રાજકોટ શહેર ભાજપ મંત્રીશ્રી હરેશભાઈ કાનાણીનો શનીવાર, તા. ૧૨ એપ્રિલ ના રોજ 52 મો જન્મદિન

ચકલીના માળા, પક્ષીઓના પાણી પીવાના કુંડાના વિતરણ સાથે સેવામય ઉજવણી
રાજકોટ શહેર ભાજપ મંત્રીશ્રી હરેશભાઈ કાનાણીનો તા.૧૨ એપ્રિલ, શનીવારના રોજ 52 માં વર્ષમાં મંગલ પ્રવેશ. છેલ્લા ૨૯ વર્ષથી રાજકોટ સ્થાયી થયેલા હરેશભાઈ છેલ્લા ૨૬ વર્ષથી રાજકોટ શહેર ભાજપમાં સક્રિય છે. બાલ્યાવસ્થાથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને આધારીત રાજનીતી, સેવાક્ષેત્રને વરેલા રાજકોટનાં જાહેર જીવનનાં અગ્રણી હાલમાં તેઓ રાજકોટ શહેર ભાજપમાં ૨૦૨૩ થી મંત્રી, વોર્ડ નં. ૧૦ માં છેલ્લા ૭ વર્ષથી મહામંત્રી તરીકે જવાબદારી સફળતા પૂર્વક વહન કરી ચુકયાં છે. સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં આજીવન મેમ્બર તથા અસ્મિતા ફાઉન્ડેશન સંસ્થા, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ જેવી અનેક સંસ્થા સાથે જોડાયેલા હરેશભાઈ કાનાણી ગેસ પાઈપલાઈનનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. વેસ્ટગેટ ઓનર્સ એસોસીએશનનાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે, હરેશભાઈ કાનાણી યુનિટી ફાઉન્ડેશનમાં પ્રમુખ તરીકે જવાબદારી સુપેરે નિભાવી રહયાં છે જેમાં ગરીબ પરીવારની, મા-બાપ વિહોણી, દિકરીઓના ભવ્ય, સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન (નિઃશુલ્ક)નું આયોજન, દર મહિને પુષ્ય નક્ષત્રમાં સુવર્ણપ્રાશનનાં ટીપા ૧ થી ૧૫ વર્ષ બાળકોને નિઃશુલ્ક પીવડાવે છે, દર વર્ષે વૈદીક હોળી કરવામાં આવે છે, નવરાત્રી દરમ્યાન પ્રાચીન ગરબી યોજી બાળાઓને લાણી, નાસ્તો આપવામાં આવે છે સાથમાં વર્ષ દરમ્યાન મેડીકલ કેમ્પ, રકતદાન કેમ્પો યોજાય છે આવી અનેક જીવદયા, માનવતાવાદી, સેવાભાવી પ્રવૃતિઓ યુનિટી ફાઉન્ડેશનનાં નેજા હેઠળ કરવામાં આવે છે. હરેશભાઈ કાનાણીમાં મિત્રો કમાવાની અને મિત્રતા સાચવવાની આવડત એ હરેશભાઈ કાનાણીના આગવા વ્યકિતત્વનું જમા પાસું છે. રાજનીતી નહી પણ રાષ્ટ્ર નિતીમાં માનતાં હરેશભાઈ કાનાણીના જન્મદિવસ નિમીતે તેમના બહોળા મિત્ર વર્તુળ તેમજ શુભેચ્છકો દ્વારા આશીર્વાદની વર્ષા થઈ રહી છે.
-હરેશભાઈ કાનાણી (મો : ૯૪૨૬૯ ૧૫૦૦૨)