ગૌ વિશ્વ વિદ્યાપીઠમ”નું તા. 17 મે 2025, શનિવારના રોજ સાંજે 4:00 કલાકે,ડૉ. આંબેડકર હોલ, સેક્ટર-12, ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન.

ગુજરાતની પવિત્ર ધરતી પર પ્રથમ “ગૌ વિશ્વ વિદ્યાપીઠમ” ના ઐતિહાસિક ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન તા. 17 મે 2025, શનિવારના રોજ સાંજે 4:00 કલાકે, ડૉ. આંબેડકર હોલ, સેક્ટર-12, ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યું છે. ગૌમાતાના આશીર્વાદથી શરૂ થનાર આ યુનિવર્સિટી દેશ-વિદેશમાં ગૌ વિજ્ઞાન, પરંપરાગત જ્ઞાન અને આત્મનિર્ભર ભારતના ઘડતર માટે એક નવા યુગની શરૂઆત કરશે. ગૌ વિશ્વ વિદ્યાપીઠમ (GVV) નો ગૌ વંશના વિવિધ પાસાઓના વૈજ્ઞાનિક અભ્યાસ માટે સમર્પિત એક વિશિષ્ટ યુનિવર્સિટી તરીકે સ્થાપના કરવાનો છે. આ પહેલ ભારતની શૈક્ષણિક વ્યવસ્થામાં ગૌ આધારિત અભ્યાસક્રમો અને સંશોધનને મુખ્ય ધારામાં લાવવા માટે એક ક્રાંતિકારી પગલું છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 સાથે સુસંગત છે. ભારત વર્ષમાં પંચગવ્ય, ગૌ વિજ્ઞાન (પ્રજનન, પોષણ અને આરોગ્ય), ગોરસ વિજ્ઞાન (દૂધ ઉત્પાદન અને પ્રક્રિયા), ગૌ આધારિત ખેતી, પશુચિકિત્સા, લોકજીવવિજ્ઞાન અને ગ્રીન ઊર્જા (કમ્પ્રેસ્ડ બાયોગેસ અને ગ્રીન હાઇડ્રોજન) જેવા ક્ષેત્રોમાં ઔપચારિક અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે, તેના ભાગ રૂપે વધુ એક યુનિવર્સીટી ગુજરાતમાં આકાર લઈ રહી છે. ગૌ વિશ્વ વિદ્યાપીઠમ (GVV) નો દ્રષ્ટિકોણ એ છે કે, પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનના સંયોજન દ્વારા ગૌ આધારિત સાશ્વત અર્થતંત્ર અને ગ્રામ વિકાસ માટે વૈશ્વિક સ્વીકાર્યતા સાથેના ધોરણો અને શૈક્ષણિક માળખાં ઊભા કરવામાં આવે. આ અનોખી પહેલ સાથે ભારત તેના પૌરાણિક વારસાને પુનઃસ્થાપિત કરવા અને આધુનિક વિશ્વની પડકારો સામે નવીનતમ ઉકેલો પ્રસ્તુત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાત સરકારના આરોગ્ય અને શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંધની ગૌ સેવા ગતિવિધીના ઓલ ઈન્ડિયા પ્રશિશણ પ્રમુખ શ્રી કે. એન. રાઘવન મુખ્ય અતિથિ તરીકે અને ગુજરાત પ્રદેશ બીજેપી ના મહામંત્રીશ્રી રત્નાકરજી વિશિષ્ટ અતિથિ તરીકે કાર્યક્રમમાં હાજરી આપશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ ચેરમેન રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને જીસીસીઆઈ સ્થાપક ના ડૉ. વલ્લભભાઈ કથીરિયા તથા પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ડૉ. દર્શિતાબેન શાહ (ધારાસભ્ય, રાજકોટ પશ્ચિમ), શ્રી અમિતભાઈ ઠાકર (ધારાસભ્ય, અમદાવાદ), શ્રીમતી રીવાબા જાડેજા (ધારાસભ્ય, જામનગર ઉત્તર), શ્રી વલ્લભભાઈ પટેલ (સરદાર સાહેબ) ઈનોવેટિવ થોટ ફોરમના અધ્યક્ષ શ્રી એસ. બી. ડાંગાયચ તેમજ ગૌવિજ્ઞાન અનુસંધાન સંસ્થાનના પ્રભારી શ્રી સુનીલ માનસિંઘકા આ અવસરે મહેમાન તરીકે પધારશે. ગૌ વિશ્વ વિદ્યાપીઠમ એક અદ્વિતીય શૈક્ષણિક યાત્રાનો આરંભ છે, જ્યાં ગૌ આધારિત વૈજ્ઞાનિક અભ્યાસ, સંશોધન, પરંપરા અને આધ્યાત્મના માધ્યમથી સમૃદ્ધ અને સાતત્યશીલ ભવિષ્યનું નિર્માણ કરવામાં આવશે. આ અવસરે ગૌ વિશ્વ વિદ્યાપીઠમના સ્થાપક અધ્યક્ષ મિનેશ પટેલ અને ગૌ વિશ્વ વિદ્યાપીઠમના સહ-સ્થાપક અને GCCI જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગરે શિક્ષણવિદો, ગૌ સેવકો, સામાજીક કાર્યકર્તાઓ તથા ગૌ પ્રેમીઓને ઉપસ્થિતિ રહેવા આમંત્રણ પાઠવવામા આવ્યું છે. વધુ માહિતી માટે ગૌ વિશ્વ વિદ્યાપીઠમના સ્થાપક અધ્યક્ષ મિનેશ પટેલ મો. 98251 18845, શ્રી અમિતાભ ભટ્ટનાગર મો. 80742 38017, જીસીસીઆઈ જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી, તેજસ ચોટલિયા મો. 94269 18900 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.