રાંચીમાં યોજાનારા “ગૌ સેવા સંમેલન”માં ભાગ લેશે ડૉ.વલ્લભભાઈ કથીરિયા,ગૌ સેવા અને સંવર્ધનના નવા આયામો પર આપશે વક્તવ્ય

રાંચી (ઝારખંડ) ખાતે તા. 19 અને 20 જૂન 2025 ના રોજ યોજાનાર “રાષ્ટ્રીય સંમેલન – પર્યાવરણીય સંતુલન અને શહેરીકરણના પરિપ્રેક્ષ્યમાં ગૌ સેવાના ક્ષેત્રમાં પડકારો અને શક્યતાઓ” કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી ગૌ સેવાસાથે થી સંકળાયેલા વિદ્વાનો, નિષ્ણાંતો, પ્રશાસનિક અધિકારીઓ, વૈજ્ઞાનિકો તેમજ નીતિ-નિર્માતાઓ ભાગ લેશે. આ બે દિવસીય સંમેલનનું આયોજન ઝારખંડ ગૌ સેવા આયોગ દ્વારા કૃષિ, પશુપાલન અને સહકાર વિભાગ, ઝારખંડ સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ પરિબળો બદલાતા પર્યાવરણીય પરિપ્રેક્ષ્ય, શહેરીકરણના પડકારો અને પરંપરાગત ગૌ આધારિત વ્યવસ્થાઓમાં થતાં ફેરફારોની વચ્ચે ગૌ સેવા તથા ગૌ આધારિત ઉદ્યોગોની શક્યતાઓ પર ચર્ચા કરવાનો છે. આ સંમેલન દરમ્યાન વિવિધ સત્રોમાં નિષ્ણાંતો દ્વારા બાયોગેસ અને બાયો-સીએનજી ઉત્પાદન, પંચગવ્ય ચિકિત્સા, જૈવિક ખેતીમાં ગૌ આધારિત ઉત્પાદનોનું મહત્વ, ગ્રામિણ અર્થતંત્રમાં ગૌપાલનની ભૂમિકા, ગૌ વંશીય ઉર્જા ઉત્પાદન, પાણી સંરક્ષણ, ગોબર વ્યવસ્થાપન અને શહેરી ગૌ સેવાના નવા મોડેલો અંગે ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવશે. કાર્યક્રમમાં ઝારખંડના માન. મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને અન્ય વરિષ્ઠ મહેમાનો ઉપસ્થિત રહેશે. સમગ્ર દેશના પ્રખ્યાત ગૌશાળા સંચાલકો, સંશોધકો, ગૌ વિજ્ઞાન નિષ્ણાતો, એનજીઓ, પ્રશાસકો અને નીતિ નિર્માતા પણ પોતાના વિચારો રજૂ કરશે. ગૌરવની બાબત છે કે, આ રાષ્ટ્રીય સંમેલનમાં ગુજરાતથી ભારત સરકાર ના પૂર્વ કેન્દ્રીયમંત્રી, પૂર્વ ચેરમેન રાષ્ટ્રીય કામધેનુ આયોગ, જીસીસીઆઈ ના સ્થાપક અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા વિશિષ્ટ અતિથિ તથા વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. ડૉ. કથીરિયા તેમના વ્યાખ્યાનમાં ગૌ સેવાના વૈજ્ઞાનિક, પર્યાવરણીય અને આર્થિક પાસાંઓ પર વિગતવાર ચર્ચા કરશે. તેમના અનુભવથી ખાસ કરીને પંચગવ્ય ચિકિત્સા, ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ, જૈવિક કૃષિમાં ગૌવંશની ભૂમિકા તથા સાશ્વત વિકાસમાં ગૌ આધારિત મોડલ અંગે નવી દિશા મળશે. ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ સંમેલનમાં ભાગ લેવા માટે ઝારખંડ ગૌ સેવા આયોગનો આભાર વ્યક્ત કર્યો છે તથા જણાવ્યું છે કે આવા આયોજનો ગૌ સેવા, ગૌ સંવર્ધનને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેઓ ટૂંક સમયમાં આ મહત્વના કાર્યક્રમમાં ભાગ લેશે.