ધુનધોરાજી ગામે બાલાજી વેફર્સના વિરાણી પરિવારનાઆર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનો જીર્ણોધાર

વરસાદ થાય અને ખેતીમાં ખેડૂતોને ખુશીના સમાચાર પ્રસરે પણ સાથે સાથે દરેક ખેડૂતો પોતાના ગામના ચેકડેમોને રીપેરીંગ, ઉડા. ઊંચા તેમજ નવા બનાવે તો ખેડૂતોને અત્યારે પણ ખૂબ મોટો પાણીનો જથ્થો મળી શકે જેનાથી ખેડૂતોને વાવણી પહેલા આગોતરું વાવેતર કરવું હોય તો કરી શકે અને જેનાથી ખૂબ મોટું ઉત્પાદન થઈ શકે સાથે સાથે સારા ભાવ પણ આવે આવી જ રીતે ધુનધોરાજી ગામે બાલાજી વેફર્સના વિરાણી પરિવારના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનો જીર્ણોધાર કરવામાં આવી રહયો છે. જેનાથી ખેડૂતોને વધુમાં વધુ પ્રમાણમાં વરસાદી શુધ્ધ પાણી મળી રહે તેથી ખેતીમાં ઉત્પાદનની સમતા વધે છે સાથે સાથે સૃષ્ટિના સર્વે જીવો જેમકે જીવ-જંતુ, પશુ-પક્ષી તેમજ માનવજાત સાથે દેશની આર્થિક સ્મૃધિમાં વધારો થાશે. દરેક લોકો વરસાદી પાણીને સોના કરતા પણ કિંમતી સમજીને, આ કાર્યમાં જોડાઈ જવું જોઈએ, કારણ કે આજે નહીતો કાલે વરસાદી પાણી બચાવ્યા વિના ચાલશે જ નહિ. તો દરેક લોકોએ વરસાદી પાણીને યોગ્ય જતન કરવા વધુમાં વધુ પાણીને જમીનમાં ઉતરે તેના માટે ચેકડેમ બનતા હોઈ તેમાં જોડાવવું જોઈએ, અને વરસાદી પાણીના ટાંકા બનાવીને બોર રિચાર્જ કરવા જોઈએ. આ પ્રસંગમાં ઉપસ્થિત ભીખુભાઈ વિરાણી, ચંદુભાઈ વિરાણી, કનુભાઈ વિરાણી, પ્રણવભાઈ વિરાણી, નીલેશભાઈ વિરાણી, દિલસુખભાઈ વિરાણી, કેશુભાઈ વિરાણી, હિતેશભાઈ વિરાણી, મનસુખભાઈ હીરપરા, મોહિતભાઈ અજુડિયા, દિનેશભાઈ વિરાણી, ભાવેશભાઈ વિરાણી, મુકેશભાઈ હીરપરા, ગીરધરભાઈ વિરાણી, ગૌતમભાઈ અકબરી, અરવિંદભાઈ તાળા, જમનભાઈ વિરાણી, પ્રફુલભાઈ ડોંગા, કૃણાલભાઈ તાળા, જેન્તીભાઈ તાળા, સુમીતભાઈ વિરાણી, તથા તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.