#Blog

પશુઓના અનઅધિકૃત રાખવા, વેચાણ અને કતલ અંગે કડક કાર્યવાહી કરવા અંગેની માંગ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરાઈ

હિન્દુ પરિષદ દ્વારા પશુઓ રાખવા, તેમનું જાહેર રસ્તાઓ પર વેચાણ અને અનધિકૃત કતલ સંબંધિત કાયદાઓનું પાલન કરાવવા અંગેની માંગ હિન્દુ પરિષદ દ્વારા કરાઈ છે. ગુજરાત સરકારની માર્ગદર્શિકા અનુસાર, મહાનગરપાલિકા વિસ્તારમાં પશુઓ રાખવા માટે ફરજિયાત રજિસ્ટ્રેશન અને ટેગિંગની જોગવાઈ છે. આ ઉપરાંત, અનધિકૃત પશુઓને જપ્ત કરવા, દંડ વસૂલવા (રૂ. 1,000 થી રૂ. 10,000 સુધી) અને જરૂર પડે તો કાનૂની કાર્યવાહી કરવાની સ્પષ્ટ જોગવાઈઓ અમલમાં છે (સંદર્ભ: ગુજરાત સરકારની ગાઇડલાઇન, 25 ઓગસ્ટ 2023). આ નિયમોનો હેતુ શહેરની જાહેર સલામતી, સ્વચ્છતા અને પર્યાવરણીય સંરક્ષણની ખાતરી કરવાનો છે.
બકરી ઈદ જેવા પ્રસંગો દરમ્યાન, મહાનગરપાલિકા વિસ્તારમાં મંજૂરી વિના મોટા પ્રમાણમાં પશુઓ લાવવામાં આવે છે અને જાહેર રસ્તાઓ પર ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે. આ પશુઓનું વેચાણ ટ્રાફિક અવરોધ ઉભું કરે છે, જાહેર વ્યવસ્થાને ખોરવે છે અને રોગચાળાના ફેલાવાનું જોખમ વધારે છે. વધુમાં, આ પશુઓની અનધિકૃત કતલ મહાનગરપાલિકાના સ્વચ્છતા નિયમો તેમજ પ્રદૂષણ નિયંત્રણ કાયદાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે, જેના કારણે જૈવિક કચરો અને પર્યાવરણીય પ્રદૂષણ વધે છે. આવી પ્રવૃત્તિઓ નાગરિકોના સ્વાસ્થ્ય અને જાહેર સલામતી માટે ગંભીર ખતરો ઉભો કરે છે.
આ ઉપરાંત, માલધારીઓ દ્વારા અનધિકૃત રીતે પશુઓ રાખવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા તેમની સામે ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, જેમાં પશુઓ જપ્ત કરવા અને દંડ લાદવાનો સમાવેશ થાય છે. જોકે, અન્ય વ્યક્તિઓ દ્વારા, ખાસ કરીને બકરી ઈદ દરમ્યાન, આવી જ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તો તેની સામે કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવતી નથી. આ અસમાન વર્તન કાયદાના સમાન અમલના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે અને નાગરિકોમાં અસંતોષ ઉભો કરે છે.

  1. સમાન કાર્યવાહી: માલધારીઓની જેમ જ, બકરી ઈદ અથવા અન્ય પ્રસંગો દરમિયાન મંજૂરી વિના પશુઓ રાખનાર, જાહેર રસ્તાઓ પર વેચાણ કરનાર અથવા અનધિકૃત કતલ કરનાર તમામ વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આમાં પશુઓ જપ્ત કરવા, દંડ વસૂલવા અને જરૂર પડે તો કાનૂની પગલાં લેવાનો સમાવેશ થાય.
  2. નિયમોનું કડક પાલન: ગુજરાત સરકારની ગાઇડલાઇન મુજબ, દરેક પશુનું રજિસ્ટ્રેશન અને ટેગિંગ ફરજિયાત કરવામાં આવે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે.
  3. પ્રદૂષણ નિયંત્રણ: અનધિકૃત કતલથી થતા જૈવિક કચરા અને પર્યાવરણીય પ્રદૂષણને રોકવા માટે નિયમોનું કડક પાલન કરાવવામાં આવે. આ માટે નિયુક્ત સ્થળો પર જ કતલની મંજૂરી આપવામાં આવે અને તેનું નિરીક્ષણ કરવામાં આવે.
  4. નિયમિત નિરીક્ષણ: મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત નિરીક્ષણ હાથ ધરવામાં આવે અને અનધિકૃત પશુઓની હાજરી, વેચાણ અથવા કતલની તપાસ કરવામાં આવે.
    ઉપરોક્ત બાબતે તાત્કાલિક અને મક્કમ પગલાં લેવામાં ન આવે તો, શહેરની વ્યવસ્થા, સ્વચ્છતા, જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર નુકસાન થશે. મહાનગરપાલિકા કાયદાનું સમાન રીતે પાલન કરાવે અને નાગરિકોના હિતમાં ત્વરિત કાર્યવાહી હાથ ધરવા અંગેની માંગ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરાઈ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *