#Blog

રાજકોટ તાલુકાના અણીયારા ગામે ચેકડેમ જીર્ણોધ્ધાર થીપાણી ના જતન માટે ગ્રામજનો સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા નું આયોજન

શહેર ની નજીક ખેડૂતો દ્વારા ફળ, શાકભાજી અને કઠોળ ના વાવેતર વધુ થતા હોય છે. અને તેમાં મીઠા પાણી ની જરૂરીયાત ખુબ વધુ હોય છે. કારણકે, ફળ, શાકભાજી અને કઠોળ સહેલાઇ થી રાજકોટ શહેર માં લોકો સુધી પહોચાડી શકાય. આજે દિવસે દિવસે શહેર ની અંદર મહાકાય બિલ્ડીંગો બનવાથી પાણી ની જરૂરીયાત માટે ૨૦૦૦ થી ૨૫૦૦ ફૂટ ના બોર થવાથી આજુ બાજુ ના વિસ્તાર માં ખુબજ પાણી ના તળ ઊંડા જતા રહ્યા છે. તેથી ખેડૂતો ને પાક ઉત્પાદન માં મુશ્કેલી પડતી હોય છે. ત્યારે ગામડાના લોકો જાગૃત થઈને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા તેમજ નવા બનાવે છે. તે કામ પોતાના રાજકોટ તાલુકા ના અણીયારા ગામે લોકો ને ગ્રામસભા દ્વારા લોકજાગૃતિ કેળવાય અને વરસાદી પાણી વધુ માં વધુ રોકી ને જમીન માં ઉતારી શકાય તેના માટે આયોજન થયેલ. તેમાં ગામના ખેડૂતો દ્વારા સંપૂર્ણ લોકભાગીદારી થી ચેકડેમો નો જીર્ણોધ્ધાર અને નવા બને તેના માટે ફંડ એકઠું કરવાનું આયોજન થયેલ. જત જણાવવાનું કે,ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનમાં અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમજ ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો પણ સંકલ્પ કરેલ છે. શ્રી મહેન્દ્રભાઈ જાદવભાઈ ચાવડા ઉદ્યોગપતિ સમ્રાટ સબમર્સીબલ પ્રાઇવેટ લિમિટેડ ના આ મીટીંગ નું આયોજન થયેલ જેમાં ગામના સરપંચશ્રી શીતલબેન નારણભાઈ ખેર, ઉપસરપંચ શ્રી ગોવિંદભાઈ રામજીભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ ચાવડા, મહેન્દ્રભાઈ ચાવડા, કિશોરભાઈ ભગવાનભાઈ ડાભી, રાજેશભાઈ ધરમશીભાઈ અજાણી, ભગવાનભાઈ વીરાભાઇ સિંધવ, શીવાભાઈ વસ્તાભાઈ ડાભી, ભવાનભાઈ પાંચાભાઇ ચાવડા, મનસુખભાઈ પરસોત્તમભાઈ અજાણી, હરેશભાઈ નાનજીભાઈ મકવાણા, ધનાભાઈ કાબાભાઈ ભરવાડ તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *