જૈન આચાર્ય લોકેશજીના જન્મોત્સવ નિમિત્તે ‘’વિશ્વ શાંતિ કેન્દ્ર’’ ગુરુગ્રામ ખાતે વિશાળ સમારોહનું આયોજન.

તિરુપતિથી વિખ્યાત બ્રહ્મર્ષિ ગુરુવાનંદ સ્વામિજી શુક્રવારે ગુરુગ્રામ પહોંચશે,
દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રા સહિત અનેક ધર્મગુરૂઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ.
વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીના જન્મોત્સવ નિમિત્તે 19 એપ્રિલ 2025ના રોજ સાંજે 7 વાગ્યાથી ગુરુગ્રામના સેક્ટર 39 ખાતે આવેલા વિશ્વ શાંતિ કેન્દ્રમાં “શાંતિ સદભાવના દિવસ” ઉજવવામાં આવશે. આ ઉજવણી અહિંસા વિશ્વ ભારતી દ્વારા આયોજિત છે. આ પ્રસંગે તિરુપતિના વિખ્યાત બ્રહ્મર્ષિ ગુરુવાનંદ સ્વામિજી, દિલ્હી સરકારના મંત્રી શ્રી કપિલ મિશ્રા તેમજ વિવિધ ધર્મોના પ્રખ્યાત ધર્માચાર્યો અને સમાજસેવકો હાજર રહેશે. શાંતિ સદભાવના દિવસની આયોજન સમિતિના સંજય શર્મા, હિતેશ જૈન, સંજય જૈન અને અશોક સુરાણાએ જણાવ્યું કે કાર્યક્રમનો હેતુ સમાજમાં એકતા, પ્રેમ અને કરુણાની ભાવનાનું સર્જન કરવો છે. આજના સમયમાં જ્યારે સમગ્ર જગત શાંતિની શોધમાં છે, ત્યારે સંઘઠિત પ્રયત્નો દ્વારા શાંતિ સ્થાપિત કરવી આવશ્યક બની ગઈ છે. અહિંસા વિશ્વ ભારતીના વરિષ્ઠ ઉપપ્રમુખ રમેશ તિવારીએ જણાવ્યું હતું કે માત્ર 22 વર્ષની ઉંમરે સન્યાસ ગ્રહણ કર્યા બાદ જૈન આચાર્ય લોકેશજીએ દેશવિદેશમાં વિહાર કરીને અહિંસા, શાંતિ અને સદભાવનાના સંદેશને પ્રસરે તે માટે સતત પ્રયત્નો કર્યા. અહિંસા વિશ્વ ભારતીની સ્થાપના દ્વારા તેઓએ રાષ્ટ્ર નિર્માણ અને નૈતિક મૂલ્યોના ઉદ્ધાર માટે કાર્ય કર્યું. હવે વિશ્વ શાંતિ કેન્દ્ર દ્વારા વિશ્વના ખૂણે ખૂણે અહિંસા અને શાંતિની સ્થાપનામાં તેઓ પ્રયત્નશીલ છે. અહિંસા વિશ્વ ભારતી તથા વિશ્વ શાંતિ કેન્દ્રના તમામ કાર્યકરો અને સહયોગીઓ કાર્યક્રમની સફળતા માટે સમર્પિત ભાવનાથી કાર્યરત છે.