મનુભાઈ મીરાણીના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સાયલાના શાંતિનગર ગામે ચેકડેમનો જીર્ણોદ્ધાર

વરસાદ થાય અને ખેતીમાં ખેડૂતોને ખુશીના સમાચાર પ્રસરે પણ સાથે સાથે દરેક ખેડૂતો પોતાના ગામના ચેકડેમોને રીપેરીંગ, ઉડા. ઊંચા તેમજ નવા બનાવે તો ખેડૂતોને અત્યારે પણ ખૂબ મોટો પાણીનો જથ્થો મળી શકે જેનાથી ખેડૂતોને વાવણી પહેલા આગોતરું વાવેતર કરવું હોય તો કરી શકે અને જેનાથી ખૂબ મોટું ઉત્પાદન થઈ શકે સાથે સાથે સારા ભાવ પણ આવે આવી જ રીતે સાયલા તાલુકાના શાંતિનગર ગામના હાલ રાજકોટ મનુભાઈ મીરાણી તરફથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટને રૂપિયા 1 લાખનો આર્થિક સહયોગ આપીને શાંતિનગર ગામે ચેકડેમનો પ્રારંભ કરાવેલ. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનમાં અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જીલ્લામાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો.તેમાંથી ૨૭૫ થી વધુ ચેકડેમ પૂર્ણ થઈ ગયા છે. તેમજ ૧૧,૧૧૧ બોર રીચાર્જ કરવાનો સંકલ્પ કરેલ તેમાંથી ૧૪૦૦ થી વધુ રીચાર્જ બોર થઈ ચુક્યા છે. આ રીતે દરેક પ્રસંગો કે સારા કાર્યોની શરૂઆત વરસાદી પાણીનું યોગ્ય જતન કરવાથી થાઈ તો પાણી પ્રશ્ન ખુબ સરળતાથી હલ થઈ જાઈ. ગામના આગેવાનો જાદવજીભાઈ બાવરીયા, ધીરાભાઈ બાવરીયા, રતિભાઈ ગરામભાડિયા, મનસુખભાઈ દેરવાડીયા, માલવરાજ ખવડ તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ(ડેકોરા), વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, ગોપાલભાઈ બાલધા, કૌશિકભાઈ સરધારા, વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.