#Blog

મંદિરોને બનાવીએ માત્ર આરાધનાનું સ્થાન નહીં, પણ હિન્દુ સંસ્કૃતિના જીવન્ત કેન્દ્રો

હિન્દુ ધર્મના રક્ષણ અને સંવર્ધન માટે હવે મંદિરો બનશે શક્તિ કેન્દ્ર

આજના બદલાતા સમયમાં જ્યારે સંસ્કૃતિઓમાં ધીમે ધીમે પશ્ચિમી ભાવનાઓ ઘૂસી રહી છે અને આધુનિકતાના નામે ધર્મ અને સંસ્કારથી વિમુખ થવાની દિશામાં ચાલતી એક પ્રબળ લહેર જોવા મળે છે, ત્યારે આપણા હિન્દુ ધર્મના આરાધનાકેન્દ્રો એટલે કે આપણા મંદિરોની ભૂમિકા ખૂબ જ મહત્વની બની જાય છે. મંદિરો માત્ર પૂજા-અર્ચના, દર્શન અથવા ધાર્મિકવિધિ માટેનો સ્થાન નથી, પરંતુ આજે તે હિન્દુ સમાજના સશક્તિકરણ, સંસ્કાર પ્રસાર અને જાગૃતિના કેન્દ્રો બનાવવાની આવશ્યકતા છે. મંદિરોમાં હવે માત્ર ઘંટ ધ્વનિ જ નહી, પણ સંતોની વાણી, શાસ્ત્રોની ચર્ચા, યુવાનો માટે વિચારમંથન, બાળકો માટે સંસ્કાર શિબિરો, માતા-પિતાઓ માટે જીવનમૂલ્યોના પાઠ અને સમાજના  સર્વાંગી  વિકાસ  માટે ઉપયોગી કાર્યક્રમો યોજવા જોઈએ. આશ્રમ અને મંદિર, બંને હિન્દુ જીવન જીવવાની પદ્ધતિના આધારસ્તંભ છે. બધા એકમોને સાથે જોડીને જ આપણી સંસ્કૃતિને જીવંત રાખી શકાશે. આ જ દ્રષ્ટિએ વિશ્વ હિન્દુ પરિષદના મંદિર આયમ વિભાગ તરફથી એક ખૂબ જ મહત્વપૂર્ણ અને અર્થપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહારાષ્ટ્ર રાજ્યના થાણે જિલ્લાનાં તમામ મંદિરના ટ્રસ્ટીઓ તથા દરેક લોકોને આમંત્રણ અપાયું છે. આ બેઠક કોપીનેશ્વર મંદિરના જ્ઞાનકેન્દ્ર વાચનાલયના પ્રથમ માળે, 13 જૂન 2025 શુક્રવાર, સાંજે 8:00 થી 9:30 વાગ્યા સુધી યોજાવાની છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, દરેક મંદિરના પ્રતિનિધિઓ એક મંચ પર આવે, એકમેકના અનુભવો અને સફળ આયોજન કરી શકે અને સમુદાય સાથે સંકળાયેલા વિવિધ આયોજનો, જેમ કે ધાર્મિક વ્યાખ્યાનમાળા, યજ્ઞ, ગુરુપૂર્ણિમા ઉજવણી, ગૌસેવા, વિદ્યાર્થીઓ માટે ભજન શિખામણ, અને સામૂહિક આરાધના જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે સુચનાઓ મળે. આ બેઠક એ પણ નિમિત્ત છે કે અપેક્ષા, વિચારવિમર્શ અને સંકલ્પના સંગમ થવાથી આપણા મંદિરો ફરીથી ધર્મ, કરૂણા અને રાષ્ટ્રીય ગૌરવના તેજપુંજ તરીકે વિકસે. આથી આપની ઉપસ્થિતિ માત્ર જરૂરી નહીં, પણ અનિવાર્ય છે. આપના સુચનો, આપનો સમય અને આપનો અનુભવ એ સમગ્ર હિન્દુ સમાજ માટે માર્ગદર્શક સાબિત થશે. આપણે સૌ મળીને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના જતન માટે એક થઈએ, મજબૂત થઈએ અને સંગઠિત થઈએ. ગીરીશભાઈ સત્રા આપ સૌને અવશ્ય પધારવા અને આ પવિત્ર કાર્યમાં સહભાગી બનીને હિન્દુ સમાજ માટે એક નવી દિશા આપો એવી આત્મીય આશા સાથે આપ સૌને આમંત્રણ આપાયું છે. ડૉ. ગીરીશભાઈ સત્રા મો : 9820163946 એ આમંત્રણ આપ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *