સમસ્ત મહાજન દ્વારા ગુરુ ભગવંતોનાં આશીર્વાદથી તા.30,માર્ચે, રવિવારના રોજ અમદાવાદ ખાતે પૂર્વ નિર્ધારિત 72 જરૂરીયાતમંદોનેવ્યાજમુક્ત રિક્ષાઅર્પણ કરાશે.

તપાગચ્છ પ્રવર સમિતિના કાર્યવાહક, મહામાંગલિક પ્રદાતા, ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય અભયદેવ સૂરીશ્વરજી મહારાજા, પૂ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય મોક્ષરત્નસૂરીશ્વરી મ.સા. ગુરુવર્યશ્રી અક્ષરવત્સલસ્વામીજી (BAPS સ્વામિનારાયણ સંસ્થા, શાહીબાગ), શ્રી ધર્મનંદન સ્વામીજી મહારાજ, કોઠારી સ્વામીજી (SGVP સરખેજ – ગાંધીનગર હાઈવે), સનાતન હિંદુ ધર્મના સંતો-મહંતોની પાવન નિશ્રામાં વૈશ્વિક સંસ્થા સમસ્ત મહાજન દ્વારા અમદાવાદમાં માનવતાનું સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં કરવામાં આવ્યું છે. દુનિયામાં જીવતા અનેક નિ:સહાય જીવોને મુસીબતમાં નિહાળી તેમના ચહેરા પર સ્મિત લાવનાર, અનેકોના આંસુને આનંદમાં પરિવર્તિત કરવાનો સફળ પુરુષાર્થ કરનાર માનવતાના મસીહા, ગુરુ ભગવંતોનાં આશીર્વાદથી સમગ્ર સમાજને સશક્ત અને આત્મનિર્ભર સમાજની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું, ‘જીવન યાપન પ્રોજેક્ટ’ અંતર્ગત પૂર્વ નિર્ધારિત જરૂરીયાતમંદ72 પરિવારોને કાયમી રોજગાર આપવાના મહાન પ્રયાસ તા: 30-03-2025, રવિવાર, સમય: સવારે 9:30 વાગ્યે,સ્થળ: શ્રી પ્રતિષ્ઠાન પરિસર, શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર, ઝુંડાલ સર્કલ,ચાંદખેડા રાજનગર – અમદાવાદ ખાતે વ્યસન મુક્તિ અને સુસંસ્કારી, સુસાનકારી જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવા અમદાવાદ અને આસપાસના ગામોમાં રહેતા પૂર્વ નિર્ધારિત જરૂરીયાતમંદ 72 રિક્ષા ચાલકોને વ્યાજમુક્ત રિક્ષા અર્પણ કરાશે.
રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ જણાવે છે કે, “સ્વાર્થ કેરોસીન જેવો હોય છે જ્યાં પડે ત્યાં ભડકો કરે અને પરમાર્થ ઘી જેવો હોય છે જ્યાં પડે ત્યાં દીવો પ્રગટાવે.તમે કોઈને સહાયની આંગળી આપશો તો સહાય પામનાર આવતીકાલે કોઈને હાથ આપશે.”
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની કૃપાથી આ ‘જીવન યાપન પ્રોજેક્ટ’ સાકાર થઈ રહ્યો છે, જે સમાજમાં આત્મનિર્ભરતા અને આર્થિક સ્વાતંત્ર્ય લાવવાના ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 102 રીક્ષા ચાલકોને નવી રીક્ષાઓ અપાઈ હતી. 30 રીક્ષા ચાલકોને પેઢી ઋણમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. 40 રીક્ષા ચાલકોની રીક્ષાની મરામત કરવામાં આવી હતી.
આ પ્રોજેક્ટનો લક્ષ્યાંક એવો છે કે જરૂરીયાતમંદ પરિવારોને કાયમી રોજગારની તકો આપી ગરીબીમાંથી બહાર નીકળવાની તક તેમજ સમાજમાં આત્મસન્માન અને આર્થિક સ્વાતંત્ર્ય વધારવા માટેની તક આપવામાં આવે. જેમાં સૌને સહયોગ કરવા માટે જાહેર નિમંત્રણ અને વિનંતી છે. આ પ્રોજેક્ટ માત્ર એક દાન નથી, એ વિવિધ પરિવારોના સંસાર બદલવાનો મહાન પ્રયાસ છે. સમાજના સહયોગથી એક વ્યક્તિ નહીં, એક પેઢી આત્મનિર્ભર બની શકે છે.
અત્રે ઉલેખ્ખનીય છે કે સમસ્ત મહાજન મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતના અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટ માટે મળતું દાન કલમ 80G અંતર્ગત ટેક્સ મુક્ત છે તેમજ CSR અને FCRA અંતર્ગત યોગદાન માન્ય છે. આ અંગે વધુ માહિતી માટે તેમજ સહયોગ માટે સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ (મો. 98200 20976), સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ જૈન (મો. 98251 29111)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































