મુકેશભાઈ પાબારી પરિવારના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારામુકેશભાઈ દોશીના જન્મદિવસે પોતાના વરદ હસ્તે ચેકડેમનુ ખાતમુહૂર્ત.

રાજકોટના ખ્યાતનામ બિઝનેસમેન મુકેશભાઈ પાબારીએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને ચેકડેમ બનાવવાના લોકોપકારી કાર્યમાં ત્રીજી વખત આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે. રાજકોટ જીલ્લાના જશવંતપુર ગામે નવનિર્મિત ચેકડેમનું ખાતમુહૂર્ત રાજકોટ શહેરના ભાજપાના પૂર્વપ્રમુખ મુકેશભાઈ દોશીના જન્મદિને એમના જ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ રીતે જો અનેક ઉદ્યોગપતિ દાતાશ્રીઓ આ કાર્યમાં જોડાઈ જાય તો રાજકોટ શહેરને અનેક ચેકડેમો મળી શકે અને પાણીના પ્રશ્નો હલ થઈ શકે, સૌને શુદ્ધ પાણી મળી શકે. આપણે સૌએ વરસાદી પાણીને સોના કરતા પણ વધુ કિંમતી સમજીને, આ લોકકલ્યાણના કાર્યમાં જોડાઈ જવું જોઈએ, કારણ કે આજે નહીં તો કાલે વરસાદી પાણી બચાવ્યા વિના નહિ ચાલે. તો દરેક લોકોએ વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા વધુમાં વધુ પાણીને જમીનમાં ઉતરે તેના માટે ચેકડેમ બનાવવાના લોકોપકારી કાર્યમાં જોડાવું જોઈએ, અને વરસાદી પાણીના ટાંકા બનાવીને બોર રિચાર્જ કરવા જોઈએ. આ જ આશયથી અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ કરવાનું, ઊંડા, ઊંચા કરવા તેમજ નવા બનાવવાનું કામ થયેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો ખેડૂતોને બહુ મોટો ફાયદો થવાની સાથે પશુ-પક્ષી અને જીવ-જંતુ સર્વેની રક્ષા થઈ રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ થયેલ છે, તેમાંથી અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ ચેકડેમો તૈયાર થઈ ચૂક્યા છે; તેમજ ૧૧,૧૧૧ બોર રિચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં ૧૪૦૦થી વધુ બોર રિચાર્જ થયા છે. આ ખાતમુહુર્તના પ્રસંગમાં ઉપસ્થિત ખ્યાતનામ બિઝનેસમેન મુકેશભાઈ પાબારી, લોહાણા મહાજન પ્રમુખ અગ્રણી બિલ્ડર રાજુભાઈ પોબારુ, અગ્રણી ઉદ્યોગપતિ હરીશભાઈ લાખાણી, ડૉ. પીપળીયા સાહેબ, નલીનભાઈ તન્ના, સુનીલભાઈ વોરા, ગૌરાંગભાઈ ઠક્કર, દુર્લભજીભાઈ ગામી, પ્રવીણભાઈ ભુવા, મધુભાઈ કાવઠીયા, ગીરધરભાઈ રૈયાણી, ભરતભાઈ ભુવા, ભરતભાઈ હિરાણી, ભરતભાઈ ટીલવા, મુરલીભાઈ દવે, અલ્પેશભાઈ જોગરાણા, તેમજ ગામના સરપંચ ઘનશ્યામભાઈ રામાણી, ભાદાભાઇ રામાણી, સંજયભાઈ રામાણી, બાબુભાઈ વિરાણી, જગદીશભાઈ વિરાણી, મેરામભાઇ માટીયા, અશોકભાઈ રાઠોડ, રવજીભાઈ સોલંકી, ધીરુભાઈ ટીલાળા, જગદીશભાઈ ટીલાળા, રામદેવસિંહ જાડેજા, દિલીપભાઈ ટીલાળા, ભુપતભાઈ વસોયા અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, શૈલેષભાઈ જાની, મહેશભાઈ સેગલિયા, નરેશભાઈ નકુમ, કિશોરભાઈ કાથરોટિયા વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.