિયા, રાધે કૃષ્ણ ગૌશાળા ભરતજી રાઠોડ (પ્રમુખ, રાણી નગરપાલિકા), હરીશજી સોની, શેષારામજી ઘાચી (પ્રમુખ, ગૌશાળા), સંરક્ષક ભરતજી ધણરેચા, રંગરાજજી, શ્રવણસિંહજી મહેચા, ધર્મેન્દ્રસિંહજી, રમેશ ગહલોત, બજરંગજી હુરકટ, કમલજી ગોયલ, ગિરધારીસિંહ પીલવા, નદી ગૌશાળા, શૈતાનસિંહ ઔવા, પિયુષ શર્મા, શ્રવણસિંહ ધુરાસણી, આ તમામ મહાનુભાવો અને હજારો ગૌભક્તોની ઉપસ્થિતિએ ‘ગૌ રાષ્ટ્ર યાત્રા’ પ્રત્યેના જનસમર્થનની ઊંડાણ અને વ્યાપકતાનું પ્રતિબિંબ દર્શાવ્યું છે. ‘ગૌ રાષ્ટ્ર યાત્રા’ યાત્રા દેશી ગૌવંશના સંરક્ષણ અને ગ્રામિણ ભારતની અર્થવ્યવસ્થાના પુન:ર્નિર્માણના હેતુ તરફ સતત આગળ વધી રહી છે અને દરેક પડાવ સાથે તેનો સંકલ્પ વધુને-વધુ મજબૂત બની રહ્યો છે.