ધર્મપ્રેમી જનતાને પધારવા સંપત પરીવાર દ્વારા જાહેર આમંત્રણ
સંપત પરીવારના જયરાજભાઈ પરીમલભાઈ સંપત, વિશાલભાઈ જયરાજભાઈ સંપત, સિધ્ધ વિશાલભાઈ સંપત દ્વારા પવિત્ર ચૈત્ર માસ નિમીતે તા. 20, એપ્રિલ, રવીવારના રોજ કરસિંહજી બાલાજી મંદીરે સવારે 09-30 થી બપોરે 12-00 વાગ્યા સુધી સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા સંપત પરીવારે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. સુંદરકાંડના પાઠનું વાંચન સંગીતમય શૈલીમાં ગોપાલભાઈ શર્મા (રેલવે સુંદરકાંડ મંડળી), રાજકોટ દ્વારા કરવામાં આવશે. ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસમાં કુલ સાત પ્રકરણો છે, જેના નામ છે બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. તેમાંથી પાંચમો અધ્યાય સુંદરકાંડ છે. એવું કહેવાય છે કે જો કોઈ આખું રામચરિતમાનસ વાંચી શકતા નથી, તો દર મંગળવાર અથવા શનિવારે સુંદરકાંડનો પાઠ કરવા. સુંદરકાંડના પાઠથી દરેક સમસ્યાનું સમાધાન થઈ શકે છે. સુંદરકાંડમાં ભગવાન શ્રી રામના ભક્ત હનુમાનજીની શક્તિ અને વિજયનો ઉલ્લેખ છે. જેમાં હનુમાનજી દ્વારા માતા સીતાની શોધ અને રાક્ષસોના સંહારનું વર્ણન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે હનુમાનજીની સાથે ભગવાન શ્રી રામ અને માતા સીતાના આશીર્વાદ પણ રામજીના ભક્તો પર રહે છે જે હનુમાનજીના મહિમાની સ્તુતિ કરે છે. આ જ કારણ છે કે સમગ્ર રામચરિતમાનસમાં સુંદરકાંડને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ સુંદરકાંડનો પાઠ કરે છે, તેનાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે અને નકારાત્મક શક્તિઓ પણ તેની આસપાસ ભટકતી નથી. કોઈને કોઈ વિઘ્ન વારંવાર આવવાના કારણે કોઈ કાર્ય પૂર્ણ નથી થઈ રહ્યું તો મંગળવાર અથવા શનિવારે સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો જોઈએ. કહેવાય છે કે શનિદેવની સાડાસાતી, મહાદશા કે ઢૈયાના પ્રભાવથી વ્યક્તિની શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ વધે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ હનુમાનજીના ભક્ત છે અને દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરે છે, તો શનિના પ્રકોપની અસર ખૂબ જ હળવી રહે છે. આ અંગેની વિશેષ માહિતી માટે મો.94267 86060, 94096 63111 પર સંપર્ક કરવા સંપત પરીવારની યાદીમાં જણાવાયું છે.